________________
ve
પ્રશુદ્ધ જૈન
સમાજવાદી પક્ષ માટેની અવિરત પ્રવૃતિ ઉપરાંત તેમને મુંબઇગરાઓના હૃદયમાં કાયમી સ્થાન અપાવનાર એક ખીછ પ્રવૃતિ આવી પડી. મુંબના ગુમાસ્તામે તે સમયે બુરી દશામાં સપડાયેલા હતા. તેમનું સંગઠ્ઠન ન હતું. સવારના છ થી રાતના ભાર સુધી કામ કરવુ પડતુ હૈાય એવાઓની સખ્યા પણ કમી ન હતી. ૧૯૨૮ થી ૩૦ સુધી હું. જયારે આવા જ એક ગુમારત હતાં ત્યારે ગુમાસ્તા પ્રવૃત્તિ અને ગુમાસ્તા કાયદાનાં સ્વપ્ન સેવેલાં. ૧૯૩૬ ના વર્ષોમાં હિંદના રાજકારણમાં આવતા પલટાને નજર સમક્ષ રાખીએ મધ્યમવર્ગને જાગૃત કરવા એક લેખમાળા મે” “જન્મભૂમિ માં લખેલી, ગુમાસ્તામાં રાહત અને પરસ્પર સહકારની પ્રવૃત્તિ કરતાં કાપડ બજાર`ગુમાસ્તા તિવક મડળ અને ઇસ્ટ ઇન્ડીઆમાં કામ કરતાં કેટલાક ગુમાસ્તા ભાઇએએ આ વાંચી તેવી પ્રવૃત્તિ શરૂ કરવા વિચાયુ ગુમારતાપ્રવૃત્તિ શરૂ થઇ. પર`તુ તેમાં જોતા જોશ પૂરાતા ન હતા. અચાનક એ પ્રવૃત્તિને શ્રી મહેરઅલીને 'સાથ મળી ગયા. પછી તે તેમાં વિજળીની ઝડપ આવી ગઇ. સભાએ સરધસે। વગેરે થવા લાગ્યાં. એ વખતની ગુમાસ્તાની પ્રવૃત્તિ એટલે રાતના દસથી એક કે બે વાગ્યાના સમય.. આમ છતાં શ્રી મહેરઅલી દરરાજ રાત્રે એક બે સભાએ વગેરે કાર્યક્રમા પાર પાડતા હતાં. તેમના જે ઝડપ, રા, ચીવટ વગેરે ૧૯૨૯-૩૦ માં જોવાયેલાં તે ફરીવાર જોવા મળ્યાં. પહેલી ગુમાસ્તા પરિષદ માધવબાગમાં સ્વ. જમનાલાલજીના પ્રમુખસ્થાને મળી, અને તેનું ઉદ્ઘાટન શ્રી ગુલઝારીલાલ” નદાએ કયુ. તેના સ્વાગત પ્રમુખ શ્રી મહેરઅલી હતા, એ પરિષદ અને ત્યારપછી સ્થપાયેલ ગુમાસ્તા મહામ`ડળ એ શ્રી મહેરઅલીા સર્જન હતાં. આજે પણું મુંબ”ના ગુમાસ્તા વગ` પેાતાને એ ભય'કર ગુલામીમાંથી મુકત કરાવનાર તરીકે મહેરઅલીને જ ગણે છે અને ગણુતા રહેશે.
૧૯૩૯ ના સપ્ટેમ્બરમાં ખીજું વિશ્વયુદ્ધ શરૂ થયુ. અને આપણા દેશના રાજકારણમાં એક પલટો આવ્યા. કૉંગ્રેસ સરકારે એ રાજીનામાં આપ્યાં અને હિંદની ચ્છા વિરૂદ્ધ લડાઇમાં ધસડનાર - બ્રીટન સામે લડતના નાદ ચારે બાજુ ગાજી ઉયે।. ૧૯૪૦ ના સપ્ટેમ્બરમાં મુંબઈમાં મહાસમિતિની બેઠક મળી. મહાત્માજીએ વ્યકિતગત સત્યાગ્રહ્ન શરૂ કરવાની દરખાસ્ત રજુ કરી. એને સમાજવાદી પક્ષ તરફથી ટકા આપવાનુ. શ્રી. મહેરઅલીને ભાગે આવ્યું હતું. ત્યારપછી ટુ'ક સમયમાં એ લડત શરૂ થઈ અને મહેરઅલી તેમાં ભાગ લઇ નાસીક જેલમાં સ્થાનબધ્ધ થયા,
બાદ
૧૯૪૧ ના ડીસેમ્બરમાં જેલમાંથી છુટીને આવ્યા પક્ષના કામે પુજાબ ગયેલા. સર સીકંદરની બ્રીટીશ સરકારને અતિ વાદાર સરકારે તેમને કાંઇક પ્રતિબંધ ફરમાવ્યા અને તેને ભગ કરી છ માસને કારાવાસ સ્વીકાર્યાં.
શ્રી. મહેરઅલી સને ૧૯૩૫ ની સાલથી મુબઇ મ્યુ. કોર્પો રેશનના સભ્ય હતા. એ સમયે કોર્પોરેશનના મેયરની ચુ'ટણી દસ વરસે જુદી જુદી કામેામાંથી થતી. સને ૧૯૪૨ ની સાલમાં મુસ્લીમ કામને મેયરપદમાટેના વારા હતા. કૉંગ્રેસપક્ષમાં એ પદને લાયક એવા એકમાત્ર મુસ્લીમ - સભ્ય શ્રી. મહેરઅલી જ હતા. આમ છતાં તે સમાજવાદી હોવાને કારણે તેમને એ સ્થાને ન મૂકતાં શ્રી. મહમદભાઈ રવજીને એ સ્થાને મૂકવા મુંબઇના કોંગ્રેસ અગ્રણી શ્રી પાટીલ પ્રયાસ કરી રહ્યા હતા. શ્રી, મહેરઅલી એ સમયે પંજાબની જેલમાં હતા, એ વાતનુ એમને એ સ્થાને ન મૂકવા માટે બહાતુ 'લેવાયું હતું, જો કે એ સ્થાને ચુંટાવા માટે ઉમેદવા રની હાજરીની મુદલ જરૂર ન હતી. મેં આ પ્રશ્ન ઉપર લેાકમત ઉભા કરવા તે વખતનાં અગ્રણી ગુજરાતી મરાઠી દૈનિકાના તંત્રીએને મળી શ્રી. મહેરઅલીને જ મેયર-નગરપતિ ચુટવા જોઇએ એવા અગ્રલેખ લખાવ્યા. પછી તે તેમને જ એ સ્થાને મૂકવા
એ કાંગ્રેસી અગ્રણીઓ માટે જીવતી માખી ગળવા જેવુ. આકર્ બની ગયું'. કદાચ સરદાર સાહેબને સાથ મળે એ આશાએ શ્રા.
તા. ૧૫-૭-Yo
પાટીલ તે વખતે સરદાર સાહેબ વર્લ્ડ હાઇ તેમને મળવા ત્યાં ગયા. પરંતુ સરદાર સાહેબ અને મહાત્માજીએ પણ શ્રી મહેરઅ લીનુ જ નામ સુચવ્યુ, અને લગભગ તે જ અરસામાં કોઇક કાનુની મુ ઉપર તેમની જેલમુક્તિ પણું થઇ. આમ હિંદના ઇતિહાસમાં અમર અનેલ ૧૯૪૨ ના વર્ષના નગરપતિપદે તેઓ ચુંટાયા. ટુંક સમયમાં જ પોતાની તેજીલી કાય પદ્ધતિ અને ચીવટને પરિણામે લોકપ્રિય નગરપતિ થઇ પરંતુ એ સ્થાને રહી નગરજનેાની વધુ સેવા કરે તે પહેલાં તે માતૃભુમિની આઝાદીને સાદ પડયા અતે તા. ૯મી એગષ્ટની વહેલી પ્રભાતે મહાત્માજી અને અન્ય આગેવાન સાથે તેઓ પણ પકડાઇને ચરાડા જેલમાં ધકફેલાઈ ગયા. ત્યાંથી જ તે ભયંકર હૃદયરોગને ભાગ બની બહાર પડયા, અને આખરે મૃત્યુ"ત સાત સાત વર્ષો સુધી એ રેગ સામે ઝૂઝતા રહ્યા.
પડયા.
એમના જાહેરજીવનની આ સત વર્ષોમાં બહારની દુનિયાને મન તે પથારીમાં પડેલા જ જશુ શે. પરંતુ પથારીમાં, પડયા પુડયા પણ તેઓ જંપીને બેસતા ન હતા. આદશના દિવાનાઓને વળી જંપ કેવા? ઇતિહાસના એ અભ્યાસીએ ભાર કિસન મહેતા અને ખીજા થોડાક યુવાનોની મદદથી રાષ્ટ્રવિકાસ ચિત્ર પ્રદર્શન” તૈયાર કર્યું". આઝ દીના આગમન પહેલાં, લડતના પછડાટથી થાકેલી પ્રજામાં નવીન સ્મ્રુતિ' સ’ચારવાનું' કાય એ પ્રદશ ને કયુ તેનુ એકેએક ચિત્ર શ્રી મહેરઅલીને સ’પુ` સતેષ ન થાય ત્યાં સુધી ચિત્રકારે ફરી ફરીને બતાવવુ પડેલુ, એમાનાં કેટલાંક ચિત્રની કિંમત તે। સેકડે રૂપીમાં આંકી શકાય એવાં સુંદર હતાં.
વર્ષોં વીતવા લાગ્યાં અને માંદગી લખાતી જ ગઈ. ઉપચારઅથે અમેરીકા ગયા. સમગ્ર હિંદ. જ્યારે આઝાદીની ઉષાનું સ્વાગત કરી રહ્યું હતું ત્યારે તે આઝાદીના આ અનન્ય ઉપાસકને માતૃભૂમિથી હજારો માઇલ દૂર દવાખાનાં કે સેનીટેરીઅમામાં દિવસે કાઢવા અસહ્ય લાગતા હતાં. ૧૯૪૮ ના પાછલા તેઓ હિંદ પાછા ફર્યાં. પરંતુ તબીયત જોઇએ તેવી ન જ સુધરી
ભાગમાં
આવી તખીયતે પણ સમાજવાદી પક્ષની અનુને માન આપી મું'બઇ ધારાસભાની ખાલી પડેલી એક મુસ્લીમ બેઠક માટે તેઓ ઉભા રહ્યા. શરૂમાં તે કોંગ્રેસે તેમની સામે ઉમેદવાર ઉભા કર્યાં. પરંતુ પાછળથી તે ઉમેદવારને ખેંચી લઈ શ્રી મહેરઅલીને વિના હરિફાઇએ ધારાસભામાં જવા દેવાતું. દ્વાપણું મુંબઇ કાંગ્રેસના આગેવાનાએ દાખવ્યુ.
ધારાસભાની તેમની કારકીર્દી બહુ થોડા જાણે છે. પરંતુ તેની છેલ્લી ખેઠકમાં વિરાધપક્ષ જે કાંઇ દેખાવ કરી શકયા હૈાય તેનુ મુખ્ય શ્રેય શ્રી મહેરઅલીને જાય છે. એ મારા જાતિ અનુભવ છે. બૃહદ મુંબઇના ખરડા આવવાના હતા. અને તેમાં ઉપનગરના પ્રતિનિધિત્વનાં પ્રમાણ અને પ્રકારમાં ઉપનગર વિસ્તારેને અને ખાસ કરીને પારલે અધેરી વિભાગને અન્યાય થતા હતા. એક દિવસ સવારના દશ વાગ્યે મે" તેમને ફાન કર્યાં. તેમણે જણાવ્યુ કે આજે જ એ ખીલ આવવાનું અને અમે તે। તેને ખીનચર્ચાસ્પદ માનીએ છીએ તેથી ૫-૧૦ મીનીટમાં પસાર થ જશે. તેમણે મને અમારૂં દૃષ્ટિબિંદુ સમજાવવા કહ્યુ. તેમની પાસે પહેાંચવા જેટલા સમય પણ ન હતા. તેજ દિવસે “ જનશકિત” માં પ્રસિદ્ધ થયેલે મારે એ પ્રશ્ન અ ંગે લેખ વાંચી જવા મે' તેમને જણાવ્યું. ઘરેથી નીકળી ધારાસભ ગૃહ સુધી પહેાંચતાં સુધીમાં તેઓ એ વાંચી ગયા. વિરોધપક્ષના ૨-૪ સભ્યોને મળી એ ખીલ ઉપર ચર્ચા કરવા સૂચવ્યું. પેાતે જ એ ચર્ચાની શરૂઆત કરી. પછી તે સાત દિવસ સુધી એના ઉપર ચર્ચા ચાલી. કેંગ્રેસના જ એક મહારાષ્ટ્રીય સભ્યે એમાં સંયુકત મહારાષ્ટ્રને વિરોધ દેખાતુ` ભાષણુ કયુ" અને સ્થાનિક સ્વરાજ,ખાતાના પ્રધાન શ્રી વ'કને પેાતાનુ ખા ખીલ ખતરામાં પડવાના ડર લાગ્યો. એક દિવસ ચાહતે સમયે તેઓ શ્રી. મહેરઅલીને મળ્યા, પોતાની ભૂમિકા સમજાવી, પાલે'-અધેરીતે એક બેઠક આછી મળતી હાવાને સ્વીકાર કર્યો. પરંતુ ફેરફાર માટે સમય રહ્યો નથી અને ચર્ચા લખાશે તે પ્રાંતિય રવરૂપ પકડશે, માટે