SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ પ્રશુદ્ધ જૈન “તમારે જે પૂછ્યુ હૈાય તે પૂછે” એ જાતનુ વાતાવરણુ આખાયે ગામમાં થોડાક વખતમાં જ ઉભું થઇ શક્યું અને અમારા સવાલેના જવાબ થેડીક ગમ્મત સાથે અમને મળવા લાગ્યા. “ દેવુ છે ?' એમ પૂછીએ ત્યારે અમ ન્હાય ? કહેતાં દેવાની રકમ જણાવે, “ કુટુંબમાં છેકરાં કેટલાં છે ? ' પૂછ્યું ત્યારે કહે “ સાહેબ, એ તે કાંઇ ગણવા ખેડા છીએ !” ખારાકની વિગતે પૂછ્યા જતાં જવાબ મળતા; તે હવે સરકાર ખાવાનું પુરૂ કરવાની છે?” હેકરા છેકરી પરણેલાં છે કે નહિ એ પૂછ્યું ત્યારે કહે; “ આટલાં ખેતે પાવતા જો, સાહેબ !' આમ ગમ્મત' સાથે અમારા બધા સવાલાના જવાબ અમને મળવા લાગ્યા. વળી કર્યાં આ સશોધનનું કાય કરવા આવેલુ. શહેરવાસી દંપતી યુગલ અને કયાં આ ગામડાના ભિન્ન રીતભાતવાળા લકા ? આ વિસંવાદને વણુ વતાં તેઓ જણાવે છે કે “ ગ્રામજીવનને પહેલવહેલા જ પરિચય હોવાથી અમારી શહેરી રીતભાત હાસ્યાસ્પદ બનવાના ડર તા અમને હતા જ, ઉધાડે માથે ફરવુ, સવાર સાંઝ ફરવા જવું; શાકભાજી વધારે પ્રમાણમાં ખાવા વગેરે એમના જીવનથી જુદી તરી આવતી ખીનાએની તે પુરતી મજાક ઉડાવતા. અમારી મુખ નજીવી વાત પશુ એમની વાતચીતમાં મહત્વના મુદ્દો બની જતી. પ્રાર'ભમાં બન્ને વચ્ચે આવી અસમ ભૂમિકા હોવા છતાં લેખક યુગલ- આખી પ્રજાના પૂ - વિશ્વાસ અને સહકાર મેળવી શકે છે અને એક વર્ષની લાંખી સાધના દ્વારા ભુવેલના હાર્દને પ્રાપ્ત કરે છે. આ કાંઇ સાધારણ સિધ્ધિ ન કહેવાય. તા. ૧૫-૬ આખી તપાસના સારરૂપપુનઃનાના પ્રકરણમાં તેમના સમગ્ર અનુભવ અને અવલોકનની તેમણે તારવણી કરી છે. ગ્રામસુધા .. રણાના પ્રશ્નને તેઓ ત્રણ વિભાગમાં વહેંચી નાંખે છે, (ક) આર્થિક ઉન્નતિ (ખ) સામાજિક ઉન્નતિ (ગ) સરકારી તંત્રની સુધારણા. આર્થિક ઉન્નતિ સાધવા માટે ત્રણ પ્રકારના ઉપાયે તે સુચવે છે. (૧) જમીનનું ઉત્પન્ન વધારવું (૨) આવકનાં અન્ય સાધને વધારવાં (૩) મીનજરૂરી ખર્ચ ઘટાડવા. અને ભુવેલની વ્યકિતગત પરિસ્થિતિ લક્ષ્યમાં રાખીને આ ત્રણે ઉપાયો પરત્વે તે કેટલીક વ્યવહારૂ ભલામણી કરે છે. સામાજિક ઉન્નતિનું કાય પણ તેઓ ત્રણ વિભાગમાં વહેચે છે (૧) તંદુરસ્તી અને સ્વચ્છતા (૨) માનસિક આરોગ્ય (૩) સામુદાયિક જીવન. અને આ ત્રણે વિભાગા અંગે પણ તેઓ કેટલીક ઉપયોગી ભલામણા કરે છે. સરકારી તંત્રની સુધારણા એ મુખ્ય સુધારાની અપેક્ષા રાખે છે. (૧) 'ચાયતની સુધારણા (૨) લેાકેાની ફરિયાદો નિકાલ સહેલાઇથી, ઝડપથી તથા એછે ખચે થય એ કક્ષાએ તંત્રને પહોંચાડવું. આ બન્ને પ્રકારની સુધારણાની પદ્મ તેમણે વિગતવાર ચર્ચા કરી છે. છેવટે આ ગ્રામપુનધટનાનું કાય કરશે. કાણુ ? એ મૌલિક પ્રશ્ન ઉપર તે આવે છે, આ સબધમાં તેઓ જણાવે છે કે (૧) ગ્રામસુધારણાના પાયા લૉકા તે છે અને લેાકાની તૈયારી માટે નીચેની ત્રણ સરથાને સારી રીતે વિકસાવવી જોઇએ. (ક) સહકારી મ'ડી (ખ) પંચા યત અને (ગ) નિશાળ. (૨) ગ્રામસુધારણાની સરકારે ચોકકસ ચેાજના કરવી જોઈએ અને એ યેાજના અમુક વખતમાં પાર * પાડવાના નિણૅય લેવાવા જોઈએ. (૩) ત્રીજી અગત્યનું પથિયું અને કદાચ આખી વ્યવસ્થાનું સૌથી મહત્વનુ પગથિયુ` લે। । અને સરકારને સાંકળતાં તાલુકામાંડળે છે. આગળ ઉપર ગામની સ્થાનિક સસ્થાને ઉલ્લેખ કરવામાં આવ્યા છે, પણ ગ્રામે ધારના કા'માં એકલી એ સસ્થા પુરતી નીવડવાની નથી. એ માટે તે વીસપચ્ચીસ ગામવાળા એક તાલુકાનુ સંગઠન જ કરવુ જોઇએ. આ તપાસ કરવા માટે તેમણે કેવી કાય પદ્ધતિ અખત્યાર કરી તેનું વિવરણુ કરતાં તે જણાવે છે કે “ માહિતી એકઠી કરવા માટે અમારી પાસે ખે સાધને હતાં (૧) સરકારી પત્રકા (૨) લોકા સાથેની વાતચિત. બેઉ સાધતેમાંથી એક પણ સાધન ઉપર ડરે વિશ્વાસ મુકી શકાય તેમ નહોતું. સરકારી પત્રકા તલાટીએ તયાર કરવાનાં હોય છે, આ પત્ર! તલાટી કેવી રીતે તૈયાર કરે છે એ ગામડામાં રહેતા એક એક માણુસ સારી રીતે જાણે છે. ચારે ખેઢાં ખેડાં બધાં પત્રકા તૈયાર થાય છે. તેથી તેની સચ્ચાઇ વિષે કેટલેા વિશ્વાસ મૂકી શકાય એ સમજી શકાય તેવું છે,....સરકારી પત્રકમાંથી મેળવેલી વિગતાની સચ્ચાઇની ખાત્રી લકાને પુછીને કરતા. પરંતુ લેાકા પાસેથી મેળવેલી વિગત પશુ હુંમેશાં વિશ્વાસપૂ ન નીકળતી. જમીનની બાબતમાં તે એમની પાસેથી મળેલી વિગતે મોટે ભાગે વિશ્વાસપાત્ર હતી. પરંતુ તેમની ઉમ્મર, તેમને ખારાક, તેમની જમીનની ઉપજ વગેરે અંગે તેમણે આપેલી વિગતો માટે ખૂબ કાળજી લેવી પડતી. આને લગતી મુશ્કેલીએના તેડ, તેઓ જણાવે છે તે મુજબ, અને તેટલી વધુ માણસાને પૂછીને જ કાઢતા અને એ રીતે વધુમાં વધુ ચેકસાઈ મેળવવાને પ્રયત્ન કરના. ઉપરાંત બની શકે તેમાં તે પેાતાના નિરીક્ષણ ઉપર જ બધી વિગતે માટે સૌથી વધારે આધાર રાખતાં. આમ સરકારી પત્રકા, લેકા સાથેની વાતચિત અને તેમનુ પેાતાનુ નિરીક્ષણુ–આ ત્રણે ચીંજો સમન્વય કરીને પ્રસ્તુત તાસમાં રજુ ક॰ામાં આવેલાં અનેક અનુમા અને નિયા તેમણે તારવ્યાં છે. આ તપાસ દરમિયાન એક નિયમ તેમણે શરૂઆતથી ઘડી રાખ્યા હના. અને તે એ કે લોકાની સગવડ પ્રમાણે જ કામ કરવું. તેથી ગામને ચારે કે પોતાના મુકામે લેાકાને ખેલાવવાને બદલે આ અને પતિપત્નીએ લોકાના ઘેર જવાતુ જ રાખ્યું હતું અને એ રીતેજ બધી માહીતી એકઠી કરી હતી. આવી રીતે તપાસના નિષ્કુÖયાને વ્યથિત રીતે તારવતુ પુનઘટનાનું પ્રકરણ પુરૂ' થાય છે. આ આખું કાર્યાં, સર મ ણુલાલ જણાવે છે તે મુખ, શ્રી. વિમલ શાહુ અને શ્રી. સરલાબહેન શાહે શાસ્ત્રીય પધ્ધતિથી કર્યુ” છે. અને કાઇ પણ પ્રકારની લાગણીઓથી કૅ પૂવ ગ્રહોથી તે દોરાયા નથી. તેમણે ખાલી આકાશડ્ડયન કર્યુ” નથી. તેમના પગ ભુવેલની નક્કર પૃથ્વી ઉપર છે અને જીવેલને ધ્યાનમાં રાખીને જ તેમણે વ્યવહારૂ સૂચના કરી છે. આ આખુ’ પાયાનુ કામ છે અને એ પાયાનુ કામ આ ણે જ્યાં સુધી સાંગેાપાંગ પાર નહિ ઉતારીએ ત્યાં સુધી ગામડાન ગ્રામવાસી જનતાના પ્રશ્નો વાસ્તવિક સ્વરૂપે આપણે કદિ સજી નહિ શકીએ અને એ નહિ બને ત્યાં સુધી એ પ્રજાના ઉધ્ધારની આશા આકાશકુસુમવત જ રહેવાની છે. આવા પાયાના કામમાં પેાતાની જાત અને જીવનને જોડી દેનાર શિષ્ટ દ ંપતીને ગ્રામેબારના પુરસ્કર્તા તરીકે માત્ર ગુરાતના જ નહિ પણ હિંદની પ્રશ્ન ! અનેક અભિનન્દન ધટે છે. આપણે આશા રાખીએ કે આ દિશાએ તેમના હાથે હજી ઘણું ખાદાણ કામ થાય અને તેમના કા' તર અનેક સેવાભાવી યુવક-યુવતીએ આકર્ષાય અને હિંદની ગ્રામ જનતાની સર્વાંગિણી ઉન્નતિનું વિરાટ કાય' તેમની જેવા અનેક કાર્યકરો દ્વારા સત્વર સધાય પરમાનંદ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ માટે તંત્રી મુદ્રક પ્રકાશકઃ શ્રી. મણિલાલ મેાકમચંદ શાહ, ૪૫-૪૭ ધનજી સ્ટ્રીટ, સુબ, મુદ્રસ્થાન : સૂર્યકાન્ત પ્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રાડ, મુંબઇ ૨
SR No.525934
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1949 Year 10 Ank 17 to 24 and Year 11 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1949
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy