SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ પ્રમુખું જીવન સમાસ કહીએ. તે જીવનવિજ્ઞાનના મત અનુસાર જગતમાં મોટા ભાગનાં સત્ત્વા એકિલગી હાવા છતાં કેટલાંક સત્વો ઉભયલિંગી છે. આ દ્ગિલિંગી અથવા ઉભયલિંગી સત્વોને અંગ્રેજીમાં Bi-sexual કહેવામાં આવે . છે. તેમને જ ગ્રીક ભાષામાં હમે ફ઼ોડાઈટ કહેવામાં આવતાં હતાં. હું ફોડાઈટ શબ્દ હર્પીસ અને ઍફોડાઈટ એવા બે શબ્દોમાંથી નિષ્પન્ન થયેલા છે. આમાં હર્પીસ પુરુષતત્ત્વ છે અને ઍફ઼ોડાઈ. ( જે ગ્રીક સાહિત્યની દેવી રતિ અથવા વિનસનું જ બીજું નામ હતું તે) ચીતત્ત્વ છે. આપણી અર્ધનારીશ્વરની કલ્પના અને ગ્રીક સાહિત્યની હમે ટ્રોડાઈટની કલ્પના એક જ વાતના નિર્દેશ કરે છે. કોઈ પણ એક જ વ્યકિતગત જંતુમાં બંને લિંગાનાં લક્ષણો એકીસાથે રહ્યાં હોય અને જેને વંશવસ્તાર બે વ્યકિતના મિથુન દ્રારા નહિ થતા હોય તેવા જંતુને દ્ગિલિંગી અથવા હમેં ફ઼ોડાઈટ કહેવામાં આવે છે. આવાં સત્ત્વા પેાતાના સ્વરૂપના બે વિભાગો કરીને પોતાના વંશ ચાલુ રાખે છે. આ પતિને દ્ધિવિભાજન પદ્ધતિ કહેવામાં આવે છે. આવાં ઍમિબા, બૅકટિરિયા વગેરે સત્ત્વો એટલાં સૂક્ષ્મ છે કે તેમની જીવનચર્યા જોવા અને સમ જવા માટે માઈક્રોસ્કોપનો ઉપયોગ કરવા પડે છે. જીવવિજ્ઞાન આપણને કહે છે કે જે વિકસિત જીવયેનિઓ છે તેમાં તે બે લિંગા છૂટાં પડી ગયેલાં હોય છે, પરંતુ આરંભ દાના જીવનની ભૂમિકા પરની જીવયોનિએમાં આવું દ્ગિલિંગિત્વ જોવા મળે છે. હવે પ્રશ્ન એ છે કે આવી ટ્રિલિંગી જાતિઓ મૈથુની સૃષ્ટિની સર્વવ્યાપકતાના સિદ્ધાંતના અપવાદરૂપ છે? એ વાત તા સર્વસ્વીકૃત છે કે ટ્રિલિંગી જાતિઓમાં પણ બંને લિંગાનાં શારીરિક લક્ષણા તે છે જ. માત્ર એ બંને પ્રકારનાં લક્ષણો એક જ વ્યકિતમાં સાથે હોય છે એટલા જ તફાવત ટ્રિલિંગી અને એકલિંગી જીવનયાનિઓ વચ્ચે છે. જેમ વનસ્પતિઓમમાં એક જ ફૂલમાં પુંકેસર અને સ્ત્રીકેસર બંને સાથે હોય છે અને તેમની અંદર પણ સ્વયંલીકરણની પદ્ધતિ વડે બીજરૂપ સંતાનની ઉત્પત્તિ થતી જોવામાં આવે છે તેના જેવું જ આ છે. એનું કારણ તે એ છે કે જીવન જ્યારે આરંભદશાનું હોય છે ત્યારે એણે ગ્રહણ કરેલા સ્કૂલ શરીરમાં વિશેષીકરણ (સ્પેશિયલાઈઝેશન) ન થયું હોવાને કારણે બે લિંગાનું વિભાજન થયેલું હોતું નથી. પરંતુ એનો અર્થ કંઈ એમ નથી થતો કે ત્યાં મૈથુની સૃષ્ટિ પણ નથી. જો બંને લિંગનાં લક્ષણા હાજર હોય તો પછી બંને લિંગા તે ત્યાં છે જ અને એ બેની વચ્ચેના સંબંધ એક જ વ્યકિતગત સત્ત્વમાં થતા હોય, કે બે જુદાં વ્યકિતગત સત્ત્વો વચ્ચે થતો હોય એ તે માત્ર વિગતેના જ તફાવત છે. મૂળ સિદ્ધાંતમાં એનાથી કશે! બાધ આવતો નથી. આના જેવું જ એક બીજું પણ ઉદાહરણ છે અને તે છે ઈંદ્રિયગોલકોનું વિશેષીકરણ. વનસ્પતિ-જાતિઓમાં પ્રાણીજાતિઓનાં જેવાં વિશેષિત (સ્પેશિયલાઈઝડ) ઈંદ્રિયગાલકો નથી, કેમ કે તેમનામાં ઈડિયાનું જોવા, સાંભળવા વગેરે શકિતઓનું વિશેષીકરણ થયું નથી, એટલે કે જેમ પ્રાણીઓ માત્ર આંખ વડે જ જુએ, કાન વડે જ સાંભળે ઈત્યાદિ તેવું વનસ્પતિઓમાં નથી. પરંતુ તેથી કંઈ એમ નથી ઠરતું કે વનસ્પતિઓમાં જોવા-સાંભળવા વગેરેની શકિત નથી. તેઓ પણ જુએ અને સાંભળે તો છે જ, પરંતુ તેમના આખા શરીર દ્રારા તેઓ આ કાર્યો કરે છે, કેમ કે તેમનામાં વિશેષિત ઈંદ્રિયગેાલકો ન હોઈ, એ શકિત તેમના આખા સ્વરૂપમાં સર્વત્ર જ વ્યાપક છે. આ સમીક્ષા પરથી આપણે એવા નિર્ણય પર આવી શકીએ છીએ કે આખા જગતમાં સર્વત્ર મૈથુની સૃષ્ટિ જ છે અને એન કોઈ પણ અપવાદ હજી સુધી આપણી જાણમાં નથી. ઉપરાંત, જીવનની આરભદશામાં અવિભાજિત લિંગાની જે પરિસ્થિતિ હતી તેનાં લક્ષણા લિગેાનું વિશેષીકરણ અને વિભાજન થયાં છતાં હજી બાકી રહી ગયાં છે, અને તેથી દરેક સ્ત્રીસત્ત્વમાં અંદર પુરુષતત્ત્વ અને દરેક પુરુષસત્ત્વમાં અંદર સ્ત્રીતત્ત્વ આપણને માલૂમ પડે છે. આ ઊલટું તત્ત્વ કંઈ માત્ર એક સિદ્ધાંત તરીકે જ દરેકની અંદર રહેલું નથી, પણ આપણને ન જણાય એવી રીતે સક્રિય છે. એ નિષ્પ્રભાવી છે એમ આપણે કહીએ છીએ પણ એનો અર્થ એમ નથી કે એ નિષ્ક્રિય પડેલું છે. દરેક પુ૨૫માં સ્ત્રીના શારીરિક તેમ જ તા. ૧૬-૮-૧૯૭ માનસિક લક્ષણો અને દરેક સ્ત્રીમાં પુરુષનાં શારીરિક તેમ જ માનસિક લક્ષણોનું જે કંઈ થોડુંઘણું પ્રાકટય આપણને જોવા મળે છે, તે આ ‘નિષ્પ્રભાવી’ લેખાતા તત્ત્વને જ આભારી છે. કેટલીક સ્ત્રીઓમાં પુરુષના જેવા દાઢી અને મૂછના આછા વાળ, કર્કશ ઘાંટા વગેરે અને કેટલાક પુરુષોમાં સ્ત્રીઓનાં જેવાં વૃદ્ધિ પામેલાં સ્તનો, તીણે અવાજ વગે૨ે જે જોવા મળે છે તે આનાં જ ઉદાહરણો છે. આ શારીરિક લક્ષણ ઉપરાંત માનસિક લક્ષણા પણ સ્ત્રીનાં પુરુષમાં અને પુરુષનાં સ્ત્રીમાં ઘણી વખત જણાય છે. આપણે જેને પુરુષમાં બાયલાપણું અને સ્ત્રીમાં ‘અમ ઝાન’પણુ (રાઠોડીપણુ’, હિડિંબાપણું) કહીએ છીએ તે આ માનસિક લક્ષણોના ઊલટાટૂલટાપણાનાં ઉદાહરણ છે. આનાથી પણ એક પગલું આગળ વધીને આપણે એમ કહી શકીએ કે દરેક પુરુષ માત્ર બહાર જ પુરુષ છે, પણ અંદર તેા શારિરિક અને માનસિક બંને રૂપે સ્ત્રી જ છે, અને દરેક સ્ત્રી માત્ર બહાર જ સ્ત્રી છે, પણ અંદર શારીરિક અને માનસિક બંને રૂપે પુરુષ છે. આવું વિધાન સહેલાઈથી કોઈને ગળે ઊતરે તેવું નથી, પગ સત્ય છે. અને ‘અર્ધનારીશ્વર’ આપણને આ જ સત્ય બતાવનારું એક રહસ્યમય પ્રતીક છે. સામાન્યપણે શિવ જ અર્ધનારીશ્વર તરીકે ઓળખાય છે, પણ રાધા અને કૃષ્ણનું યુગલ પણ ઘણી વખત કલાકારો વડે લગભગ શિવપાર્વતીના યુગલ જેવું જ આલેખવામાં આવે છે. વળી, પેલા ભજનમાં, રાધા જ્યારે કૃષ્ણને કહે છે કે, જો હું કૃષ્ણ બનું અને તું રાધા બને... ત્યારે અજાણપણે આ જ સત્ય એ શબ્દોમાં વણાઈ ગયેલું આપણને દેખાય છે. અને એ સત્ય પરથી બીજું સત્ય એ ફલિત થાય છે કે કોઈ પણ સત્ત્વ સંપૂર્ણપણે પુરુષ નથી અથવા સંપૂર્ણપણે સ્ત્રી પણ નથી, પરંતુ હંમેશ ન્યૂનાધિક અંશે બંનેનું મિશ્રાણ જ હોય છે. વેદ અને ઉપનિષદ્ આ વાત દર્શાવતાં આપણી સમક્ષ એકબીજાથી તદ્દન ઊલટાંસૂલટાં બે વિધાના મૂકે છે, તેમાંનું એક છે: * त्वं स्त्री त्वं पुमानसि त्वं कुमार ऊत वा कुमारी ‘શું સ્ત્રી છે, તું પુરુષ છે, તું કુમાર છે અને તું જ કન્યા છે.’ અને બીજું છે: नैव स्त्री न पुमानेष्य न चैवायं नपुसंकः । यद् यच्छरीरमायुत्ते तेन तेन स युज्यते ।। —‘એ (આત્મા) શ્રી પણ નથી અને પુરુષ પણ નથી અને નપુંસક પણ નથી, એ જે જે શરીરને ગ્રહણ કરે છે તેની તેની સાથે જોડાય છે.’ અલબત્ત, એ શક્યતા તો છે જ કે જગતમાં મૈથુની સૃષ્ટિના આરંભ થયો ત્યાર પહેલાં કદાચ કોઈ બીજા જ પ્રકારની કે પ્રકારોની સૃષ્ટિ હોય. અને આપણા પ્રાચીન પુરાણામાં આવી સૃષ્ટિનો ઉલ્લેખ આવે છે. એવી એક પ્રકારની સૃષ્ટિને તેઓ માનસી સૃષ્ટિ કહે છે. પરંતુ એ પ્રકારની સૃષ્ટિ ખરેખર ભૌતિક દ્રવ્યમાં થયેલી સૃષ્ટિ હતી કે પછી કોઈ બીજા જ સૂક્ષ્મ દ્રવ્યમાં થયેલી સૃષ્ટિ હતી તે નિશ્ચયપૂર્વક કહી શકાતું નથી. કદાચ એવી માનસી સૃષ્ટિ ભૌતિક જગતમાં નિમિત ભૌતિક સૃષ્ટિ નહિ હોય, પણ એની પૂર્વાવસ્થા રૂપે કે મડેલરૂપે કોઈ સૂક્ષ્મ મનોમય જગતમાં રચાયેલી સૃષ્ટિ હોય એ પણ સંભવિત છે. વળી એ શક્યતા પણ છે જ કે ભાવિમાં મૈથુની સૃષ્ટિ બિલકુલ જ નહિ હોય અથવા તો એની સાથે સાથે બીજા કોઈ પ્રકાર કે પ્રકારોની સૃષ્ટિ પણ પ્રગટ થાય. પરંતુ આ ભૂતકાળ અને ભાવિને બાજુએ મૂકીએ તે વર્તમાનમાં તે આપણા જગતમાં મૈથુની સૃષ્ટિ બિનહરીફ પ્રવર્તતી હોય એમ સ્પષ્ટ દેખાય છે. અને તેથી જ અર્ધનારીશ્વરનું પ્રતીક સંપૂર્ણપણે ઔચિત્યયુકત છે. રજનીકાન્ત મોદી દા. ત. સ્ત્રીના યોનિ ભાગમાં અંદર રહેલું કિલટોરિસ નામનું અવયવ પુરુષની જનને દ્રિયનું જ અવિકસિત રૂપ છે એમ વૈજ્ઞાનિકો કહે છે. *** ro
SR No.525952
Book TitlePrabuddha Jivan 1967 Year 28 Ank 17 to 24 and Year 29 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1967
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy