________________
૨૧૮
પ્રબુધ્ધ જીવન
તા. ૧-૪-૧૯૫૪
સજાને પાત્ર કર્યા છે જેને માટે ફેડરેશનને દુ:ખ થયું છે. સરકારે મંજુર રાખેલ એગમાર્કવાળું સૌરાષ્ટ્રનું ઘી સીલબંધ ટીનમાં જ સરકારી લેબોરેટરીમાં પૃથક્કરણ માટે મોકલીએ તે તે શુદ્ધ ઘીમાં હેવા જોઈતા આર. એમ. વેલ્યુ અને બી. આર. રીડીંગનું નથી નીકળતું એ થી થઇ હોવાની ખાત્રી હોય છે. છતાં ચકખા ધીની વ્યાખ્યા પ્રમાણે એ નથી હોતું. તેથી એ પૂરવાર થાય છે, કે હવામાન, દાણખાણના ફેરફાર, હેરેની જાતમાં ફેરફાર, ભૌગોલિક પ્રદેશની વિશિષ્ટતા અને એવા બીજા કારણો ચેકખા ધીનું Specification નક્કી કરવામાં અસર કરતા હોય છે. ઉપરાંત, પૃથક્કરણની વૈજ્ઞાનિક રીત અને એમાં વપરાતાં સાધનો તથા શખ્સ જુદાં જુદાં હોવાથી અને પરિણામની નિશ્ચિતતા લાવવા માટે કેટલાક અનુમાને પર આધાર રાખવો પડતો હોવાથી શુદ્ધ ઘી પણ ભેળસેળવાળું ધી હોય તેવાં પરિણામે બતાવાયાં છે. અને આમ શુધ્ધ ઘી વેચનારાઓ પણ સજાપાત્ર ઠરાવાયા છે. દેષિત દંડાય તેની ચિંતા ઓછી હોય, પરંતુ કાયદાની કચાશને લીધે કે વૈજ્ઞાનિક શોધની અધુરાપણાને લીધે નિર્દોષ દંડાય એ જેટલું દુઃખદ છે તેટલું ચિંતાજનક પણ છે. તે આ તકે મારે વિનંતિ કરવાની કે આ બાબતમાં ના. મુંબઈ સરકાર ભારત સરકાર સાથે વિચાર વિનિમય કરીને ભારતના પ્રાંતકાંતના કે ભૌગોલિક રીતે જુદા પડતા દરેક પ્રદેશના ધીના પ્રકાર ને ગુણતા નક્કી કરી તેની શુદ્ધતા-અશુધ્ધતાની ખાત્રી કરવા પૃથકરણની ખામી રહીત કઈ ચેકસ રીત અખત્યાર થાય તેવો પ્રબંધ કરે.
દ્વિમુખી વેરે ગયા વર્ષ દરમ્યાન વેચાણવેરાના કાયદાએ વેપારી વર્ગનું ઠીક ઠીક ધ્યાન ખેંચી રાખેલું. હવે તે એક અઠવાડિયા પછી દ્વિમુખી વેચાણવેર અમલમાં આવશે અને આપણે આશા રાખીએ કે હવે કઈ વર્ગને એની અમલ બજવણીથી ખાસ ફરિયાદ કરવાનું કારણ નહિ રહે. આખા મુંબઈ રાજ્યમાં નાના દુકાનદારોનું કોઈપણ મહામંડળ ન હોવાથી મારા ફેડરેશન દ્વારા તથા બીજા થોડાક મંડળ દ્વારા દુકાનદારનું દ્રષ્ટિબિંદુ રજુ કરવા છુટાછવાયા પ્રયાસો થયા હતા. માનનીય નાણાં પ્રધાન ડો. જીવરાજભાઈ મહેતાએ અમોને તેમજ સંખ્યાબંધ મંડળને સાંભળવાની તક આપી હતી. પરંતુ મોટાઓના મેટા અવાજ સામે અમારા નાના અવાજ પ્રત્યે ઓછું લક્ષ અપાયું છે. એમ અમારી માન્યતા રહી છે. ચીજ વસ્તુઓ પર સેલ્સ ટેક્ષ નાંખી રાજ્યની આવકમાં વધારે કરાય એના સામે અમારે વાંધો નથી, પરંતુ એની વસુલાતના તબક્કા વિષે મારું ફેડરેશન કહેતું આવ્યું છે કે, છેલ્લાથી ઉપલા તબક્કાએ (Penultimate stage) સેલ્સ ટેક્ષ વસુલ કરવાથી એ ઉપલા સ્ટેજના વેપારીઓને વર્ગ કે જે નાના દુકાન દારો કરતાં વધુ વ્યવસ્થિત હોવાથી ટેક્ષની વસુલાત એ વર્ગ પાસે વધુ સારી રીતે થવા પામશે. ઉપરાંત એ ઉપલા વર્ગના વેપારીઓ દરેક શહેરમાં કે ગામડાઓમાં કેન્દ્રિત જગ્યાઓ પર પિતાના વેપારનાં સ્થાન ધરાવતા હોવાથી સત્તાવાળાઓ એમના પર દેખરેખ પણ ઠીક પ્રમાણમાં રાખી શકે અને આમ થાય તે સેક્સ ટેક્ષ માટે રજીસ્ટર થવાની જવાબદારીમાંથી પાણેસો ટકા જેટલી સંખ્યાના નાના દુકાનદારોના વર્ગને મુકત રાખી શકાય અને તેમ છતાં સરકારને તે જોઈતી આવક તો મળી જ રહે.
જે અમારૂ દ્રષ્ટિબિંદુ સરકારે માન્ય રાખ્યું હોત તો નાના દુકાનદારો કે જેઓ પિતાને ત્યાં ટેક્ષ વસૂલ કરી તેને હિસાબ રાખવા જેટલા વ્યવસ્થિત હોતા નથી, તેઓ માલ ખરીદતી વખતે જ
સેલ્સ ટેક્ષ ભરવાને ખુશી હોઈ તેમ કરી શકયા હોત અને ગામડાની કેટલીયે દુકાને કે જે કુટુંબના નાના મોટા સભ્યથી ચલાવાતી હોવાથી તેઓ નમું કે ચોપડાઓ પણ રાખતા હોતા નથી તેમને પણ રાહત રહેત આમ સેલ્સ ટેક્ષની વસુલાત ઉપલા સ્ટેજે રખાઈ હોત તો સારું થાત. ખેર, આ પ્રશ્ન તે હવે ભૂતકાળને બન્યું છે. અને તેથી દુકાનદારભાઈઓને મારે આ સ્થળેથી વિનંતી કરવાની કે અનાજને વેપાર છુટા થયા હોવાથી હવે વેપારનું પ્રમાણ વધવા પામશે અને તે રજીસ્ટર્ડ ડીલર થવા માટેની રૂા. ૨૫૦ ૦ ૦ ના વાર્ષિક વેપારની મર્યાદા સુધી સ્વાભાવિક રીતે જવા પામશે તે જેમને વેપાર એ મર્યાદાએ પહોંચે તેમણે દરેકે રજીસ્ટર્ડ ડીલર થવા અરજી કરી ન હોય તે હવે કરી દેવી. જો કે અનાજ પર ટેક્ષ નથી છતાં વાર્ષિક વેપારની મર્યાદામાં આપણે આવી જઈએ છીએ એટલે રજીસ્ટર થવું જરૂરી છે
અન્ય બાબતો બીજુ વિશ્વયુદ્ધ, ભારતના આરે ઉભું ત્યારે મુંબઈમાં જગ્યાની તંગી દેખાતાં તે વખતની સરકારે અમારા દુકાનદાર ભાઈઓ પાસેથી પણ કેટલીક જગ્યાએ લઈ લીધેલી. આ લઈ લીધેલી જગ્યાઓમાંથી કેટલીક જગ્યાએ પાછી મળી છે જ્યારે બાકીની જગ્યાઓ કે જેમાં સરકારી અનાજની દુકાને તેમજ કો-ઓપરેટીવ સેસાયટીઝની દુકાને ચલાવાય છે તે હજી પાછી મળવાની બાકી છે. તે હવે શ્રીમાન મુંબઈ સરકાર વહેલી તકે તે મુકત કરે એવી આ સ્થળેથી હું ખાસ આગ્રહભરી અપીલ કરું છું.
જગ્યાઓ રેકવીઝીશન કરવાના કાયદાને છે કે હવે ઘણો હળ કરવામાં આવ્યું છે, છતાં એને વધુ હળ કરવાની અગત્યતા ઉભી જ છે. સીંગલ કે ડબલ રૂમમાં રહેતા નીચલા મધ્યમ વર્ગને શખ જો બીજા કોઈના નામ હોય તેવી જગ્યામાં રહેતા હોય તે તેના પર ચિંતાને બેજ ઉભો જ છે તે એવી રીતે રોકાયેલી આજ દિવસ સુધીની બધી જગ્યાઓને રેકવીઝીશન થવાના ભયથી મુકત કર્યાની જાહેરાત કરી દેવાયાને નિર્ણય લેવાય એ જરૂરી છે. ઉપરાંત મકાન માલિકની સંમતિથી થતી રહેઠાણની ફેરબદલી વખતે તથા નવા બંધાતા મકાનમાંની જગ્યાઓ ભાડે આપતી વખતે એકેડેશન ખાતાની રજા લેવાનો કે એ ખાતાને ખબર આપવાનો જે નિયમ છે તે પડતું મુકાવોહવે જરૂરી હોવાનું હું નમ્રપણે માનું છું. .
દુકાનદાર વર્ગને મોટે ભાગ ઉજળયાત વર્ગને હેવાથી તે મધ્યમ વર્ગને કહેવાય છે, પરંતુ તેમાંના ઘણાની આર્થિક સ્થિતિ નબળી હોય છે. શહેરમાં એ વર્ગના પુરૂષ સભ્ય જ કમાતા હોય છે. પરિણામે બાળકોના શિક્ષણ ક્ષેત્રે અને જીવનની બીજી જરૂરીયાત મેળવવા માટે આવક જાવકના પાસાં સરખાં. કરતાં એ વર્ગ ઘણીજ તણુ ભગવતે હાર્યું છે. તે તાળામાં જોઈતાં પુસ્તકની સંખ્યા નકકી કરી અભ્યાસક્રમમાં ફેરફારને કારણે વખતે વખત પુસ્તકની થતી બદલી અટકાવીને અને શાળાની ફીમાં ધટાડો જાહેર કરીને એ વર્ગની કેડ ભાંગતા અનિવાર્ય ખર્ચમાં રાહત આપવા માનનીય મુંબઈ સરકાર વહેલી તકે વિચારી નિર્ણય લે એ વિનંતી. વિષયસચિ આપણે ક્રાન્તિનો વારસે
બેચરદાસ દેશી ૨૧૧ પ્રકીર્ણ નેંધ: મુંબઈને ન વેચાણવેરે,
પબ્લીક ચેરીટી ટ્રસ્ટ એકટ અને સુપ્રીમ કેપ્ટને ચુકાદે, ભાઈ કૃપાળ કોઠારીને અભિનંદન,
પરમાનંદ ૨૧૩ શ્રી ખીમજી માંડણ ભુજપુરીઆનું પ્રમુખસ્થાનેથી પ્રવચને ૨૧૬ |
મુંબઈ જૈન યુવક સંઘ માટે મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, ૪૫-૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઇ, ૩.
મુદ્રણસ્થાન : જવાહર પ્રિન્ટીંગ પ્રેસ, ૧૨, કેશવજી નાયક રોડ, મુંબઈ ૯.