________________
૫૮
પ્રબુધ્ધ જીવન
સમાજ પરિવર્તનની વાત એ વિરોધ વહેારીને પણ નિયમિતપણે મૂકતા. તેમનું કાર્યક્ષેત્ર મુખ્યત્વે જૈન સમાજનું રહ્યું છે. તેમણે જૈન સમાજ અને સંઘને વિરોધ વહેારીને પણ ‘બાળદીક્ષાના વિરોધ કરેલા. તેમા પ્રયત્નથી મુંબઈ ધારાસભામાં એ બિલ પણ મૂકેલું. ભારે ખળભળાટ અને વિરોધી સભાએ થયેલી. પરમાનંદભાઈને જૈન સંઘે બહાર મૂકેલા. તે વિરોધ વચ્ચે પણ તેમણે પોતાના વિચારો એજ નિર્ભિકતાથી વ્યકત કરેલા, એની અસરથી સમાજ દૃષ્ટ રહ્યો છે એમ તેા કેમ કહેવાય! સામજિક ક્રાંતિ માટે આમાં વૈચારિક આદાલના અને સુધારા આંચકા આપવા અનિવાર્ય બની રહે છે પરમાનંદભાઈએ જન કલ્યાણ માટે એ પ્રવૃત્તિ નિષ્ઠાપૂર્વક કર્યાં કરી.
પરમાનંદભાઈનું ચિત્ત પર પ્રભાવ પાડી ગયું તે એમનું બીનસાંપ્રદાયિક વ્યકિતત્ત્વ, ‘પ્રબુદ્ધ જીવન' તેમના વિશાળ સામાજિક સંદર્ભના કારણે સૌનું, ખાસ કરીને જાગૃત વાચકોનું પાક્ષિક બની ગયું હતું. તે આધ્યાત્મિક અને જીવનને સ્પર્શતા બહુવિધ પ્રશ્નોની આલોચના કરતા, બીજાનાં વિરોધી મંતવ્યોને પણ મુકત મનથી આવકારતા, તાજેતરમાં વચ્ચે જૈન મુનિ વિમાનમાં વિદેશયાત્રાએ ગયા તેના જૈન સંઘે વિરોધ કરેા, પરમાનંદભાઈએ ‘પ્રબુદ્ધ જીવનમાં તેની ઠીક્ઝીક સમય સુધી ચર્ચા ચલાવેલી. નવી વિચારણા અને સમાજજીવન પ્રત્યેના નવા અભિગમ સૌનું ધ્યાન ખેંચી જાય તેવા છે.
પરમાનંદભાઈની બીનસાંપ્રદાયિકતાનું ધ્યાન ખેંચે તેવું વિશિષ્ટ
પરમાનંદભાઈને મળવાનું તો ચાર-પાંચ વાર જ બન્યું હશે, પણ પહેલા મેળાપથી જ કાળના માપથી માપી નશકાય એવી આત્મીયતા અમારી વચ્ચે વણાઈ ગઈ હતી. પહેલી નજરે ધ્યાન ખેંચેં એવી તેમની નમ્રતા, પણ આ નમ્રતા ઢીલીપચી નથી એની બીજી પળે જ પ્રતીતિ થતી. નમ્રતાની સાથે નિર્ભયતાની દાંડી સમતુલા જાળવતી. અને સાથે સાથે નવું જાણવાની ઝંખના વાર્તાલાપની સીમા વધારતી જતી. છેલ્લે છેલ્લે આત્માનું અસ્તિત્વ, મનથી પંરની ભૂમિકા અને જન્માંતરના પ્રદેશોમાં તેમની વિચારણા ચાલતી હતી. કોઈ અનુભૂતિવાળા મરમી જનની વાત નીકળે તેા એના વિષે વધુ જાણવા એ માગતા. અને શક્ય હોય તો એને મળ્યા વિના પરમાનંદભાઈ ન રહેતા. સામે ચાલીને મળવા જવું, પરિચિત લોકોની ખેવના રાખવી એ તેમના સ્વભાવમાં હતું. અને વગર કહ્યો માણસને સંબંધની મધુરતા ને સુગંધ કેમ જળવાય એ શીખવી જતા.
એકવાર મન ભરીને મળવાનુંવેણ ઊભું હતું ત્યાં તો એ ચાલી નીકળ્યા. મધુરીબેને એમના અવસાન સમયની વાતો કરી ત્યારે અચાનક મૃત્યુંજય મંત્રનું સ્મરણ થઈ આવ્યું:
મૃત્યુના બંધનમાંથી મુકિત
‘ૐ ત્ર્યંબકં યજામહે, સુગન્ધિ પુષ્ટિ વર્ધનમ ્ ! ઉર્વાર ુકમિવ બંધના મૃત્યુમુક્ષીયમામૃતાત્ પાકેલું ઉમરાનું ફળ જેમ વૃક્ષ પરથી ખરી પડે એમ તેમન દેહ સરી પડયો. વૈદિક ઋષિ આને મૃત્યુના બંધનમાંથી મુકિત કહે છે. કારણ કે મૃત્યુનું બંધન એ જડતાનું, સ્થગિત જીવનરસનું બંધન છે. તેમાં નથી કશી સુગંધ, નથી કશું પાષણ. જીવનનું ફળ જ્યારે પરિપકવ રસથી લચી પડતું હોય ત્યારે કશી વળગણ વિના વિદાય લઈએ એ તે સાર્થંકતા. આવું મૃત્યુ, મૃત્યુ નથી. ઘણીવાર તા જીવતાં જ મૃત્યુના બંધનમાં પડેલા માણસને આપણે જોઈએ છીએ. એની પાસે નથી લાગણીની તાજગી, નથી નવા વિચારની શકિત. આવી વ્યકિતને મળીએ ત્યારે થાય કે મૃત્યુનો કોહવાટ શરૂ થઈ ગયું છે. મૃત્યુંજય મંત્ર કહે છે તેમ મૃત્યુ એટલે દુર્ગંધ, હ્રાસ; જીવન એટલે સુગંધ, પુષ્ટિ. પરમાનંદભાઈની જીવન-ઉપાસના આમ અંત સુધી સુગંધ વેરતી, પુષ્ટિ પ્રસારતી આત્મવાન હતી.
60
તા. ૧૬-૫-૭૧
પ્રદાન તો પ્રતિવર્ષે યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળા છે. પર્યુષણ નિમિત્તે મુંબઈમાં આઠ દિવસ સુધી પ્રવર્તમાન યુગની સમસ્યાઓ ઉપરાંત જીવન, ધર્મ, કલા જેવા સનાતન વિષયો પરના પ્રવચને, વ્યાખ્યાન યોજવાની તંદુરસ્ત પ્રણાલિકા પાડી જ્ઞાનયજ્ઞની નવી કેડી પાડી આપી છે. આ વ્યાખ્યાનમાળામાં બીનસાંપ્રદાયિકતાનું પરમ દર્શન થઇ રહે છે એનું અનુસરણ અમદાવાદ અને બીજે પણ યુવક સંઘા કરી રહ્યાં છે. પરમાનંદભાઈએ શરૂ કરેલી આ વ્યાખ્યાનમાળા ચાલુ રાખવા જેવી છે. સમાજની બૌદ્ધિક જાગૃતિ માટે આની આજના તબકકે તો વિશેષ જરૂર છે.
‘પ્રબુદ્ધ જીવન’ એ પરમાનંદભાઈનું પાક્ષિક હતું. તેમના વિચારો, ચિન્તન, અધ્યયન અને જીવનસાધનાનું મુખપત્ર હતું. બીજાં કેટલાંક વિચારપત્રની પેઠે પરમાનંદભાઈએ પ્રબુદ્ધ જીવન દ્વારા સમાજની ગણનાપાત્ર સેવા કરી છે. અનેકવિધ વિષયોમાં વાચકોને વિચાર કરતા કર્યાં છે. તેમણે આજીવન બૌદ્ધક સાહિત્યના પ્રસન્નમધુર રસાનુભવ કરાવ્યા છે. એ મારા જેવા અનેક ‘સંત્સંગીઓ'ને યાદગાર બની રહેશે.
પરમાનંદભાઈ ગયા પણ જીવનસુગંધ મૂકતા ગયા. એ પ્રબુદ્ધ આત્માને વંદન કર્યા સિવાય રહી શકતા નથી,
પિતાંબર પટેલ
*
મૃત્યુંજય મંત્રનું એક બીજી રીતે પણ સ્મરણ થાય છે. પરમાનંદભાઈ સાથે જયારે જયારે વાતા થતી ત્યારે જ્ઞાનશકિતના પ્રદેશ ઊંઘડતા જતા. ગોંડલમાં અમે ચાર-પાંચ કલાક નિરાંતે વાતો કરી
ત્યારે બુદ્ધિ અને અંત જ્ઞાના સંબંધ વિષે ઘણી વાત થઈ હતી. તપ્રજ્ઞા એ બુદ્ધિની વિરોધી નથી પણ એની પૂરક છે, એની અત્યંત સૂક્ષ્મ પરિણતિ છે એ તે સ્વીકારતા. પણ બુદ્ધિને પ્રકાશિત કરતી પ્રક્રિયા સમજ્યા વિના આપણે ત્યાં એના જે રૂઢ સ્વીકાર થાય છે એથી એ વ્યથિત પણ હતા. પેાતાની અંદર તેમની આ મથામણ ચાલુ હતી; જ્ઞાનના અધિષ્ઠાતા–ત્રિનેત્ર શિવનું યજન તેમના અંતરમાં ચાલ્યા કરતું હતું. જીવનમાં કઈ સિદ્ધિ મેળવ્યાને તેમના દાવા નહોતા. અને છતાં તેમના અંતર્યામી તેમને વિશાળથી વધુ વિશાળ ક્ષેત્રામાં દોરી જતા હતા. ‘પ્રબુદ્ધ જૈન’નું ‘પ્રબુદ્ધ જીવન’ માં રૂપાન્તર એ પરમાનંદભાઈની આંતર-ઉપાસનાનું જ બાહ્ય પ્રતીક હતું.
છેલ્લી માંદગી પછી તે પરમાનંદભાઈની ભીતરની ખાજ વધુ તીવ્ર બની હતી. આખું જીવન પ્રવૃત્તિમાં ગાળેલું તેથી બહારની પ્રવૃતિની ખોટ તેમને વરતાતી. એ માટે બેચેન પણ બની જતા. અને છતાં અંદર ડૂબકી મારવાના આ અવસર એળે ન જાય એ માટે તેઓ તત્પર હતા. માણસ કેટકેટલા મંથનમાંથી પસાર થઈ રહ્યો છે એ બીજું કોણ કહી શકે? વાતચીતમાંથી કર્યોક એના ઈશારા મળી રહે એટલું જ. પરમાનંદભાઈનું જીવનફળ બહારની ડાળીના અવલંબનમાંથી મુકત થઈ અંદરના મૃતબીજમાં નિમગ્ન થતું આવતું હતું.
મૃત્યુંજય મંત્રમાં જે જીવનનું દર્શન સમાયું છે તે પરમાનંદભાઈના મૃત્યુ પ્રસંગે અત્યંત સ્પષ્ટ બની ગયું. તેમણે કેટકેટલા સાથીઓ અને સ્નેહીઓને નર્યા સ્નેહના અમૃતબંધનથી સાંકળી લીધા હતા ? ‘સુગન્ધિ પુષ્ટિવર્ધનમ્ ’અંતરની સુવાસ અને સમૃદ્ધિ વધારતા જવામાં તેમને જીવનદેવતા કદી કૃપણ નહોતા બન્યો. પેાતાના મંતવ્યો નિર્ભયપણે ઘણા મૂકી શકેછે પણ એની સાથે ભારોભાર નમ્રતા રાખવી મુશ્કેલ છે. અંતરની કોઈ રસથી સભર સમૃદ્ધિ વિના આ બનતું નથી. પરમાત્માએ તેમને આપણી વચ્ચેથી એકાએક ઉપાડી લીધા. ઉંમરાના ફળની જેમ એ બંધનમુકત બની ગયા અને આપણા હાથમાં પેલા અમૃતબીજથી કાયમનો નાતો જેડતા ગયા. મકરન્દ દવે