SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ત. ૧-૧૧-૧૫ પ્રબુદ્ધ જીવન બાલસંન્યાસ દીક્ષા–પ્રતિબંધક ખીલ વિષે મુંબઈ જૈન યુવક સંધનું નિવેદન (૧) આ ખીલતે અમારૂ અન્તઃકરણપૂર્વકનું સંપૂર્ણ અનુમેાદન છે. (૨) તે સર્વ કામાને લાગુ પડે છે પણ જૈન સમાજના અમુક વર્ગો તેને જોરશેરથી વિરોધ કરી રહ્યા છે. એક નાની સરખી વધુમતીના વ્યવસ્થિત વિધિથી સરકાર ગેરરરતે દોરવાઈ ન જાય એ હેતુથી જૈને સબંધેની વાસ્તવિક પરિસ્થિતિ અમે રજુ કરવા માંગીએ છીએ. (૩) જૈને મુખ્યતાએ ત્રણ વિભાગમાં વહેંચાયલા છે. સ્થાનકવાસી, શ્વેતાંબર મૂર્તિપૂજક અને દિગગર. સ્થાનકવાસીઓમાં તેરાપ થી નામના એક પેટા વિભાગ છે. (૪) વસ્તીની દૃષ્ટિએ આ ત્રણે વિભાગે લગભગ સરખી સંખ્યા ધરાવે છે. સ્થાનકવાસી વિભાગને લાગેવળગે છે ત્યાં સુધી આ ખીલ સામે તે વિભાગને નહિ જેવા વિરાધ છે. વસ્તુતઃ અખિલ હિંદ સ્થાનકવાસી કાન્ફરન્સે ૧૯૫૦ માં મદ્રાસ ખાતે મળેલા અધિવેશનમાં એ મતલખના ઠરાવ પસાર કર્યા હતા કે ૧૮ વર્ષે નીચેની કાઈ પણ વ્યકિતને દીક્ષા આપવી નહિ. દિગંબર સમાજમાં આ ખીલ સામે ખીલકુલ વિરોધ નથી. કારણ કે તે વિભાગમાં સાધુઓની સંખ્યા બહુ નજીવી છે, અને સાધ્વીની સંસ્થા છે જ નહિ, અને આમ હાવાથી બલદીક્ષાના પ્રશ્ન એ વર્ગમાં ઉપસ્થિત થતા જ નથી. શ્વેતાંબર મૂર્તિપૂજક વિભાગમાં એક મોટા વિચારવન્ત વર્ગ આ ખીલને ટકા આપે છે પણ અમુક આગેવાન સાધુઓથી દારવાયલા એક લાગવગ ધરાવતા નાના વર્ગ આ ખીલના વિરોધ કરે છે. તેરાપથી જેએ મોટા ભાગે મારવાડમાં વસે છે તે પણ આ ખીલના વિરોધ કરે છે. આમ હાવાથી આ ખીલ સામે ખરી રીતે વિરોધ શ્વેતાંબર મૂર્તિપૂજક વિભાગના એક નાના સરખા વર્ગના અને સ્થાનકવાસીના પેટા વિભાગ રૂપ તેરાપથીના છે. પણ આ વિરોધ માટા ભાગે પ્રચારપ્રેરિત છે અને એ વિરાધીવગ આખા જૈન સમાજના નામે ખેલવાના ખાટા દાવા કરે છે અને જાણે કે આખી જૈન કામ આ ખીલની વિરાધી હાય એવી છાપ ઉભી કરવામાં આવે છે. (૫) આ કાઇ નવા પ્રશ્ન નથી અને લાંબા વખતથી જૈન કામને આ પ્રશ્ન ક્ષુબ્ધ કરી રહ્યો છે. અમારી સંસ્થા જે જૈનાના સ વિભાગાનું પ્રતિનિધિત્વ ધરાવે છે તે છેલ્લાં ત્રીશ વર્ષથી રહી ખાલદીક્ષાના મજબુતપણે વિધ કરી રહેલ છે અને ખાલદીક્ષા અટકાવવાની દિશાએ લોકમત વધારે ને વધારે અનુકુળ કરવામાં સફળ થયા છે. આજથી ૨૨ વર્ષ પહેલા જ્યારે ભૂતપૂર્વ વડાદરા સરકારે આ જ પ્રકારના ધારા રજુ કર્યાં હતા અને બાલદીક્ષાની મના કરતા ધારે છેવટે પસાર કર્યો તે પહેલાં વડાદરા સરકારે આ બાબતમાં પુષ્કળ સાક્ષી પુરાવા એકઠા કર્યા હતા ત્યારે આ જ પ્રશ્ન ખૂબ ઉગ્રપણે ચર્ચાયા હતા. (૬) આ ધારા મુખ્યત્વે કરીને સામાજિક સુધારાને લગતા છે. વિરાધી જરૂર “ધમ જોખમમાં'ની બુમે પાડે છે. અને પેાતાની ધાર્મિક માન્યતા અને હક્કોમાં થતી દખગીરીના પાકાર ઉઠાવે છે પણ ભારતમાં આ પાકાર કાઇ નવા નથી. આ જ બહાના નીચે અનેક સામાજિક સુધારાઓને વિરોધ કરવામાં આવ્યા છે પણ આને લીધે સરકારે સામાજિક કાયદાઓ કરવામાં કદિ પાછી પાની કરી નથી. પંડિત સુખલાલજી, અને પંડિત બેચરદાસજી જેવા અનેક સુપ્રસિદ્ધ જૈન વિદ્યાતના અભિપ્રાય છે અને એ અભિપ્રાય તદ્દન વ્યાજબી છે કે બાલદીક્ષાને ટેકા આપે અથવા તેા તેની અટકાયતના વિરાધ કરે એવું જૈન શાસ્ત્રોમાં કશું છે જ નહિ. આમ છતાં પણ અમારે અધીન મત એવો છે કે બાલદીક્ષાનું સમર્થન કરે એવાં છુટાં છવાયાં કાઈ ઉલ્લેખો જૈન શાસ્ત્રગ્રંથામાંથી તારવીને આગળ ધરવામાં આવે તે ૧) ૧૩૧ પણ એ કારણે આ પ્રકારના સામાજિક અનિષ્ટને ચાલુ રાખવુ તે કોઈ પણ રીતે યોગ્ય નથી. આવા જ શાસ્ત્ર—ઉલ્લેખા અસ્પૃશ્યતા, બહુપત્નીત્વ, સતી, બાળલગ્ન અને બીજી અનેક સામાજિક રૂઢિઓના ટેકામાં રજુ કરવામાં આવ્યા હતા. ખરી રીતે ધર્મ' શબ્દ એવી છૂટથી વાપરવામાં આવે છે કે ગમે તે બાબત ધર્મના નામે વ્યાજખી ઠરાવી શકાય છે. નાની ઉમરના બાલક બાલિકાઓનુ` રક્ષણ જે કલ્યાણુરાજ્યની મુખ્ય ચિન્તાના વિષય છે અને હાવા જોઈએ તેવુ રક્ષણ આપવુ એ જ મુખ્યત્વે કરીને આ ખીલના આશય છે. (૭) આ ખીલના વિરોધીએ કેટલેક ઠેકાણે એવા દાવા આગળ ધરે છે કે આ બીલ પસાર થશે તે! તે ધાર્મિક માન્યતા અને ક્રિયાકાંડને લગતી રાજ્ય ધારણમાં અપાયલી માંહ્યધરીના ભંગસમાન લેખાશે. આ દાવેા ખીલકુલ પાયાવિનાના છે. આ પ્રકારની બંધારણીય ખલધરી સામાજિક સુધારણાને લગતા કાયદા કરવામાં રાજ્યની આડે આવતી જ નથી. (૮) એવી પણ દલીલ કરવામાં આવે છે કે જ્યાં સુધી આ પ્રકારના કાયદે કેન્દ્રસ્થ સરકાર ન કરે ત્યાં સુધી એક અમુક રાજ્યે કરેલા કાયદા અસરકારક નીવડશે નહિ. આ લીલ અંશતઃ સાચી છે પણ એ જ દલીલ દ્વિપત્ની અટકાયત અથવા તે મઘ નિષેધને લગતા કાયદા અથવા સામાજિક સુધારાને લગતા ખીજા અનેક કાયદાને પણ એટલી જ લાગુ પડે છે. આવી લીલના કારણે આ પ્રકારના કાયદા કરતાં કાઇ પણ રાજ્ય અચકાયું નથી. ખરી રીતે એક રાજ્ય જો આવા કાયદો કરે તે અન્ય રાજ્યો તે પાછળ ખેંચાય અને આખરે કેન્દ્રસ્થ સરકાર પણ આવે કાયો કરવાને જરૂર આકર્ષાય. (૯) આ ખીલનો વિરાધ કરનારાઓની મુખ્ય લીલ એ છે કે ગ્મા એક આધ્યાત્મિક બાબત છે, અને એમ કહીને જેમણે નાની ઉમ્મરે સંસારનો ત્યાગ કર્યો હાય અને જેમણે લેકાનું ખૂબ કલ્યાણ સાધ્યું હાય એવી વ્યકિતના દાખલાઓ તે આગળ ધરે છે અને તે ઉપરથી એમ દલીલ કરે છે કે કાઈ પણ વખતે કઈ વ્યકિત સંસારનો ત્યાગ કરવા માંગતી હોય તે તેને અટકાવવી એ અયોગ્ય છે. આ લીલમાં રહેલા દોષ કોઇને પણ સ્પષ્ટ દેખાય તેવા છે. તાત્ત્વિક દૃષ્ટિએ એ અરાબર છે કે હેમચ ંદ્રાચાર્ય કે શકરાચાર્ય જેવા કોઇ વિરલ આત્માએ નાની ઉમ્મરે સન્યાસ ધારણ કર્યાં હાય અને માટું નામ પ્રાપ્ત કર્યુ હાય પણ આવા વિરલ કિસ્સા ઉપરથી એક આ સર્વસ્વીકૃત અનિષ્ટને ચાલુ રાખી ન જ શકાય. સામાજિક સર્વ કાર્યદા અદ્યતન પરિસ્થિતિને પહેોંચી વળવા માટે જ ધડવામાં આવે છે. જો અમુક રૂઢિમાંથી નીપજતુ અનિષ્ઠ તેમાંથી નીપજતા નજીવા શ્રેયની સરખામણીએ ધણું મોટુ હોય તા એ પ્રકારની રૂઢિ ચલાવી લેવાય નહિ. સતીના રીવાજ આદર્શની દૃષ્ટિએ ભારે ઉમદા છે, પણ તે કારણે તેની અટકાયત કરવામાં સરકારે કદિ પાછી પાની કરી નથી. કેવળ તાત્વિક લીલા આવી બાબતમાં ભારે ગેરસમજ પેદા . કરે છે. એકાન્ત અનિષ્ટ એવું કશું છે જ નહિં અને દરેક સામાજિક પ્રથામાં હમેશા કાંઇ તે કાંઈ શ્રેયના અંશ રહેલા જ હોય છે પણ બધી બાજીગ્માની ચોગ્ય તુલના કરીને અને ચોક્કસ સામાજિક પરિસ્થિતિના સામના કરવાના હેતુપૂર્વીક જ આવા કાયદા કરવામાં આવે છે. અમા આગ્રહપૂર્વક જણાવીએ છીએ કે નાની ઉમ્મરનાં બાળકાને દીક્ષા આપવામાંથી નીપજતાં ભયંકર પરિણામો એટલાં ગંભીર છે કે આ પ્રકારને કાયદો તે કારણે જ અનિવાર્યું અને આવશ્યક બને છે. (૧૦) નાનાં છોકરાં છેોકરીને દીક્ષા આપવાના હેતુથી જે છળકપટ અને યુક્તિપ્રયુકિત અજમાવવામાં આવે છે. તેના ધારાસભામે ખ્યાલ આપવા મુશ્કેલ છે. જેમનાં અપરિપકવ માનસને ***__*A# #_1c - CR
SR No.525940
Book TitlePrabuddha Jivan 1955 Year 16 Ank 17 to 24 and Year 17 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1955
Total Pages248
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy