________________
૯૪
પ્રબુદ્ધ જીવન
એમણે જ મને વ્યાપાર ઉદ્યોગની વિશેષ કેળવણી લેવા માટે અમેરિકા મેકલેલા. ત્યાંના બે વરસના વસવાટના કારણે મારા દ્રષ્ટિબિંદુમાં અને કાર્યપદ્ધિતિમાં મહત્ત્વના ફેરફાર થયા. આ ઉપરાંત ૧૯૨૩ તથા ૧૯૨૪ એમ બે સાલ વડોદરા મહારાજાના અંગત મંત્રી તરીકે યુરોપમાં મહારાજાના હાથ નીચે કામ કરવાની મને તક મળી. એ બે વર્ષના અનુભવ પણ મારા ઘડતરમાં બહુ ઉપકારક નિવડયા. વડોદરા રાજયની મારી સમગ્ર કામગીરી પાછળ મથી વિચારી રાખેલા નીચેના ચાર સિદ્ધાંતો મને દોરી રહ્યા હતા. (ક) મારા કામ માટે– I am a daily wage—earner~હું એક રોજી ંદો નોકર છું– આવી મારી ભાવના રહેતી. આનો અર્થ એ કે મને દરરોજનું વેતન મળે છે અને તેથી આજનું કામ મારે આજે સારી રીતે પૂરું કરવું જ જોઈએ– આવી નિષ્ઠાથી હું કામ કર અને તેથી મારા કામમાં arrears જેવું—ચઢેલા કામ જેવું—કદિ રહેતું નહિ. આજનું કામ આજે જ મારે પૂરું કરવું જોઈએ-એ સિવાય મને ચેન જ ન પડે—આવા મારા સ્વભાવ અને આવી મારી નિષ્ઠા મારા કામને અંગે રહેતી.
(ખ) મારા ભાગે જે કાંઈ કામ આવતું તે પૂરી ખંત અને ઉદ્યમથી કરતો અને તેથી હું પૂરા સંતોષ અનુભવતો. ખટપટ કરીને આગળ વધવાના કે ઊંચા હોદ્દા પર ચઢવાનો કોઈ વખત વિચાર પણ ન આવતે.
(ગ) જે કામને અંગે જે પગાર મળે તેથી પૂરો સંતોષ અનુભવતો. મને વધારે આર્થિક વળતર મળે એવી ઝંખના કદિ પણ મારા ચિત્તને સ્પર્શી નહોતી.
(ઘ) જે વિષયનું કામ આપવામાં આવે તે વિષયનો હૂં પૂરો અભ્યાસ કરો અને તેમાં પૂરી કુશળતા મેળવવા પ્રયત્ન કરતો. પરિણામે કોઈ પણ કામ routine તરીકે જેમ ચાલે છે તેમ પૂરૂં કરી નાખવાનું છે એ રીતે—કદિ પણ પતાવવાની વૃત્તિ રહેતી નહિ, એમાં સુધારો કેમ થાય એ જ ભાવના મનમાં હંમેશાં રહેતી.
આ ચાર કારણેાને લીધે મારા કામમાં મને સદા ઉત્સાહ અને ઉમંગ રહ્યો છે અને સંપૂર્ણ efficiencyવ્યવસ્થિતતા—રહી છે. અને દરેક કામમાં મને સફળતા મળતી રહી છે. વળી, જીવનમાં ઉત્તરોના વધી જતી જવાબદારીનાં કામે એમ જ - વણમાગ્યાંવણશેાધ્યાં - આવતાં જ રહ્યાં છે અને એક કામ પૂરુ થવાની અણી ઉપર હોય ત્યાં કલ્પનામાં પણ ન હોય એ રીતે વધારે ગંભીર જવાબદારીનું બીજું કામ સામે આવીને ઊભું રહ્યું છે. દાખલા તરીકે ૧૯૩૬ના છેવટના ભાગમાં, જ્યારે હું વડોદરા રાજ્યના development minister તરીકે કામ કરતા હતા તે દરમિયાન, હિંદી સરકારે વડોદરા રાજ્યને જણાવ્યું કે તેમને વિચાર રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર તરીકે મારી નિમણૂંક કરવાના છે તે તે માટે મને વડોદરા રાજયથી છૂટો કરવામાં આવે. હિંદી સરકારના આ ઈરાદા પાછળ કોઈ પણ જાતની લાગવગ વાપરવામાં આવી નહોતી—સિવાય કે એ જગ્યા માટે કેટલાક મિત્રએ માર નામ સૂચવ્યું હતું અને તે માટે બીજા પણ કેટલાક ઉમેદવારો હતા, જેમાંથી હિંદી સરકારે મારી પસંદગી કરી હતી. વડોદરાના મહારાજા મને છેડવાને કોઈ પણ રીતે રાજી નહોતા, પણ સાધારણ રીતે હિંદી સરકાર દેશી રાજ્યોને જરૂર પડે ત્યારે અમલદારો પૂરા પાડતી હતી. આ ચાલુ રવૈયા હતા. આ પ્રસંગે હિંદી સરકાર દેશી રાજય પાસે એક અમલદારની માગણી કરતી હતી અને રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નરની જવાબદારી લેવા માટે મને છૂટો કરવા એમાં વડોદરા રાજયનું ગૌરવ હતું એમ સમજીને મહારાજાએ મને ત્યાં જવાની મંજૂરી આપી.
આવી જ રીતે ડેપ્યુટી ગવર્નર માટેની પાંચ વર્ષની મુદત પૂરી થવા આવી એટલામાં જ સાસાયટી એફ એગ્રીકલ્ચરલ ઈકોનોમિકસના પ્રમુખની જવાબદારી માથા ઉપર આવી અને તે કામને— તે સાસાયટીના કાર્યને નક્કર રૂપ આપવા પાછળ ૧૮ વર્ષ મે
પસાર કર્યાં.
તા. ૧૯-૬
આવી રીતે મારુ જીવન શાંત રીતે અને સ્વસ્થ ભાવે વહેતી જતી એક સરિતા જેવું એકસરખું વહી રહ્યું છે. આજે પણ ભૂતકાળ ઉપર નજર દોડાવતાં ચિત્ત સંતોષ અને પ્રસન્નતાની લાગણી અનુભવે છે. થોડા વખત ઉપર મેં આવા જ ભાવ વ્યકત કરતાં જણાવેલું કે, Life has flown like a song and there is no regretજીવન સંગીતના એક લય માફક વહેતું રહ્યું છે અને તે વિષે મનમાં કોઈ ખેદ કે ખટકો નથી. હવે પછીના ભવિષ્ય માટે મેં મનમાં આ એક સૂત્ર કોરી રાખ્યું છે: “What thou livest, live well, how long or short, leave it to heaven," “તું જેટલું જીવે તે સારી રીતે જીવી જાણ, લાંબું કે ટુંકું એ ઈશ્વર ઉપર છેડી દે.”
મારા
છેવટમાં આપના મુંબઈ જૈન યુવક સંઘના, આ રીતે આપ સર્વને પ્રત્યક્ષ મળવાનો અવસર ઊભેટ કરવા બદલ, ફરીથી હું આભાર માનું છું. આ સંઘ સાથે મારો સંબંધ ૧૯૩૩ - ૩૪ની સાલથી શરૂ થયો છે અને આજ સુધી કાયમ રહ્યો છે. સંઘ તરફથી બહાર પડતું પ્રબુદ્ધ જીવન હું વર્ષોથી નિયમિત રીતે વાંચતા રહ્યો છું અને તેમાંના ઘણાં લખાણે! મારા માટે પ્રેરણાદાયી બન્યાં છે. આ સંઘના સદા ઉત્કર્ષ થતા રહે એવી મારી પ્રાર્થના છે.
સ્વ. શેઠ અબાલાલ સારાભાઈ થોડાંક સ્મરણા
મને એમના પરિચય પ્રથમ સને ૧૯૧૫માં જી. આઈ. પી. રેલ્વેના કર્મચારીઓની હડતાલ વખતે થયે હતે.. હું કર્મચ રી માટે ફંડના પૈસા ઉઘરાવતા હતા અને એક મિત્ર મારફત એમને સંદેશા મેકલ્યો. એની અગાઉ એએ મને એળખતા ન હત:, છતાં રૂા. ૨૫૦ નો ચેક મોકલી આપ્યા.
પછી સને ૧૯૨૧ માં વિલાયતી સૂતરની પેઢીના સેલ્સમેન તરીકે મેં તેમની મુલાકાત લીધી હતી અને એમણે મને એક લાખ રતલ સૂતરના Open order આપ્યા હતા અને જે ભાવ હું ભરું તે ભાવે લેવાનું કબૂલ કર્યું હતું. આ વખતે પણ એમને અને મને ખાસ ઓળખાણ ન હતી અને સને ૧૯૧૫ ની વાત તો એ વખતે ભૂલી પણ ગયા હશે.
આ બે પ્રસંગેાએ એમણે મારા ઉપર સુંદર છપ પડી હતી. પછી સને ૧૯૩૫માં એમની લંડનની પેઢીના મેનેજર તરીકે એમણે મને પસંદ કર્યો અને તે અંગે મારે એમની જોડે નિકટ પરિચય થયા. પહેલાં અમદાવાદમાં અને પછી કલકત્તામાં એમના હાથ નીચે મેં કામ કર્યું. એઓ બાહોશ અને પ્રમાણિક ધંધાદારી હતા એ હું ઘણાં વર્ષથી જાણતા હતા. પણ મને જેથી મુગ્ધ કર્યો તે તો એમનું સૌજન્ય અને વિવેકી આચરણ હતાં. તેન. દાખલા આપું.
કલકત્તામાં એએ રહેતા ત્યાં અમારી ઍફિસ પણ હતી. અને હું ત્યાં જતા. ત્યાં અમારા એરડાએ લગભગ સે ફ્રૂટ દૂર હતા. પણ જયારે જ્યારે મને બેલાવવે હેય ત્યારે ત્યારે સિપાઈ અથવા કારકુન દ્વારા મને બોલાવવાને બદલે મારા ટેબલ આગળ આવીને કહેતા: “Mr. Divanji, may I have a few moments with you ?” “દીવાનજી, જરાક મારી પ.સે આવશે?” અને હું એમના ઓરડામાં જતે.
શ્રી બીરલાએ કલકત્તામાં એમને પોતાની બે મેટર વાપરવા આપવાની Offer કરેલી ઈચ્છા દર્શાવેલી, પણ એમણે બે ટેક્ષી રાતદિવસની ભાડે રાખી અને એ દરમ્યાન પેતાની બુક ગાડી ઠેઠ અમદાવાદથી મંગાવી, મેં એમને પૂછ્યું, “શા માટે બીરલા-શેઠની ગાડી છે, છતાં અમદાવાદથી ગાડી મંગાવા છે?” એટલે એમણે કહ્યું: “દીવાનજી, બનતાં સુધી કોઈના ઉપકાર નીચે જવું નહીં.”
એકવાર મા ત્રણ--શેઠ, એમના અંગત ડૅાકટર ને હું–એક ઠેકાણે કોઈને મળવા ગયા. ત્યાંથી ડૉક્ટર પાછા ના આવ્યા અને