SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૭-૭૩ પ્રબુદ્ધ જીવન છાડવા અસમર્થ અનુયાયીઓની તેમણે સંપૂર્ણઉપેક્ષા કરી. જૈન સંઘમાં મુનિઓના આચારધર્મ ઉપરાંત સંસારી અનુયાયીઓ-શ્રાાવકા માટે પણ અણુવ્રતા ઠાવી આપવામાં આવ્યાં અને એ રીતે બંને વર્ગને સાંકળી લેતી સુદઢ વ્યવસ્થા ઊભી કરવામાં આવી. આપણી પાસે પાકા પુરાવે નથી તેથી છાતી ઠોકીને કહી શકવાની આપણી સ્થિતિ નથી, પણ મહાવીરની પ્રવૃત્તિઓ પરથી છાપ એવી પડે છે કે શાાવકા અને મુનિઓને પરસ્પર જોડી લેતા સંગઠનના મૂળ ખ્યાલ મહાવીરે વિકસાવ્યા અને પોતાની સંગઠનકુશળતાથી તેમણે લગભગ એકલે હાથે આ ભગીરથ કાર્ય પૂરું કરીને નગણ્ય નિગ્રંથ સંપ્રદાયને મહાકાય જૈન સમાજમાં ફેરવી નાખ્યા. આ સંપ્રદાયનાં વિચારબીજ નાખનાર અગાઉના તમામ તીર્થંકરા જનસમુદાયની દષ્ટિએ મહાવીરની વિરાટ પ્રતિભા સામે શૂન્યવત બની ગયા. તેમનાં નામ જળવાઇ રહ્યાં, પણ કામ તે કેવળ મહાવીરનું જ જળવાયું અને નિગ્રંથ પંથ જિનપ્રભુના માજ બન્યા. બૌદ્ધ ધર્મ ધીમે ધીમે હિંદુ ધર્મ માં સમાઇ ગયા. હિંદુ ધર્મ પર તેના આગેવાનો, આચારવિચારો અને વિધિનિષેધાએ પાડેલા પ્રભાવ આંખે ઊડીને વળગે તેટલે સ્પષ્ટ છે. બુદ્ધ, વિષ્ણુના આઠમા અવતાર તરીકે પૂજાયા, તાંત્રિકા-હજયાનીએ અને શાકતા-વૈષ્ણવા વચ્ચે એટલું બધું ચરાવિચારસામ્ય છે કે તેમના વચ્ચે ભેદરેખા દારવી કયારેક અશક્ય બની જાય છે. ચેારાશી સિદ્ધો અને નવ નાથીમાં કેટલાક બૌદ્ધ છે, કેટલાક હિંદુ છેઅને કેટલાક હાંને હવાના દાવે કરે છે. બૌદ્ધોએ હિંદુ ધર્મમાં સમાવિષ્ટ થઇને જે પ્રભાવ પાડયા છે, લગભગ તેટલા જ પ્રભાવ જૈન ધર્મ અળગા રહીને પાડયા છે. જૈન સંઘ ટચૂકડા હોવાથી સામાજિક જીવનમાં અળગાપણું સાચવી શકયા નથી. જૈને અને હિંદુએ એવા ઓતપ્રોત થઇ ગયા છે કે જૈન ધર્મ હિંદુઓથી વેગળા અને તેને વિરોધી તેવું કહીએ તે સામાન્ય માણસને આઘાત લાગે છે. પણ તત્ત્વદષ્ટિએ આ હકીકતનો કોઇ ઈનકાર કરતું નથી. ધાર્મિક ક્ષેત્રમાં આ બંનેનું સંમિલન કી થયું નથી અને ભારતના લોકોએ આ બંનેનું અળગાપણું સમજવામાં કદી ભૂલથાપ ખાધી નથી. સાંસ્કૃતિક, સાહિત્યિક અને વૈચારિક ક્ષેત્રામાં આ બંને ધર્મો વચ્ચેની લેવડદેવડ ગુજરાતી વાકો માટે એટલી સુપરિચિત છે કે તેનું વિગતવાર વર્ણન કરવું તે ચવાઇ ગયેલા કોળિયાને ફરી ચાવી જવા જેવું થાય. નગીનદાસ સંઘવી સંઘની વાર્ષિક સામાન્ય સભા શ્રાી મુંબઇ જૈન યુવક સંઘની વાર્ષિક સામાન્ય સભા તા. ૨૩-૬-૯૩ શનિવારના રોજ સાંજના સાડાપાંચ વાગ્યે સંઘના કાર્યાલયમાં શ્રી ચીમનલાલ ચકુભાઇ શાહના પ્રમુખપણા નીચે મળી હતી. તેમાં ગત વાર્ષિક સભાને તા. ૨૪-૬-’૭૨ વૃત્તાંત વાંચવામાં આવ્યા હતા અને તે સર્વાનુમતે મંજૂર રહ્યા બાદ નીચે પ્રમાણેકાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શરૂઆતમાં સંઘને વાર્ષિક વૃત્તાંત તથા સંઘ તેમ જ શ્રી મ. મા,શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલયના ૧૯૭૨ના વર્ષના એડિટ થયેલા હિસાબો રજૂ કરવામાં આવ્યાહતાં. આ વાર્ષિક વૃત્તાંત તથા હિસાબે સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતાં. ત્યાર બાદ સંઘ તેમ જ વાચનાલય અને પુસ્તકાલયના એડિટરો તરીકે મે. શાહ મહેતા એન્ડ કાં.ને ચાલુ મહેનતાણાથી ૧૯૭૩ ના વર્ષ માટે ચાલુ રાખવા એમ ઠરાવવામાં આવ્યું અને ગત વર્ષ ૧૯૭૨ના ચેપડાએ એડિટ કરી આપવા માટે તેમના આભાર માનવામાંઆવ્યો, ત્યાર બાદ ચાલુ વર્ષ માટે સંઘની કાર્યવાહક સમિતિના પાંચ અધિકારીએ અને પંદર સભ્યોની ચૂંટણીનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. શરૂઆતમાં પાંચ અધિકારીએ સર્વાનુમતે ચૂંટાયા બાદ ઉપસ્થિત સભ્યોને મતપત્રકો વહેંચવામાં આવ્યાં હતાં અને કારોબારીના પંદર સભ્યોની ચૂંટણી કરવામાં આવી હતી. ચૂંટણીની વ્યવસ્થા તથા મતગણતરીનું કામ સંઘના એડિટર શ્રી શાહ તથા કાર્યવાહક સમિતિના સભ્ય શ્રી બાબુભાઇ ગુલાબરાંદ શાહને સોંપવામાં આવ્યું હતું. ત્યાર બાદ પ્રમુખશ્રીએ સંઘની પ્રવૃત્તિએ જે રીતે ચાલી રહી છે એ વિશે પોતાની સંતાપની લાગણીવ્યકત કરી હતી અને આજીવન સભ્યમાં વધારે બને એ માટે પ્રયત્ન કરવાનું સૂચવ્યું હતું. વાચનાલય અને પુસ્તકાલયમાં જે મોટી ખાટ ઊભી છે અને તેમાં દર વર્ષે ઉમેરા થતા રહે છે તેને અંત લાવવા માટે આગામી એકટાબર માસમાં એકાદ નાટકનો શા યે!જીને રૂપિયા પચાસ-સાઠ હજાર મેળવી લેવાને લગતું આયોજન કરવાને લગતી સૂચના કરી હતી. નવી પ્રવૃત્તિઓ શરૂ કરવાની વાતને તેમણે સંમતિ આપી હતી, પરંતુ તે માટે સક્રિય કામ કરનારા સભ્યો આગળ આવે અને એ શરૂ થનાર નવી પ્રવૃત્તિનો બેજ તેએ ઉઠાવે એવું સૂશન કર્યું હતું અને એવી નવી પ્રવૃત્તિને તેમણે સંપૂર્ણ ટેકો આપવાની ખાતરી આપી હતો. ત્યાર બાદ સંઘના ઉપપ્રમુખ શ્રી રતિલાલ ચી. કોઠારીએ બેલતાં જણાવ્યું કે, લાયબ્રેરીની ખાટના અંત લાવવા માટેનું શ્રી ચીમનભાઇનું સૂચન બરાબર છે અને આપણે બધા મળીને એના માટેના એક શેનું આયોજન અવશ્ય કરીશું. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે શ્રીયુત ્ ચીમનભાઇએ ‘પ્રબુદ્ધ જીવન'ની નૌકા કુશળતાથી ચલાવી છેઅને યુવક સંઘને અદ્ધર કર્યો છે તે માટે આપણે તેમના આભાર માનવા જૅઇએ. ચૂંટણીનું પરિણામ ૧૯૭૩ ના વર્ષ માટે સંઘના અધિકારીઓ તથા કાર્યવાહક સમિતિના સભ્યોની ચૂંટણીનું પરિણામ નીચે મુજબ આવ્યું હતું: (૧) શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ -પ્રમુખ (૨) રતિલાલ ચીમનલાલ કોઠારી-ઉપપ્રમુખ (3) દામજીભાઈ વેલજી શાહ-કોષાધ્યક્ષ (૪) 1, 37 (૧૨) (૧૩) (૧૪) (૧૫) (૧૬) (૧૭) (૧૮) (૧૯) (૨૦) ચીમનલાલ જે. શાહ મંત્રી y ૬, સુબોધભાઈ એમ. શાહ મંત્રી (૫) (૬) પ્રે. રમણલાલ સી. અમર જરીવાળા કે. પી. શાહ નીબહેન સુબોધભાઇ શાહ પ્રવીણભાઈ મંગળદાસ શાહ ટાકરસી કે. શાહ દામિનીબહેન જરીવાળા બાબુભાઈ જી. શાહ એ. જે. શાહ (૭) (<) (૯) (૧૦) (૧૧),, 93 35 23 ,, , 23 17 37 22 23 23 23 32 શાહ – સભ્ય 39 રમણીકલાલ મણિલાલ શાહ શાન્તિલાલ દેવજી તન્દુ હરિલાલ ગુલાબચંદ શાહ જ્યંતીલાલ ફત્તેહચંદ શાહ રસિકલાલ એમ. ઝવેરી મનુભાઈ ગુલાબચંદ કાપડિયા 33 33 33 31 22 7 31 ૫૧ 33 33 33 35 33 ચીમનલાલ જે. શાહ સુબોધભાઈ એમ. શાહ મંત્રીઓ: મુબઇ જૈન યુવક સ’ઘ
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy