________________
૩૨
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૭
એ ના શકિત હોવા ઉપરંતુ દીકરી સામાજિક “
રારા પ્રમાણમાં કરી, પ્રગતિ સાધી, વિકાસ સાધ્યો, નાસરે માત્ર મધ્યપૂર્વમાં જ નહિ પણ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ય સારું સ્થાન મેળવ્યું. ટીટો, નહેર અને નાસરની એક ત્રિપુટી ઉભી થઈ. ભારતમાં નહેરુએ ૧૯૪૮માં Asian Conference કરી એ પણ એક મહત્તવને. પ્રસંગ બની ગયો.
નાસરે અટલી નામના મેળવી એનો અર્થ એ ન હતો કે આરબ રાજયમાં એમને કોઈ વિરોધ ન હતો. ઈર્ષા–સત્તાની તાણાવાણીને લીધે વિરોધ તો હતો જ. જોર્ડન, સાઉદી અરેબીયા, ટયુનિસીયા એના સખ્ત વિરોધી હતા. આને લીધે ઘણાં પરિવર્તને પણ થયા - પણ અંતે નાસરે આ સર્વ ઉપર સારું વર્ચસ્વ મેળવ્યું. નાસર એક રીતે ક્રાંતિકારી વ્યકિત હોવા છતાં એક Moderate વિનીતનેતા હતા, એટલે કે બેજવાબદાર નહિ પરંતુ દીદદષ્ટિવાળા, વગર વિચાર્યું કદીય આગમાં કૂદી ન પડે તેવા. આર્થિક અને સામાજિક ક્ષેત્રે એમની દષ્ટિ પણ પૂરી પ્રગતિશીલ રહી હતી.
હવે આજના સંઘર્ષનું મૂળ શોધવું હોય તે ૧૯૯૬માં જવું જો ઈએ-સુએઝ નહેરનું કાવતરું થયું–નાસરને ઉથલાવી પાડવાનું એમાં અમેરિકાને કારણે જ નાસરને વિજય થયો. નાસરે નહેરનું રાષ્ટ્રીયકરણ કરી નહેર પોતાને કબજે કરી અને ત્યારથી સંધર્ષનાં મૂળ નંખાયાં. અકાબાને અખાત આંતરરાષ્ટ્રીય અખાત ગણાય કે નહિ એ કાનૂની કોયડો છે અને એ પ્રશ્ન આજે ય ઊભે છે. નિર્ણય કરવો મુશ્કેલ છે. આમ છતાંય નાસરે ઈઝરાયલી વહાણને માટે આ રસ્તો ખૂલ્યો રાખ્યો હતો.
આ પૂર્વભૂમિકા તો છે જ, પણ ભડકે કેમ થયો?
સીરિયા અને ઈઝરાઈલ વચ્ચે સંઘર્ષ ચાલ્યા જ કરતો હતો. સીરિયામાં અત્યારે જે વ્યકિતઓ છે તે સામ્યવાદી છે, તેણે Palestine Liberation Army–પેલેસ્ટાઈન મુકિતસેના--ઊભી કરી છે. તે મારફત કાન્તિ કરવા માટે આ સત્તાધીશે બીજા રાજમાં ત્રાસવાદીઓ મોકલીને તેફાન કરાવતા હતા. આ રીતે ઈઝરાઈલમાં તેફાની ટુકડીઓ મોકલવામાં આવેલી. તે સામે ઈઝરાઈલમાં ભારે રોષ હતા. આ દરમિયાન ઈઝરાઈલ સિરિયા ઉપર મોટું આક્રમણ કરવાની તૈયારી કરી રહ્યું છે એવી વાત વહેતી થઈ અને જો એમ બને તે ઈજિપ્ત સીરિયાની મદદે જવું જોઈએ એવી પરિસ્થિતિ ઊભી થઈ. અને નાસરે ઈઝરાઈલ સામે જેહાદનું વાતાવરણ ઊભું કર્યું અને ગાઝાપટીમાં યુનેની જે શાતિ સેના પડી હતી તેને ઉઠાવી લેવાની સેક્રેટરી જનરલ ઉ-થો સમક્ષ માગણી કરી. ઉ-થાંએ પોતાની જવાબદારી ઉપર લશ્કર ઉઠાવી લેવાને તુરત જ નિર્ણય લીધો. આ નિર્ણય યોગ્ય હતો કે નહિ એમાં મતભેદને અવકાશ છે. પણ આ એવું પગલું થયું કે જે ભડકે બનવાનું મોટું કારણ બન્યું. કદાચ નાસર માનતા હશે કે, ઉ - થાં લશ્કર ઉઠાવી લેવામાં વિલંબ કરશે, પણ ઉ - થાંએ તે તરત જ નિર્ણય લીધો અને ઈજીપ્ત ગાઝામાં પોતાનું લશ્કર મોકલ્યું. તદુપરાન્ત ઈઝરાઈલ ઉપર દબાણ લાવવા એણે અકાબાને અખાત બંધ કર્યો. આ બે કારણોને લીધે પરિસ્થિતિ એકદમ સ્ફોટક બની બેઠી.
એક રીતે જરૂર કહી શકાય કે લશ્કરી આક્રમણની શરૂઆત, ઈઝરાઈલ કરી છે. ઈઝરાઈલ ત્રણ બાજુથી આરબથી ઘેરાયેલેઅને એક બાજુ દરિ–એટલે ઈઝરાઈલને પિતાની જ ભૂમિ ઉપર જે લડવાની પરિસ્થિતિ ઊભી થાય તો એને પરાજય જ થાય. એટલે ઈઝરાઈલને માટે દુશમનની ભૂમિ ઉપર આક્રમણ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ ન રહ્યો. અને એ રીતે ઈઝરાઈલે ચોતરફ આક્રમણ શરૂ કર્યું અને જોત જોતામાં ત્રણ દિવસમાં આરબ દેશોના ભૂક્કા બોલાવી દઈ સૌને આશ્ચર્યમાં મૂકી દીધા.
આરબના પરાજયનું બીજું કારણ એ પણ ગણી શકાય. એમની એકતા સાચી એકતા ન હતી. ઈઝરાઈલના પ્રશ્ન ઉપર તેઓ દેખીતી રીતે એક થયા, પણ અંદરની ખરી એકતા નહોતી. ગઈ કાલ સુધી જોર્ડન, સાઉદી અરેબીયા નાસરના જાણીતા વિરોધીઓ હતા જ. માત્ર ઈઝરાઈલને નાશ કરવા માટે બધા એકત્ર થયા હતા. વળી નાસરની પણ ગણતરી નહિ હોય કે ઈઝરાઈલનું આક્રમણ આટલાં જોરદાર થશે. વળી યુદ્ધનાં અદ્યતન સાધને હોય તે પણ જો એને વાપરતા ન આવડે તે પરાજય થાય. શસ્ત્રો નહિ પણ શસ્ત્રોને ઉપયોગ કરનાર
માણસની ખરી કીંમત છે એ હકીકત ભારત - પાકિસ્તાન યુદ્ધ વખતે પૂરવાર થઈ હતી. આ વખતે પણ તેમ જ બન્યું.
ઈઝરાઈલના વિજયને વિચાર કરીએ તો આપણને જરૂર એમ લાગે કે, આ દેશનાં એકે એક સ્ત્રી પુરુષે નિર્ણય કર્યો હશે કે મરી જઈશું બહેતર, પણ દુશ્મનને તાબે નહિ થઈએ અને આવી તમન્ના ન જાગે ત્યાં સુધી કોઈ દેશ ઊંચે ન જ આવી શકે.
આ યુદ્ધમાંથી બીજી બે વસ્તુ દેખાઈ આવે છે. બે મહારાજ્યો અમેરિકા અને રશિયાનાં દૂરંદેશીભર્યા તટસ્થ વલણથી વિશ્વયુદ્ધ થતું અટકયું. રશિયાએ શરૂઆતમાં ઈઝરાઈલને ચેતવણી આપી હતી. જ્યારે અમેરિકા બ્રિટને સંયમ રાખ્યો હતો. પણ રશિયાએ જયારે જોયું કે આરબનું આટલું બધું પોલું છે ત્યારે તેણે ચ સંયમ રાખે. એમ લાગે છે કે જોનસન અને કોસીજીને નિર્ણય કર્યો હશે કે આમાંથી વિશ્વયુદ્ધ નથી થવા દેવું. જો કે રશિયાને આ યુદ્ધમાં સંડોવવામાં નાસરે કરવામાં બાકી રાખ્યું નહોતું. જોર્ડનના રાજાએ એટલે સુધી જાહેર કર્યું કે, એણે અમેરિકન વિમાનને ઉડતું રડારમાં જોયું હતું. પણ રશિયાએ આ બાબત ગણકારી નહિ. રશિયાએ શરૂઆતમાં “યુદ્ધ વિરામ અને મૂળ સ્થાને પાછા હઠો.” એમ કહ્યું, પણ પછી ફકત “યુદ્ધ - વિરામ” કહ્યું, આમાં પણ ડહાપણ હતું.
ઘણા પરદેશી પત્રકારો માને છે કે અમેરિકા ઉપર વિયેટનામ : ના પ્રશ્ન અંગે દબાણ લાવવા માટે રશિયાએ આ પરિસ્થિતિ ઉભી. થવા દીધી. ગમે તેમ, પણ રશિયાએ “પરિસ્થિતિ પ્રમાણે વર્તી” ની, વિચક્ષણતા દાખવી છે. - આ યુદ્ધમાં ભારતે જે પ્રકારનું વલણ લીધું તે વ્યાજબી રીતે ટીકાને પાત્ર થયું છે. આમાં દૂરદેશી, કે ડહાપણ ન હતું. આમાં પાકટતાનો અભાવ હતો. વિદેશપ્રધાન શ્રી ચાગલાર રકાબાના અખાત ઉપરના ઈજિપ્તના વિવાદાસ્પદ વર્ચસ્વને જાણે કે હાઈકોર્ટમાં બેસીને ચુકાદો બાપતા હોય એ રીતે જોરદાર સમર્થન આપ્યું રએ હાસ્યપદ હતું. જે આરબારને ઈઝરાઈલને કચડી નાખવાનો નિરધાર જાહેર કર્યો હતો તે આરબોને નાપણા વડા પ્રધાને જાહેર ટેકો આપ્યો અને પાછળથી રોપણે ઈઝરાઇલને નાશ ઈચ્છતા નથી તેમ જણાવ્યું. આવાં પરસ્પરવિરોધી વલણોએ તેમની અને પરિણામે ભારતની પ્રતિષ્ઠાને ભારે ધકકો પહોંચાડયો છે.
બીજી બાજએ રન ઘટના દરમિયાન પાકિસ્તાન કેટલેક દરજs/ શાંત રહ્યું છે. ભારત-પાકિસ્તાન યુદ્ધ વખતે નાસર તટસ્થ રહ્યા હતા. આપણે ભૂલી ગયા કે રાષ્ટ્રીય હિત માત્ર એક દેશ સાથેના નહિ પણ બંધાય દેશો સાથેના સંદર્ભમાં જોવું જોઈએ. - ના યુદ્ધનાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે શું પરિણામ આવશે એનો વિચાર કરીએ તો:
૧ ઈઝરાઈલ મજબૂત રીતે બહાર આવ્યું છે. આના પરિણામે ૧૯ વર્ષથી સળગતા પ્રશ્નને અંતિમ રીતે નિકાલ લાવી શકાશે એવી આશા ઊભી થઈ છે.
૨. ગાઝાપટ્ટી, જેરુસ્લામ, અકાબાને ગલફ, સુએઝ નહેર, અને ઈઝરાયલની સીમ-ને બધાનો અંતિમ નિર્ણય કરવું પડશે.
૩ ૭ લાખ રમાબ નિરાશ્રીતનાં પ્રશ્નને કાંઈક ઉકેલ લાવવો પડશે.
૪. આરબ રાજયો હવે શું વિચારશે એ કહેવું અઘરું છે. અમે‘રિકા સાથે રહેવું કે રશિયા સાથે રમે તેણે નક્કી કરવું પડશે. અમેરિકા સાથે દુશમાનવટ રાખવી એમના હિતમાં નથી એ હકીકત એમણે ધ્યાનમાં લેવી પડશે.
૫ રશિયા પિતાનું વર્ચસ્વ જમાવવા માટે ઈજિપ્ત, ઈરાક, સીરિયાને મદદ કરે અને મધ્ય પૂર્વના દેશો એક સગળગતો પ્રશ્ન બની. જાય તો નવાઈ નહિ.
નાસરનું રાજીનામું યોગ્ય જ પગલું ગણાય. પ્રતિષ્ઠાનું ભૂત રમાડે ન બનાવવા દેતાં તેણે પોતાની હાર કબુલ કરી. કદાચ આ માટે જ ઈજિપ્તની પ્રજાએ એમને ચાલુ રહેવા વિનંતિ કરી છે.
ઈજીપ્તમાં આજે વિકલ્પ બી. કોઈ નેતા નથી. નાસર એક જ વ્યકિત એવી છે કે મધ્ય પૂર્વમાં સ્થિરતા રાખી શકે અને નાસર સત્તાસ્થાન ઉપર રહે એમાં મારબ દેશોનું હિત રહેલું છે એમ લાગે છે. આરબ-ઈઝરાઈલ યુદ્ધ પૂરંતુ આજે આટલું જ.
ચીમનલાલ ચકુભાઈ શાહ