________________
તા. ૧-૧૧-૫૪
પ્રશુદ્ધ જીવન
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ રજત મહેાત્સવ
૨૬ વર્ષ નું વિહંગાવલેાકન
જે મુંબઈ જૈન યુવક સંધના રજત મહાત્સવ ઉજવવા આપણે સૌ એકત્ર થયા છીએ તે સધ આસા માસની પૂર્ણાહુતિ થવા સાથે ૨૬ વર્ષ પૂરાં કરશે. આ લાંબી મુદત દરમિયાન બનેલી અનેક ધટનાને એક નાના સરખા વૃત્તાન્તમાં સંકલિત કરવી એ બહુ કાણુ કામ છે. આ માટે પ્રારંભમાં તે જે વાતાવરણ વચ્ચે આ મુંબઇ જૈન યુવક સંધનું નિર્માણ થયું એ વાતાવરણનું ઝાંખું ચિત્ર રજી 'કરવું આવશ્યક છે. આજથી છવ્વીશ વર્ષ પહેલાં સમાજમાં રહેલા અનેક હાનિકારક રીવાજો અને માન્યતા અને ધર્મના નામે ચાલતા દબા દૂર કરવાં એ હું મારી ફરજ સમજું છું.
(૪)
આજથી છવ્વીશ વર્ષ પહેલાંના એ દિવસે કે જ્યારે જૈન સમાજના અને ખાસ કરીને મુબઇ, ગુજરાત, કચ્છ અને કાઠિયાવાડમાં વસતાં જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક વિભાગને યુવક સમુદાય પ્રમત્ત સાધુશાહી અને ખાલદીક્ષાના અનિષ્ટ સામે ઉકળી ઉઠયા હતા, સ્થળે સ્થળે ખલદીક્ષા વિરૂધ્ધ મારચાઓ મંડાઇ રહ્યા હતા, એકમેકની વિરૂધ્ધ ગરમા ગરમ લખાણો પ્રગટ થતાં હતાં અને ભાતભાતની સભા ભરાતી હતી અને તત્કાલીન તુમલ આન્દોલને આખા જૈન સમાજને હચમચાવી મૂકયેર્યા હતા.
પ્રારંભમાં એ સમાનલક્ષી યુવક સધાની સ્થાપના
તે અરસામાં સાધુશાહીની આપખુદી, ખાલદીક્ષા, જુનવાણી સામાજિક રીતરીવાો અને રાષ્ટ્રહિતવિરાધી કમી માનસ સામે સંગઢ઼િત બનીને કાર્ય કરવાના આશયથી તેમજ જૈન સમાજમાં ઊચ્ચ કેળવણીના પ્રચારના વિરોધ કરતા સ્થિતિચુસ્ત સાધુશ્રાવક સમુદાયને સામને કરવાના હેતુથી લગભગ ચાર પાંચ મહીનાના ગાળામાં મુબઇ ખાતે એ સમાનલક્ષી મુંબઇ જૈન યુવક સંધ અથવા જૈન યુય લીગની સ્થાપના કરવામાં આવી હતી. પહેલા યુવક સંધની સ્થાપના ૧૯૨૮ ના નવેમ્બર માસની આખરમાં (વિ. સ. ૧૯૮૫ કાક સુદ પ) શ્રી રતિલાલ ચીમનલાલ કાઠારી જે મુબઇ જૈન યુવ સંધના લાંબી મુદ્દત સુધી ગાળે ગાળે મંત્રી હતા અને આજે પણ સંધની કાર્યવાહક સમિતિના સભ્ય છે તેમની આગેવાની નીચે કરવામાં આવી હતી. એવી જ રીતે આશરે પાંચ માસ બાદ તા ૩-૨ -૨૯ ના રાજ શ્રી કલભાઇ ભુદરદાસ વીલ. શ્રી સી. વી. શાહ, શ્રી ચીમનલાલ મેતીલાલ પરીખ અને સ્વ. ડૉ. નગીનદાસ જે શાશ્વના પરિચયથી જૈન યુવકોની એક સભા ખેલાવવામાં આવી હતી અને એ સભામાં ખીજા જૈન યુવક સધની રચના કરવામાં આવી હતી. આ સંધના મંત્રી તરીકે સ્વ. ડૉ. નગીનદાસ જે. શાહ, શ્રી ઓધવજી ધનજી શાહ તથા શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાને ચૂંટવામાં આવ્યા હતા આ સધના ઉદ્દેશો નીચે મુજબ નકકી કરવામાં આાવ્યા હતા.
ઉદ્દેશ
(ક) મુખ્યત્વે કરીને જૈતાની ધાર્મિક, આર્થિક અને સામાજિક ઉન્નતિના ઉપાયે રાષ્ટ્રહિત સાચવીને ચેાજવા અને અમલમાં મૂકવા. (ખ) રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં બને તેટલી સહાય આપવી અને જૈન સમાજમાં રાષ્ટ્રીય ભાવના ખીલે તેવાં પગલાં જેવાં આત્મનિવેદન
આ સંધમાં જોડાનાર સભ્યે નીચેના નિવેદનને સ્વીકાર કરવા પડતા.
(૧) વિચારસ્વાતંત્ર્યમાં હું સંપૂર્ણ રીતે માનુ છું અને તેટલા જ કારણસર કાઇ પણ વ્યકિતને સંઘબહારની શિક્ષા કરવામાં આવે તેની હું વિરૂધ્ધ છું.
(૨) જૈન સમાજની આધુનિક પરિસ્થિતિ જોતાં આપણા દ્રવ્યના ઉપયોગ મુખ્યત્વે કરીને સમાજની સ્પાર્થિક અને કેળવણી વિષયક ઉન્નતિમાં જ થવા જોઇએ એમ હું માનુ છું. (૩) જૈનાના સર્વ ક્રિકાના ઐકયમાં હું માનું છું અને તે ઐકય વધે તેવી પ્રવૃત્તિઓને ટેકો આપવા એ હું મારા ધર્મ માનુ છું..
3
૧૦૩
(૫) સાધુવેશમાં ક્રતા ચારિત્રભ્રષ્ટ સાધુસાધ્વીને સાધુસાધ્વી તરીકે હું સ્વીકારતા નથી.
(૬) આત્મશુધ્ધિ, સત્યનિષ્ઠા અને સેવાભાવને હું મારા જીવન— મત્ર તરીકે સ્વીકારૂ' છું.
આ નિવેદનની વિગત આપવાના આશય એ છે કે છેલ્લાં ૨૬ વર્ષ દરમિયાન સંધના બંધારણમાં, રચનામાં તેમ જ કાર્ય - પ્રવૃત્તિમાં અનેક ફેરફારો થતા રહ્યા છે. સમયના બદલાવા સાથે સંધ પોતાના સ્વરૂપમાં અને દર્શનમાં પણ ઠીક ઠીક બદલાતા રહ્યો છે. એમ છતાં પણ રાષ્ટ્રહિત સાથે મેળ મેળવીને શકય તેટલી જૈન સમાજની સેવા કરવી, રાષ્ટ્રીય પ્રવૃત્તિને અને તેટલી સહાય આપવી, વિચારસ્વાતંત્ર્યના ઉગ્ર પક્ષકાર રહેવું, દાનની દિશા ખાવા તર સમાજનું વારંવાર ધ્યાન ખેંચતા રહેવુ, જૈન સમાજના ઐકયનુ સતત પાષણ અને સમર્થન કરવુ, સામાજિક તેમજ ધર્મના નામે ચાલતા દંભા અને પાખડા સામે બડખોરી ચલાવવી, સાધુએ વિષેની આંધળી શ્રધ્ધાને નિર્મૂળ કરવી અને જનતાની શકય તેટલી સેવા કરવી- મુંબઈ જૈન યુવક સંધની આજ સુધીની સર્વ પ્રવૃત્તિએના મૂળ સુર રહ્યા છે.
૧
સંઘની આદ્ય પ્રવૃત્તિઓના પ્રેરક ખ્યાલો
એ સધાતું એકીકરણ
ઉપર જણાવેલ અન્તે જૈન યુવક સધા ટુંક સમય જુદા જુદા રહીને કામ કરવા બાદ, બન્નેના ઉદ્દેશો તથા નીતિ તેમજ કાર્ય કર્તાઓ મોટા ભાગે સમાન હાઇને, તા. ૭-૫-૨૯ ના રાજ એ બન્ને સંધાને એકત્ર કરવામાં આવ્યા અને તેની પ્રથમ ચૂંટણીમાં (બંધારણ મુજબ પ્રેમુખ તરીકે કોઇને ચૂંટવાના નહિ હાઇને) સ્વ. નગીનાસ જે. શાહ, શ્રી ઓધવજી ધનજી શાહ, પરમાનંદ કુંવરજી કાપડિયા તથા શ્રી રતિલાલ ચીમનલાલ કાઠારીને મંત્રી તરીકે ચૂંટવામાં
આવ્યા,
આ સંધના વિકાસને અને ઉત્તરાત્તર બનેલી ઘટનાઓને યથા સ્વરૂપે સમજવા માટે આજ સુધીની તેની ઉજ્જવળ કારકીર્દીને એ વિભાગમાં વહેંચવી જરૂરી છે. પહેલા વિભાગ તે સધની ૧૯૨૯માં થયેલી સ્થાપનાથી તા. ૧૦-૯-૩૮ સુધીના સમય અને ખીજો વિભાગ કે જેની શરૂઆતમાં સધના બધારણમાં કેટલાક મૌલિક. ફેરફાર કરવામાં આવ્યા અને સંધ માત્ર જૈન શ્વે. મૂ. ક્રિકાના મટીને આખા જૈન સમાજને આવરી લેતા થયા ત્યારથી આજ સુધીના સમય. આ પ્રથમ વિભાગ દરમિયાન સંધે હાથ ધરેલી વિવિધ પ્રવૃત્તિઓ પાછળ રહેલા પ્રેરક ખ્યાલ આ મુજબના હતા. (૧) અયોગ્ય દીક્ષા અને તેમાં પણ બાળદીક્ષાની પ્રવૃત્તિ સામે શકય તેટલી જેહાદ ચલાવવી.
(૨) સાધુએંના ભા, શિથિલતા અને આપખુદીને ખુલ્લી
પાડવી.
(૩) જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક કોન્ફરન્સને બને તેટલો ટેકો આપવા અને પ્રગતિશીલ વિચારાના તેની પાસે શક્ય તેટલો સ્વીકાર કરાવવા.