SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨૧ પ્રબુદ્ધ જીવન સાધ્યું હતું કે પતિગૃહમાં તેમ જ નરસિંહરાવનાં કુટુંબીજનોમાં ઉભય પક્ષના સ્નેહ તથા આદર એમના પ્રત્યે અન્ય્ન રહ્યો હતા. નું કારણ હતું એમનો અહંભાવરહિત, માયાળુ અને નિ:સ્વાર્થ સેવાપરાયણ સ્વભાવ. “નજીકનાં કેંદૂરનાં, સગાં કે પડોશી, કોઈ પણ કુટુંબમાં માંદગીના કે સુવાવડ જેવા પ્રસંગ હોય ત્યારે મુદ્રિકાબહેન સતત હાજરી આપીને, રાતના ઉજાગરા પણ કરીને માતા જેવા પ્રેમથી સેવા કરતાં. એ સેવાધર્મમાં એમણે કદી પોતાનાં અને પારકાં વચ્ચે લેશ પણ ભેદભાવ રાખ્યો નહોતા. “એમની ત્યાગભાવનાનું નિદર્શન આપતા એક વિરલ પ્રસંગ નોંધવા જેવા છે. આજથી લગભગ પચાસ વર્ષ પહેલાં એક ગૃહસ્થ એમને ત્યાં એક અનાઘામ માટે ફાળા ભરાવવા આવ્યા હતા. મુદ્રિકાબહેને શ્રી અંજારિયાની એ સમયની આવકના પ્રમાણમાં ઘણી મેાટી ગણાય એવી રકમ ભરી. અને એ ગૃહસ્થે પૂછ્યું કે મુદ્રિકાબહેન, તમારાં બાળકોનો વિચાર કર્યો છે? ત્યારે એમણે કહ્યું કે “હા, એમને માટે છેવટે આ અનાથાશ્રમ તે છે જ ને?” એમની સેવાભાવના અને ઉદારતાના લાભ વ્યકિતઓને તેમ જ સંસ્થાઓને સતત મળ્યા કરતો. સાંતાક્રુઝના ગુજરાતી હિંદુ-સી મંડળના આદ્ય સ્થાપક સન્નારીએ માંનાં એઓ એક હતાં અને એ સંસ્થાનાં ટ્રસ્ટી તરીકે તથા પ્રમુખ તરીકે એમણે વર્ષો સુધી એમાં અમૂલ્ય સેવા આર્પી હતી. મુંબઈના શ્રી વડનગરા નાગરમંડળના પ્રમુખપદે ચૂંટાનાર પહેલાં સન્નારી એઓ હતાં અને એ પદે રહીને એમણે એ પુરુષપ્રધાન સંસ્થાને પુરુષોની પણ પ્રશંસા પામે એવું માર્ગદર્શન આપ્યું હતું. પૂજ્ય ગાંધીજીએ આદરેલા રાષ્ટ્રમુકિતના યજ્ઞમાં મુદ્રિકાબહેન પ્રથમથી જ શામેલ થયાં હતાં અને બે વાર એમણે કારાગારનિવાસ પણ સેવ્યો હતો. “ઉદાર ત્યાગભાવનામાં, નિસ્વાર્થ સેવાવ્રતમાં, સ્વાશ્રયમાં અને સાદાઈમાં એકબીજાની સરસાઈ કરે એવાં આ અંજારિયા પતિ-પત્નીનું પ્રસન્ન દામ્પત્ય આદર્શ ગણાતું હતું. એ દામ્પત્ય પંચાવન વર્ષના તેજસ્વી સહચાર પછી આજે મુદ્રિકાબહેનના અવસાનથી ખંડિત થયું, માતપિતાની પુત્રવત્ સેવા કરવા માટે અપરિણીત રહેવાનું વ્રત જેમણે લીધું છે એવી પુત્રી કુમારી સુરેખા માવિહોણા થયાં, સ્વ. પુત્રી વત્સલા સુશ્રુત નીલકંઠનાં ત્રણ બાળકોને તો બીજીવાર માતૃવિરહ વેઠવાનો આવ્યો, શ્રી અંજારિયા વૃદ્ધ ઉમરે એકલા પડયા અને સગાસંબંધીઓએ સર્વ પ્રત્યે સમાન પ્રેમવાળાં વાત્સલ્યમૂર્તિ માતા ગુમાવ્યાં, એ કારણે મુદ્રિકાબહેનની ખોટ અનેકને દુ:ખદાયક બને એ સ્વાભાવિક છે. પણ ૯૦ વર્ષના વૃદ્ધાસ્થાને કારણે હવે અશકત બનેલા શ્રી હિંમતલાલ અંજારિયા જેવા પતિના જીવતાં ૮૦ વર્ષ પૂરાં કરવા આવેલા શ્રીમતી મુદ્રિકાબહેન પાતાનું સૌભાગ્ય અખંડ રાખીને નિર્વાણ પામ્યાં એ તો એ સન્નારીનું સદ્ભાગ્યે જ મનાય. શ્રી હિંમતલાલ અંજારિયા આ ઘટનામાં પત્નીનું અને પોતાનું પણ સદ્ભાગ્ય માનીને જ્ઞાનીજનને સહજ એવી જે સ્વસ્થતાથી આ વિયાગને સહી રહ્યા છે. તે સ્વસ્થતાનું પ્રત્યક્ષ દર્શન ભારે પ્રેરણાદાયી લાગે છે.” દેશના શિક્ષણમાધ્યમ અંગે વિશેષ વિચારણા મુંબઈ: વીલેપારલે (પશ્ચિમ) માં આવેલ શ્રી ચંદુલાલ મણિલાલ નાણાવટી વિનયમંદિરના આચાર્ય શ્રી વજુભાઈ પટેલ તરફથી ઉપર જણાવેલ વિષય અંગે મળેલા પત્ર નીચે મુજબ છે:“મુરબ્બી શ્રી પરમાનંદભાઈ, “આપની જાણ માટે માધ્યમના પ્રશ્ન જે છે તે મારી સમજ પ્રમાણેને રજૂ કરું છું. “ અંગ્રેજી ભાષાશિક્ષણના માધ્યમ તરીકે અને વહીવટ માટે બંને રીતે આજે વર્ષોથી ચાલે છે. તેની સામે સ્વતંત્ર ભારતમાં વિરોધ હોય તે સ્વાભાવિક છે. અંગ્રેજી ભાષા શિક્ષણના અને વહીવટના માધ્યમ ઉપરાંત આંતરભાષા તરીકે પણ ચાલુ છે તેની સામે પણ કોઈ કોઈ રાજ્યમાં વિરોધ છે. “ શિક્ષણ અને પરીક્ષણના માધ્યમ તરીકે તથા વહીવટી ક્ષેત્રે પ્રાદેશિક કે માતૃભાષા જ હોઈ શકે -તરભાષા તરીકે અંગ્રેજીનું સ્થાન હિંદી લે તે એક બાબત છે અને શિક્ષણના માધ્યમ તરીકે અંગ્રેજીનું સ્થાન હિંદી લે તે બીજી બાબત છે. જો શિક્ષણમાં અંગ્રેજીના સ્થાને હિન્દી આવે તો કોઈ પણ ફાયદો થવાને બદલે દેખીત ગેરફાયદો થાય. જ્ઞાન જે સરળતાથી મેળવવું જોઈએ અને એના ઉપયોગ કરવા જોઈએ તેમાં વિક્ષેપ પડે એ દેખીતા ગેરફાયદા છે. શિક્ષણમાં હિંદી માધ્યમ દાખલ કરવાથી National Integratnon તા. ૧૬-૮-૬૭ સાધી શકાય છે તે ભ્રમ છે. Nationl Integration માટે લાંબે ગાળે માતૃભાષામાં થતો અભ્યાસ ઉપયોગી થઈ પડવા ભવ છે, પણ હિંદીમાં થતો અભ્યાસ કદી નહિ થાય. આપણે હંમેશાં ઉજળા વર્ણની જરૂરિયાતને ધ્યાનમાં શખી વિચાર કરતા આવ્યા છીએ. અદાલતોમાં ન્યાયના ચુકાદાનું શું થાય કે વેપારમાં આપણુ શું થાય વગેરે દષ્ટિએ વિચારીએ છીએ. પણ આજે Exposition of Knowiedge અને Explosion of Populationના આ યુગમાં સામાન્ય આમવર્ગ કેવી રીતે અભ્યાસ કરે તે તેને તેને ફાયદો થાય અને દેશને ફાયદા થાય તે દષ્ટિએ વિચારવું યોગ્ય કહેવાય. શ્રી મુનશીની કલ્પનાની અંગ્રેજી Mediumની પબ્લિક સ્કૂલ કે કાલેજ આજે રાષ્ટ્રીય અસ્મિતામાં ઘા મારવા સમાન ગણાય તેમ હું સમજું છું. વજુભાઈ પટેલ” આ પ્રશ્ન અંગે વિશેષ ચર્ચા હવે પછી. આગામી પર્યુષણ વ્યાખ્યાનમાળાના એક નવા વ્યાખ્યાતાને પરિચય આ વ્યાખ્યાતાનું નામ છે શ્રી ઉપાકાન્ત લાદીવાળા, તે મુંબઈના આગેવાન નાગરિક અને અનેક ધાર્મિક લેખાતી પ્રવૃત્તિઓના સંચાલક શ્રી જમનાદાસ લાદીવાળાના પુત્ર થાય. તા. ૩૦-૭-૬૭ના ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રગટ કરવામાં આવેલી પરિચયનોંધ ઉપરથી તેમના વિષે મને સૌથી પહેલી જાણકારી થઈ. તેઓ પોતાના પિતા સાથે વ્યાપારમાં તા જોડાયેલા છે જ, પણ આ ઉપરાંત તેમને અનેક વિષયમાં જીવત રસ છે અને સારા અભ્યાસી છે. તેઓ ભૂસ્તરશાસ્ત્રી Geologist છે અને તત્વવિઘામાં નિષ્ણાત છે. સ્વામી વિજ્ઞાનાનંદ નામના એક પ્રજ્ઞાસંપન્ન સન્તપુરુષના તેઓ અનુયાયી છે અને તેમની દ્વારા તેમને તત્વજ્ઞાનની દીક્ષા મળી છે. અમેરિકામાં શ્રી જેમ્સ કીડ નામના એક Copper Minner તાંબાની ખાણને લગતા વ્યવસાય કરતા—એક ગૃહસ્થ, પેાતાના વીલમાં—વસિયતનામામાં—જે કોઈ આત્માનું અસ્તિત્વ પૂરવાર કરી આપે તેને પોતાની મિલકતમાંથી બે લાખ ડોલરના પુરસ્કાર આપવાનું જણાવીને થેાડા સમય પહેલાં ગુજરી ગયા. આ અંગે મહાનિબંધ—Theisis—લખવા માટે દુનિયાભરના આત્મવાદીઓને નિમંત્રણ આપવામાં આવ્યું છે અને તે માટે ૯૦૦૦ વ્યકિતઓએ પોતપોતાના નિબંધો મેકલીને એ હરીફાઈમાં ઉતરવાની માગળી કરી. ભારતમાંથી આ માટે ૩૫૦ નિબંધો મોકલવામાં આવ્યા છે જેમાંને એક નિબંધ શ્રી ઉષાકાન્ત લાદીવાળાના છે. આ બાબતના નિર્ણય લેવા અંગે એરીઝાનાની સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ શ્રી રોબર્ટ મેયર સમક્ષ અનેક હરીફોની સુનાવણી ચાલી રહી છે. ઉપર જણાવેલ ૯૦૦૦ ઉમેદવારોમાંથી ૯૩ વ્યકિતઓના નિબંધ વિશિષ્ટ કોટિના હોવાનું જાહેર કરવામાં આવેલ છે, જેમાં શ્રી ઉષાકાન્ત લાદીવાળાના નિર્ધા ધના સમાવેશ કરવામાં આવ્યા છે અને ૩ વ્યકિતઓને પોતપોતાના નિબંધ વિષે પ્રત્યક્ષ જુબાની આપવા માટે અમેરિકા બેલાવવામાં આવેલ છે. શ્રી ઉષાકાન્ત લાદીવાળા આ માટે અમેરિકાના પ્રવાસ કરીને તેમ જ ઉપર જણાવેલ કોર્ટ સમક્ષ પોતાની જુબાની આપીને ભારત ખાતે તાજેતરમાં પાછા ફર્યા છે. ઉષાકાન્ત સંબંધી વિશેષમાં જણાવવાનું કે તેમને કેલિફોર્નિયા પેરેસાઈકોલોજી ફાઉન્ડેશનના રીસર્ચ મેમ્બરસંશાધન સભ્ય-તરીકે સ્વીકારવામાં આવ્યા છે. તેઓ બાયોકેમિક ડૅાકટર છે; કવોલીફાઈડ હોમિયોપાથ છે અને એક સારા ગાયક પણ છે. આપણે આશા રાખીયે કે આમ બહુલક્ષી પ્રજ્ઞા ધરાવતા ભાઈ ઉષાકાન્ત રજૂ કરેલા પુનર્જન્મનું પ્રતિપાદન કરતા અને આત્મતત્વનું વૈજ્ઞાનિક રીતે સમર્થન કરતા મહાનિબંધને ઉપર જણાવેલ બે લાખ ડોલરના પારિતોષિકને પાત્ર ગણવામાં આવે. આગામી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં સપ્ટેમ્બરની સાતમી તારીખે સવારના ૮-૩૦ વાગ્યે વિજ્ઞાન અને ધર્મની દૃષ્ટિએ આત્મતત્વ’ એ વિષય ઉપર તેમનું વ્યાખ્યાન રાખવામાં આવ્યું છે. પરમાનંદ, ડો. ઉષાકાંત જે, લાદીવાલા બી. એસ. સી. બાયોડો. જે. પી.
SR No.525952
Book TitlePrabuddha Jivan 1967 Year 28 Ank 17 to 24 and Year 29 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1967
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy