SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૯-૫૮ તેની એક બહેન પણ કુંવારી આધેડ ઉમ્મરની છે, જે પોતાના ભાઈને દાંતના ઉપચારકાર્યમાં ખૂબ મદદ કરે છે. તે ડાકટરના પત્તો મેળબ્યો. અને તેણે ત્રણ દિવસના ઉપચાર વડે બહેન મેનાનું દુ:ખ હળવું કરી નાખ્યું. ત્યાર ખાદ આખા પ્રવાસ દરમિયાન સદ્ભાગ્યે બહેન મેનાને દાંતની કશી ઉપાધિન નડી. ૐા હરિવ’શજી કાચાર અને તેમનાં પત્ની શાન્તાબહેનના પરિચય પ્રબુદ્ધ જીવન આ પ્રવાસ ઉપર નીકળતાં મનમાં એ લક્ષ્ય હતા. એક તા નૈનીતાલ ખાના જોવા લાયક સ્થળામાંથી અને તેટલાં સ્થળે જોયાં અને ખીજાં જુદા જુદા સ્થળે રહેતી વિશેષ વ્યકિતઓનાં નામ ઠામ ઠેકાણાં અને શકય હોય તેમની ઉપરના પરિચયપત્ર મેળવીને તેમને મળવું, તેમના થાડે ઘણા પરિચય સાધવા. આ રીતે નૈનીતાલની સરકારી કૉલેજમાં શિખવતા ડૉ. હરિવંશ∞ કાચરને શરૂઆતના દિવસે દર્મિયાન જ હું અને મારા એક મિત્ર ભાઇ રસિકલાલ ઝવેરી (જે પણ નૈનીતાલના પ્રવાસે અમારી સાથે આવેલા હતા) તેમને મળવા ગયા. સ્વામી આનંદ છેલ્લા છ સાત વર્ષથી ગરમ મહીનાઓ દરમિયાન મોટા ભાગે આ ખાજુએ આવેલા કૌસાની ગામમાં રહેતા હતા. તેમને ડો. કાચરના કુટુંબ સાથે ગાઢ સબંધ હતા અને અમે પણ તેમનુ નામ આગળ કરીને ડૉ. કાચરને મળવા ગયેલા. ડા. કાચર તે કાઇ વૈદ્ય કે ડાકટર નથી, પણ હિંદી ભાષા સાહિત્યના પી. એ. ડી. છે અને એટલે તેમના નામ આગળ ડૉક્ટર · શબ્દ મૂકવામાં આવે છે, અમે તલીતાક્ષમાં આવેલ તેમના બંગલે પહાંચ્યા. પૂછતાં માલુમ પડ્યું કે ડાકટરસાહેબ બહાર ગયા છે, એટલે અમે પાછા ફરવાને વિચાર કરતા હતા. એવામાં એમનાં પત્નીએ અમને ખૂબ વિનીતભાવે કહ્યું કે “ડાકટર સાહેબ નથી, પણ હું છું ને? આપ અંદર જરૂર પધારો.” તેમના આવા મધુર આવકારથી આનંદિત ખનીને અમે * અંદર ગયા અને તેમણે અમને દીવાનખાનામાં ખેસાડયા, ડાકટર સાહેબનાં પત્નીનું નામ શાન્તાબહેન. તેમણે અમે કયાંથી આવ્યા છીએ, અહિં કર્યાં ઉતર્યાં છીએ, કેટલુ` રહેવાના છીએ વગેરે અમારા ખબર પુછ્યા. સ્વામી આનંદ સાથેના લગભગ ૪૮ વર્ષ જુના મારા સબંધના તેમને ખ્યાલ આપીને અમારા પોતાના તેમને વિગતવાર પરિચય આપ્યા. અમારી અને તેમની વચ્ચેનું અજાણ્યાપણાનુ અન્તર તેાડી નાખવા માટે સ્વામી આનંદનું નામ પૂરતું હતું. પછી તેમાં તેમણે પણ પેાતાની અમને વિશેષ ઓળખ કરાવી, જે ઉપરથી માલુમ પડયુ કે તેઓ જાલંધર ગુરૂકુળનાં સ્નાતિકા છે, અને કોઈ એક શ્રીમાન શીખ કોન્ટ્રેકટરના પુત્રી છે. તેમના વિષે સ્વામી આનંદ સાથે વાત નીકળતાં વિશેષ જાણ્યુ કે કોઇ શ્રીમન્ત શીખ કુટુંબના નખીરા સાથે તેમની સગાઇ થયેલી, પણ તે સગાઈ પિતા પાસે 48 કરીને તેાડાવી નાંખેલી, અને પછી પોતાની પસંદગીના—ગરીબ છતાં વિદ્યાન—એવા ડૉટર કાચાર સાથે તેમણે લગ્ન કરેલુ. હિન્દી તથા સંસ્કૃત-અન્ય ભાષામાં તેઓ નિપુણતા ધરાવે છે, હિન્દીનાં સારાં લેખિકા છે, અને આજની સાહિત્ય પ્રવૃત્તિમાં તેઓ ઊંડા રસ ધરાવે છે. લગ્ન પછી હિન્દીમાં તેમ જ સંસ્કૃતમાં તેઓ એમ. એ. થયા છે, અને બન્ને ભાષામાં તે પી. એચૂ -ડી. ની ડીગ્રી મેળવવાના મનારથ સેવે છે. તેમને ચાર પુત્રી છે અને તે બધી નૈનીતાલમાં ભણે છે. એમના કુટુંબની મહેમાનગતી આખા નૈનીતાલમાં જાણીતી છે. તેમણે અમારૂં ભાવભર્યું " આતિથ્ય કર્યું. તેમનામાં રહેલી ઊંડી સંસ્કારિતા અને ઉચ્ચ કાટિની સભ્યતા જોઇને અમારૂ દિલ ખૂબ પ્રસન્ન થયું. બીજે દિવસે સાંજે અમે તેમના પતિ ડૉ. કાચરને પણુ મળ્યા. તે પૂણુ સ્વભાવે અતિ નમ્ર અને મીલનસાર લાગ્યા, જુની હિંદી, સંસ્કૃત તેમ જ પ્રાકૃતના તેએ પ્રખર વિદ્વાન અને સશાષક છે. તેઓ મૂળ પ ંજાબના પણ હાલ લખનૌના રહીશ ગણાય. તેમના પિતા એક્ ઝીકંયુટીવ એન્જિનિયર હતા. નૈનીતાલમાં તે એક બહુ જાણીતી વ્યકિત છે. આ વિદ્વાન દંપતીના પરિચય પામીને આનંદ તથા સ તાષ અનુભવ્યા. અમારા નૈનીતાલના ખાર દિવસના વસવાટ દરમિયાન તેમને પછી એ ત્રણ વાર મળવાનું બનેલું. ૮૧ ++++ સેવામૂર્તિ ગંગાબહેન જોષીના પરિચય નૈનીતાલમાં મળવા જેવી એક વિશેષ વ્યક્તિ ગંગાબહેન કરીને છે એમ મારા મિત્ર ભાઇ નવનીતલાલ પરીખે મને કહેલ. આ હેન કયાં રહે છે. એ વિષે પૂછતાં કાચારસાહેબે જણુાવ્યું કે તેઓ અમારી હૉટેલની બાજુએ આવેલ ‘આનંદ નિવાસ’ માં જ રહે છે એમ કહીને ગંગાૠહેન સાથે અમારી ઓળખાણ કરાવવા તે પોતે જ અમારી હૉટેલ ઉપર આવ્યા અને અમને ગંગાબહેનને ત્યાં લઇ ગયા. ગંગાબહેન આધેડ ઉમ્મરનાં બહુ જાણીતાં સમાજસેવિકા છે. તેમનાં પતિ નૈનીતાલમાં સીવીલ સર્જન હતા, જેમને કેટલાંક વર્ષ પહેલાં દેહાન્ત થયા હતા. તેમના પિતા એક ભક્તપુરૂષ છે, આજે તે અતિવૃદ્ધ છે, સાંભળવામાં તેમને ઘણી તકલીફ્ પડે છે. કેટલાક સમયથી તેઓ પાતાની પુત્રી ગ ંગાબહેન સાથે રહે છે. આનંદ નિવાસ’ ગંગાબહેનનું પેાતાનું જ મકાન અને તેના ભાડા ઉપર તેમના આતિથ્યપરાયણ ગૃહજીવનના નિર્વાહ થાય છે. તેઓ કોંગ્રેસના એક જુના જાણીતા કાર્યકર છે. તેમની પ્રવૃત્તિને વિશેષ ઝેક રચનાત્મક કાર્ય તરફ રહ્યો છે. આજના કૉંગ્રેસી કાર્યકરોમાં જે સત્તાલેાલુપતા, રહેણીકરણીમાં સુવાળાપણું અને કેટલેક ઠેકાણે નૈતિક અધઃપતન જોવામાં આવે છે. તેથી તે અત્યન્ત ખિન્ન છે અને પક્ષનિરપેક્ષ બનીને બને તેટલી સમાજસેવા કરવી એ તેમનુ હાલનુ વળષ્ણુ અથવા તે જીવનલક્ષ્ય છે. આજે હુ'મેશાં તે સરકારી ઇસ્મીતાલમાં સાર એવા સમય ગાળે છે અને ત્યાંના દરદીની-ખાસ કરીને સ્ત્રી દરદીએની—અગવડો દૂર કરવામાં, જરૂરી ચીજવસ્તુઓ તથા આર્થિક મદદો મેળવી આપવામાં અને ખીજી પણ અનેક રીતે ઉપયોગી થવામાં જીવનની તાતા માને છે. તેમના ભાઇએ ઉત્તર પ્રદેશની સરકારમાં મેાટા મેટા હદ્દા ધરાવે છે. નૈનીતાલ ઉત્તર પ્રદેશનું એક મહત્વનુ શિક્ષણ કેન્દ્ર હાઇને તે અભ્યાસ કરતા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને વર્ષો સુધી ઘરમાં રાખી એક પ્રકારનું ખાનગી છાત્રાલય . ચલાવતા હતા. આમાં નાતજાતને કરશે ભેદ કરવામાં આવતા નહોતા. યુરોપિયન છેકરાઓને પણ પોતાને ત્યાં તેઓ રાખતા, નૈનીતાલની ઉત્તરે આવેલા કૌસાની ગામમાં કસ્તુરબા મહિલા ઉથ્થાન મંડળ નામની એક સંસ્થા સરલાદેવી નામની એક યુરાપીયન મહિલા ચલાવે છે, ( જેના આગળ ઉપર ઉલ્લેખ કરવામાં આવશે ) તે મંડળના તેઓ પ્રમુખ છે. આ ગંગાબહેનને મળવાથી અમને ખૂબ આનંદ થયા. તેમની સાદાઈ, સરળતા, પવિત્રતા, ભકિતમયતા અને સૈનિમગ્નતા જોઇને અમારા ક્લિમાં તેમના વિષે ઊંડે આદર પેદા થયા. ગંગાબહેનનું ઘર ખાદીપ્રચારકાર્ન, ભૂદાન કાર્ય કર્તાને તેમને ત્યાં આશ્રય મળે છે. આજે એક માટું સામાજિક કેન્દ્ર બની ગયું છે. અનેક પ્રજાસેવકાતે, દાદા ધર્માધિકારી કે વિમલાતાઈ નૈનીતાલ આવવાના છે એમ ખર પડે અને પૂછીએ કે તે કયાં ઉતરવાના છે તેા જવાબ મળે કે ગંગાબહેનને ત્યાં—આમ બડ઼ારના જાણીતા કાર્યકર્તા અને પ્રજાસેવકા માટે ગ’ગામહેનતુ ગૃહાર હંમેશને માટે ખુલ્લું છે. તેમને એ દીકરાઓ છે, જેએ એન્જિનિયર છે અને જીવનમાં સારી રીતે ગોઠવાયલા છે. તેમને એક દીકરી પણ છે. તેનુ નામ કુમારી સ્નેહલતા. તે એમ. એ.; ખી. ટી. થયેલી છે. અને આભેારામાં એક છેકરીઓની કાલેજમાં વાઈસ-પ્રીન્સીપાલ તરીકે કામ કરે છે. તે બહેનને પણ ગંગાબહેનને ત્યાં મળવાનું બનેલું. તે બહેન એકલી એક વિશ્વાસુ તાકર સાથે બદ્રીનાથ તથા કેદારનાથની યાત્રાએ જઈ રહી હતી. ગંગાબહેન કહે કે “આ સ્નેહલતાને સમાવાને તે બદ્રી કદાર એકલી જવાની હઠ કરી રહી છે.” આખરે માના જીવને ? તેને આમ એકલી જવા દેવા કેમ તૈયાર થાય ? પણ જો માની સમજાવી. ન સમજે તે અમે તેને સમજાવનાર કે શકનાર કોણ ? અને તેમાં આ તે વળી modern girl. આજની કન્યામાં જે સાહસ, પુરૂષાર્થ અને મનસ્વીતા દેખાય છે તે આગળના સમયની કન્યામાં ભાગ્યે જ જોવામાં આવતા. તેણે ધાર્યું કે જેવુ છે તે પછી જવાની જ. તેણે ધાર્યું કે અમુક કામ કરવું છે. તે તે કરવાની જ. આ આત્મવિશ્વાસ અને નિશ્ચયબળ ભૂતકાળની આપણી બહેનેામાં ભાગ્યે જ અનુભવાતાં. પછી તો તે બહેન બદ્રી કેદારની યાત્રા સુખરૂપ પૂરી કરીને પાછી આવી પણ ગઈ છે અને આભેારા કાલેજમાં પોતાનાં કામ ઉપર ચડી પણ ગઈ છે. “ ક્રમશ: - પાનદ
SR No.525943
Book TitlePrabuddha Jivan 1958 Year 19 Ank 17 to 24 and Year 20 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1958
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy