SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૯-૫૫ આ અધારૂ' વીધતી અમારી બસ લગભગ સવા આઠે વજેશ્વરીના મંદિરની બાજુએ થઈને અખલેલીમાં આવેલા શ્રી વેલજી દેવણ છેડા સેનેટારિયમ પાસે આવી પહેાંચી. આ સેનેટાયમને તૈયાર થયાને હજુ બાર મહીના પણ થયા નથી. આ સેનેટેરિયમ મુંબઈના કચ્છી વીશા ઓશવાળ શ્રેય સાધક સમાજ તરફથી બંધાવવામાં આવેલ છે. સેનેટારિયમ ઉભુ કરવામાં શ્રી વેલજી દેવણ છેડાએ રૂ।. ૩૧૦૦૦ ની રકમ આપવાની પહેલ કરી તેથી તેમના નામને આ સેનેટારિયમ સાથે જોડવામાં આવ્યુ છે. આ વેલજીભાઈ પણ અમારી સાથે જ હતા. આ સેનેટેરિયમની જમીન, બાંધકામ અને સાધનસામગ્રી પાછળ લગભગ રૂા. ૧૫૦૦૦૦ ખરચવામાં આવ્યા છે. ભોંયતળીયું અને ઉપરના માળ એમ બે માળનું પથ્થર સીમેન્ટનું સુન્દર ડીઝાઇનવાળું મકાન છે. તેની અંદર ૧૭ ડબલ રૂમ છે અને એ સીંગલ રૂમ છે. મુખ્ય મકાનની બાજુએ એક નાનું મકાન છે. નીચે એક સાવજનિક વાંચનાલયની શરૂઆત કરવામાં આવી છે અને તેને ધીમે ધીમે એક પુસ્તકાલયમાં વિકસાવવાની ટ્રસ્ટીઓની ધારણા છે. ઉપર મોટા હાલ છે જ્યાં વજેશ્વરી પટણાથે આવતી મંડળીઓને બેસવા આરામ કરવા વગેરેની સગવડ આપવામાં આવે છે. આ સેનેટારિયમ કચ્છી જૈન સમાજની એક સંસ્થા તરફ્થી બાંધવામાં આવેલ હેાવા છતાં તેને ઉપયોગ નાત જાતના કશા પણ ભેદભાવ સિવાય ગરમ પાણીના ઝરાના ઉપચાર માટે આવતા નિરામિષાહારી કુટુંાને કરવા દેવામાં આવે છે. પ્રબુદ્ધ જીવન આ સેનેટારિયમ ઉપર અમે પહોંચ્યાં એ વખતે ઠીક ઠીક ભૂખ બધાને લાગી હતી. શ્રી લીલાવતીબહેને બધાંને ચા અને બિસ્કીટને પણ ભૂલાવી દે તેવા માંગરોળી થેપલાંને પેટભરપૂર નાસ્તો કરાવ્યા. એ પછી અમે સહુ મુખ્ય ખંડમાં ભેગા થયાં. સ્વાભાવિક રીતે જ બધાં ભેગાં મળે એટલે ગાવાની કે વાતો કરવાની પ્રવૃત્તિ ચાલે. શ્રી ગીતાબહેનને ગાવાના આગ્રહ કરતાં એમણે પડિત સુખલાલજીને ઉદ્દેશીને પાતે જ રચેલુ' કાવ્ય ‘તેજોમય અધત્વ' ગાયું: આ આનંદસંમેલનમાં અણજાણે - પણ પંડિતજીને સૌથી પહેલાં યાદ કર્યાં તે ખૂબ જ ઉચિત લાગતું હતુ, સામાન્યતઃ આપણે આપણા કાઇ પણ શુભ કાર્યમાં સૌપ્રથમ આપણી પૂજનીય વ્યક્તિ કે દેવને યાદ કરીએ છીએ. અને પંડિતજી પણ સધની પ્રવૃત્તિ પાછળ એક જબરૂં પ્રેરક બળ છે. એ રીતે એમના સ્મરણથી જ શરૂઆત થઇ એ ચેાગ્ય જ થયું. એ પછી ખીજાં ઘણાં ભાઇબહેનોએ ગાયુ. એમાં સંયુકત જૈન વિદ્યાર્થીગૃહના સંચાલક શ્રી સૂરજચંદ્ર ડાંગીજીએ કેટલાંક હિંદી, મારવાડી અને વ્રજભાષાના સુંદર કાવ્ય ગાયાં. અને આ કાવ્યો દ્વારા ખાસ કરીને મારવાડી અને વ્રજભાષાની અલિષ્ઠતા અને સુંદર ભાવાલેખન તરફ અમારૂં ધ્યાન ખેંચાયું. આ કાવ્યો દ્વારા ડાંગીજીની વિદ્વત્તા અને સાહિત્યપ્રત્યેની અભિરૂચિ પ્રગટ થતી હતી. એક યુવાન વિદ્યાર્થી કચ્છી ભાઈ શ્રી ઠાકરસી લાલજી ગડાએ ‘સાચા રૂપૈયા’તું ગીત ગાઈ ઠીક મનેારજન પૂરું પાડયું. આ સંમેલનમાં સૌથી કાઇ વધારે ખીલ્યા હોય તે તે સંધના પ્રમુખ શ્રી ... ભૂજપુરિયા, તેમણે મીરાંના બે પદો ગાયા. ‘ દેવળ જૂનુ' રે થયુ`' એ તે વૈરાગ્યસૂચક હતું પણ ખાઇ ? હું તે ખાળ કુંવારી' ગાઈને ન મમ્ની રસલ્હાણુ આપી બધાંને ખૂબ હસાવ્યા. શ્રી પાઠકસાહેબે પણ અપૂવ લાલિત્યવાળું અને પ્રસન્નમંગલદામ્પત્યનું નિદર્શક તેમનું પ્રખ્યાત કાવ્ય ‘ઉમા મહેશ’ સંભળાવ્યું. કાવ્ય સંવાદમાં લખાયેલુ છે. એ કાવ્ય સભળાવતાં જ્યારે પાઠક સાહેબ ભૂલી જતાં ત્યારે હીરાબહેન એમને યાદ કરાવતા અને એ બન્ને વચ્ચે સાદ ચાલતા. એ સાંભળતાં કાવ્યમાં વાસ્તવિક તત્ત્વ વધારે ભળતું. આ ઉપરાંત મેનાબહેન, હીરાબહેન, ઇન્દુબેન, પુષ્પાબહેન વગેરેએ સુંદર સંગીત દ્વારા અમને બધાંને ખૂબ આનંદ આપ્યો. અને શ્રી ટી, જી. શાહે પણ પોતાના રમૂજી કાવ્યો સંભળાવ્યા. આમ, ખૂબ ખૂબ આનદ કર્યાં પછી બાર વાગ્યે સહુ વિખરાયા અને સહુએ સૂવાની વ્યવસ્થા કરી. સૌ વિખરાયા છતાં આનતુ ધેન કૅમે ઊતરતું નહતુ. તેથી વધુ આનંદ માણવા અને રાત્રીની શાભા જોવા અમે અગાસી પર ચડયાં. આખાયે પટષ્ણુની સાર્થકતા અમને આ 9 ૯ વખતે લાગી. સામાન્ય રીતે પર્યટણ એટલે સવારના લોકાએ સમૂહમાં સાથે નીકળવું, ચોકકસ સ્થળે જવું, ખાવું, પીવુ, ગાવું અને મજા કરી સાંજના પાછા આવવું એ રીતે આવાં પટણા ચેાજાતા હોય છે. વળી જે સ્થળે અને જે સમયે ગયાં હાય છે તેનું મહત્ત્વ બહુ ઓછાં રૂ જાણતાં હાય છે અને માણતાં હાય છે. એક જ સ્થળ જુદે જુદે સમયે અને જુદી જુદી ઋતુમાં જુદું જુદું સૌથૅ ધારણ કરતુ હાય છે. વેરાન રણ વિસે પ્રવાસીને તાપથી અકળાવી મૂકે છે અને એ જ રણ એ જ પ્રવાસીને રાત્રે ચંદ્રના શીતળ રશ્મિના સ્પર્શે થતાં ભવ્યતા અને સૌમ્યતાનો અનુભવ કરાવે છે. એક જ દૃશ્ય દિવસના અજવાળામાં કુરૂપ અને લજામણું લાગે છે એ જ દૃશ્ય રાત્રે સુરૂપ અને સેાહામણુ બને છે. શહેરમાં રાત્રી તો રાજ જોવા મળે છે પણ અહીંની રાતનુ વાતાવરણ ને તાઝગી જ કાઇ અલૌકિક પ્રકારનાં હતાં. ઊંચે સ્નિગ્ધશ્યયામલધનઆચ્છાદિત આકાશ, સામે નજર નાખતાં દેખાતી ઝાંખી ઝાંખી પર્વતમાળા, દૂર દૂરથી ઝંકારતા આવતા નદીને મીઠો મરમર રવ—આ બધું મનને કાઈ અનેરા આનંદથી ભરી દેતા હતા. અને તેમાંય પાસેનાં વૃક્ષો પર ઊડતાં આગિયા ! જાણે કે આકાશના તારાઓ આવીને વૃક્ષ પર એસી ન ગયા હાય ! ગિરિ, મેદાન અને નભ વગેરે સૃષ્ટિના પૃથક ઘટકો રાત્રિપ્રકાશમાં પરસ્પર વિગલિત થઇ એવું એકત્વ ધારણ કરી રહ્યાં હતાં કે જાણે નખશિખ સુંદર ક્લાકૃતિ ન હોય ! વત્રીજની એ રાત હતી. અને પૂર્ણિમા તે ત્રણ દિવસ પહેલાં જ વીતી હતી. એટલે વૈભવ કમી થયા છતાં પણ પેાતાનુ તેજ ટકાવી રાખનાર કેાઈ શ્રીમંત ગૃહરાજ્ઞીની જેમ આ રાત્રી પણ પૂર્ણિમાની તેજસમૃદ્ધિની સારી એવી ઝાંખી કરાવતી હતી. કાઇ પણ સમયસ્થળને કરાળ અને સુંદર બન્ને સ્વરૂપે! હાય છે. અને એ બન્નેની નિરનિરાળી શાબા હાય છે. આ રાત્રી પણ અત્યંત તેજસ્વી નહોતી. શ્યામરંગી મેથી છવાયેલી હોવાથી આસપાસની દરેક વસ્તુ ઝાંખી લાગતી હતી. છતાં પણ એમાં જે ચિત્તહારક સૌમ્યતાનું દર્શન થતું હતું તે હૃદયમાં મીઠી, સૌમ્ય અને અકળ સંવેદના જંગાવી જતું હતું. એ સ ંવેદના કવિ સિવાય કાણુ શબ્દસ્થ કરે ? શ્રી પરમાનંદભાઇએ . એ દિવસનું પટણ ચેાજ્સ' એને લીધે આવી સુંદર રાત્રી જોવા મળી. આ માટે પરમાનદભાઈના મનથી ઉપકાર માન્યો અને સાથે સાથે એમની ઉચ્ચ પ્રકારની રસદૃષ્ટિ માટે માન પણ થયું. આવા અલ્હાદક અનુભવથી મસ્ત બની અમે પથારીમાં તા પડયા પણ કેમે કરી નયણાં ખીડાય નહિ. ખૂબ ખૂબ વાતો કરવાનું જ મન થાય. અમે બધાંય વાતે વળગ્યાં. ઠંડા પહેારના ગપ્પા મારતાં ત્રણ થયાં અને છેવટે સાડાચાર પણ થયા. એ અવિધિસરની ચર્ચામાં આંતરરાષ્ટ્રીય બનાવેાથી માંડી ને રસોઈ અને ઘાટી સુધીના ઘણા પ્રશ્નો અમે ચર્ચ્યા. છેવટે ખીજાની ઊંધમાં ખલેલ ન પહેોંચાડવી જોઇએ એવું અત્યંત મોડેથી પણ ભાન થતાં અમે પરાણે સૂઈ ગયાં. રાતના ઉજાગરાથી સવારે વહેલા ઊઠી ન શકાયું અને પ્રભાતનાં સૌદર્શનનો લહાવ અમે ગુમાવ્યા તેથી ઘેાડે! ખેદ પણ થયા. લગભગ આઠેક વાગે ચા અને નાસ્તા લઇ અમે નદીમાં નહાવા ગયા. વજ્રેશ્વરીમાં કેટલાક લાંકા મુખ્યત્વે તે ગરમ પાણીના કુંડમાં નહાવા આવે છે. આ કુંડના પાણીથી ચામડીના દર્દી દૂર થાય છે તેમ જ સંધિવા, લકવા વગેરે વ્યાધિથી પીડાતા દર્દી સાજા થાય છે, અમારામાંના કેટલાંક કુંડમાં નહાવા ગયાં. અમે છ સાત બહેને નદીમાં નહાવા ગયાં. ત્યાં પાટિયું લગાવ્યું હતું કે કાઇએ અહીં ન્હાવુ નહિ. કારણ કે નદી દર વર્ષે ભાગ લે છે, પરંતુ અમે તા એ પાર્ટિયાના લાં વિચાર કર્યાં વિના નિરાંતે નહાવા પડયાં. નદી અને એમાંએ ઊછળતી વહેતી નદીનું આકર્ષણુ અનેરૂ હોય છે. ક્રાણુ જાણે કેમ એનાં દર્શનમાં માતાની મમતા પામતાં હોઈએ એવા અનુભવ થાય છે. વળી શહેરમાં આમ નહાવાના પણ લહાવા ન જ મળે ને ? અમે તે એ નદીમાતા પર વિશ્વાસ રાખી નહાવા પડયા. નહાતા હતા એજ વખતે મેધરાજા ખૂબ વરસ્યા, મેધ એ પણ ધરતીનું જ સંતાન છે ને? તેની
SR No.525940
Book TitlePrabuddha Jivan 1955 Year 16 Ank 17 to 24 and Year 17 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1955
Total Pages248
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy