________________
. પ્રબુદ્ધ જીવન
તા. ૧૫-૧૭
શ્રી શાન્તિલાલ હ. શાહ તથા ભાનુશંકર યાજ્ઞિકના સન્માનાથે યોજાયેલું સ્નેહ સંમેલન છે . ગયા એપ્રિલ માસની ૧૭મી તારીખ અને સોમવારના રોજ ધી ગ્રેન, રાઈસ ઍન્ડ ઑઈલ સીડઝ મરચન્ટસ એસોસીએશનના હલમાં, શ્રી શાંતિલાલ હ. શાહ દિલ્હીની જોકસભામાં ચૂંટાયા અને શ્રી ભાનુશંકર યાજ્ઞિક મહારાષ્ટ્રની વિધાનસભામાં ચૂંટાયા અને મહારાષ્ટ્ર રાજયના પ્રધાનમંડળમાં નિમાયા--આ અંગે તે બન્ને વ્યકિતવિશેષનું સન્માન કરવાના આશયથી શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે એક સ્નેહસંમેલન યોજવામાં આવ્યું હતું. પ્રારંભમાં સંઘના ઉપપ્રમુખ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાએ શ્રી શાંતિલાલભાઈને તથા શ્રી ભાનુશંકરભાઈને આવકાર આપતાં બન્નેની આજ સુધીની અનેક સેવાક્ષેત્રોને સ્પર્શતી ઉજજવલ જીવનકારકીર્દીને વિગતવાર પરિચય આપ્યો હતો અને પોતાના વકતવ્યના અંતમાં, જયારે રાજયવહીવટના બહોળા અનુભવ સાથે શ્રી શાંતિભાઈ લકસભામાં ગયા છે અને દેશનું ભાવિ ઘડતા રાજકારણી આગેવાનના સીધા સંપર્કમાં આવવાને તેમને સુગ સાંપડે છે ત્યારે, તેઓ આ પ્રસંગે ઉપસ્થિત ભાઈ - બહેનોને આજની રાજદ્વારી પરિસ્થિતિ અંગે માર્ગદર્શન આપે એ શાન્તિલાલ શાહને અનુરોધ કર્યો હતો.
ત્યાર બાદ સંઘના કોષાધ્યાક્ષ શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારીએ - બન્ને સન્માનિત બંધુઓને ભાવભરી અંજલિ આપતાં તે પ્રત્યેકની સાથેનાં પિતાનાં મીઠાં અંગત સંબંધને ખ્યાલ આપ્યો હતો. શ્રી. ચંપકભાઈ મહેતાએ પ્રસ્તુત સન્માનકાર્યમાં પોતાને સુર પૂરાવતાં ભાવભર્યા ઉદ્ગારો રજૂ કર્યા હતા. સંઘના મંત્રી શ્રી ચીમનલાલ જેઠાલાલ શાહે વિનદાત્મક કટાક્ષ વડે પિતાના વિચારો રજૂ કરતાં સભાના ગંભીર વાતાવરણને જરા હળવું બનાવ્યું હતું. પછી સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે આગળનાં વિવેચનને ઉપસંહાર કરતાં જણાવ્યું હતું કે, “શ્રી શાંતિભાઈ મારા વર્ષોજૂના મિત્ર અને સાથી છે; અનેક બાબતમાં અમારું સહચિંતન ચાલે છે અને એક યા બીજી બાબતમાં અમે સંમત હોઈએ કે ન હોઈએ—એકમેક પ્રત્યે આદર એકસરખો કાયમ રહ્યો છે. શ્રી. શાન્તિભાઈ મુંબઈની પચરંગી સંસ્કૃતિના પ્રતિનિધિ સમા મુંબઈગરા માનવી છે. આપણા આજના બીજા મહેમાન શ્રી ભાનુભાઈ આપણ સર્વને સુપરિચિત છે અને તેમની આજુધીની સેવાના કારણે તેને આપણા આદરના અધિકારી બન્યા છે. તેમની પાસે નશાબંધીની જબ્બર જવાબદારી આવી છે. ગમે તેવા વિપરીત સંયોગોમાં પણ એમણે આ અનિષ્ટને દાબી દેવા માટે–નિર્મૂળ કરવા માટે–દઢતાપૂર્વક લડવાનું છે. તેમના આ કાર્યને હું અત:કરણપૂર્વક સફળતા ઈચ્છું છું.” ત્યાર બાદ આવું સંમેલન યોજવા માટે સંઘને આભાર માનતાં શ્રી શાન્તિલાલ શાહે આજની પરિસ્થિતિની એક ઉડતી આલેચના કરી હતી. (જો આ અંકમાં અન્યત્ર આપવામાં આવેલ છે.) અને શ્રી ભાનુશંકર યાજ્ઞિકે શ્રી મુંબઈ જૈન યુવક સંઘની કાર્યવાહી ઉપરથી પોતે કેવી પ્રેરણા મેળવી હતી તેને લગતાં કેટલાંક સ્મરણે રજૂ કર્યા હતા અને આગળ બોલતાં જણાવ્યું હતું કે “કેમાં હજુ લોકશાહી માટે આવશ્યક એવી જાગૃતિ આવી નથી. પરિણામે ચૂંટણીમાં ઉલટાં સુલટાં પરિણામ આવે છે. મતદારોની સમજણની અપરિપકવતાની એ નિશાની છે. આગેવામાં પણ વિચાર અને વાણીમાં આસમાન જમીનને ફરક છે. પરિણામે આમજનતા ઉપર તેમને પ્રભાવ પડતું નથી.” નશાબંધીની જે ઉપેક્ષા થાય છે તેને ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે “આજે આપણે ત્યાં સારા અને સાચા આગેવાને નથી એ જ એનું કારણ છે. ઢોંગી વૃત્તિના કારણે લોકોની શ્રદ્ધા ખૂટી ગઈ છે. આપણે
શ્રી શાન્તિલાલ હ. શાહ સભાને સંબોધી રહ્યા છે. સમાજના હિત ખાતર આજની નેતાગીરીના સ્થાને વધારે પ્રભાવશાળી સામુદાયિક નેતાગીરી ઊભી કરવી પડશે.”
ત્યારબાદ સંઘના અન્ય મંત્રી શ્રી સુબોધભાઈ શાહે અતિશય રોકાણવાળા એવા આજના બન્ને મહેમાન સંઘના નિમંત્રણને માન આપી અહિ આવ્યા અને સંઘના સભ્ય પ્રત્યે આવી આત્મીયતા દાખવી એ માટે તેમને આભાર માન્યો હતે. સંઘના પ્રમુખે ફલહાર વડે બન્ને સન્માનિત મહાશયનું સવિશેષ સન્માન કર્યું, અને અલ્પાહાર બાદ સંઘસંમેલન વિસજિત કરવામાં આવ્યું. અદ્યતન પરિસ્થિતિ અંગે ઉડતું વિહંગાવલોકન
(તા. ૧૭-૪-૬૭ સોમવારના રોજ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી યોજાયેલા સ્નેહસંમેલનમાં શ્રી. શાન્તિલાલ શાહે કરેલી અદ્યતન પરિસ્થિતિલક્ષી આલોચના)
દર વખતે જે ચૂંટણી થાય છે એ કરતાં આ વખતની સાર્વત્રિક ચૂંટણીઓ જુદા જ પ્રકારની હતી. મતદારોને મીજાજ પણ જુદી જાતને દેખાય. એમાં એક વસ્તુ એ દેખાઈ કે હું સંસદની બેઠક પર ઊભેલા, પણ કોઈએ મને વિયેટનામ વિશે ન પૂછયું, તેમ ન પૂછયું અવમૂલ્યન વિષે. જયાં જયાં હું ગયો ત્યાં લેક પાણી, રસ્તાઓ વગેરે સ્થાનિક અને રેજ-બ-રોજની સસ્મયાઓ વિષે જ પ્રશ્ન પૂછતા અને ચર્ચા ચાલતી. ખરી રીતે આ સમસ્યાઓ ઉકેલવાનું કામ સુધરાઈ સભ્યનું છે. આ બધું જોતાં એમ લાગે કે મતદારની જાગૃતિનું ધારણ ની છે. મોંઘવારી અંગે અથવા દેશની અર્થનીતિ કે ફુગાવા અંગે કોઈને પ્રશ્ન છેડયા જ નહિ. - બીજી એક વાત મેં એ જોઈ કે હવે લોકો ઉપર “અમે જેલમાં ગયેલા” એવી કોઈ વાતની અસર થતી નથી. હવે જે પેઢી આવી છે એને ગાંધીજી કે આઝાદીની લડતની કાંઈ માહિતી જ નથી. થોડા દિવસ પહેલા હું દિલ્હી જતો હતો. મારી સાથે ગાડીમાં વડોદરાના એક અગ્રગણ્ય નેતાનાં પુત્રવધૂ હતાં. એમની સાથે સરદારના સમયની વાતે નીકળી. એમણે બાળાસાહેબ ખેર કે નરીમાનનું નામ સાંભળેલું નહિ, એ વખતે જે વિરોધ-વાવંટોળ વચ્ચે સરદારસાહેબે જે કુનેહથી કામ પાર પાડેલું એ પ્રસંગેની આ બહેનને કાંઈ ખબર જ નહોતી. હમણાં નવી દિલ્હીમાં ઈન્દુકની કચેરીના એક જુવાન કાર્યકરને મેં કાંઈ નોંધ લેવા બેલા. એને મેં ગિરમિટીયા મજુર વિષે લખાવ્યું. પણ એ વળી કેવા મજૂર એની વિમાસણમાં એ પડશે. આફ્રિકામાં ગાંધીજીએ સત્યાગ્રહની ચળવળ શરૂ કરી તેમાં ગિરમિટીયા મજૂરોએ ભજવેલા ભાગ વિષે એને કશી ખબર નહોતી. ગાંધીજીએ કે સરદારે શું કર્યું હતું એની નવી પેઢીને ખબર નથી. આઝાદીની વાતની એટલે જ કોઈના ઉપર છાપ પડતી નથી. મને લાગે છે