SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૧૨-૪૬ ધર્મથી ખરેખર આપણે શરમાવું જોઈએ. ઢંગધડા વગરના આવા સગવડિયા ધર્મને બદલે આપણું સામાજિક વ્યવહારમાં કમમાં કમ માનવતા, સમાનતા અને ત્યાગવૃત્તિ હેવાં જ જોઈએ, પૃથ્યાસ્પૃશ્યતાની ગ્રંથી આપણું હૃદયમાંથી જડમૂળથી છેદાઈ જવી જોઈએ, કઈ કોઈના સ્પર્શથી અભડાઈ જતું નથી. ( હરિજને પણ માણસે છે; તેમના સ્પર્શથી જ કોઈ અપવિત્ર બની જતું હશે એ ક૯પનામાં પણ આવી શકતું નથી એના એજ હરિજને જે ધર્માન્તર કરીને આવે, તે તેમને પર્શ દૂષિત બનતું નથી. અરે, પશુઓના સ્પર્શથી આપણે અને આપણાં ઘર-પસેડાં અભડાતા નથી, તે એક માનવના કેવળ સ્પર્શથી સવર્ણો કેવી રીતે દૂષિત બની, જતા હશે, તેને - જરા પણ ખુલાસે આપણી બુધ્ધિ કરી શકતી નથી. આથી કરીને સ્પશસ્પર્શના કુ-સંસ્કારની ગ્રંથી એકે સપાટ કપાઈ જ જવી જોઈએ. સર્વëને હરિજનભાઈ સાથે બધા વ્યવહાર એવો તે સ્વભાવિક બની જવું જોઈએ કે થોડા જ સમયમાં હરિજન” શબ્દ જ નિની ભાષામાંથી નીકળી જઈ ભૂતકાળમાં તે લય પામે. દરેક સવર્ણ હિંદુની એ પવિત્ર ફરજ છે કે તેણે હરિજનભાઈ સાથે સામાજિક સંપર્કમાં આવવાની એકે એક તકને આદરથી લાભ લેવો જોઈએ. રમતગમત, સામાજિક મેળાવડા, ભજનકીર્તન, ખાનગી વાતચીતની મંડળીઓ વગેરેની એટલી બધી છુટથી વ્યવસ્થા થવી જોઈએ કે દુરિજનભાઈઓ પિતે હરિજનું છે કે હતા એ ખ્યાલ સુદ્ધાં તેમનાં દિલમાંથી નીકળી જવો જોઈએ. કાયદાથી પણ કરીએ આપણે પરસ્પર વ્યવહાર આટલો શુદ્ધ થાય તે પછી સામાજિક ઉપગનાં તમામ સાધન હરિજનભાઈઓ છૂટથી વાપરી શકે એવો પ્રબંધ હોવું જોઈએ એમાં તે કહેવાનું હોય શું? એકેએક મંદિર અને એકેએક જાહેર ઉપયોગનું - સાધન સર્વના જેટલા સમાન અધિકારથી અને ગૌરવથી હરિજનભાઇઓ વાપરી શકે, એવું વાતાવરણ જાહેર અભિપ્રાય અને વર્તનથી અથવા જો જરૂર લાગે તો છેવટે કાયદાથી પણ તૈયાર કરવું જોઈએ. પ્રાયશ્ચિત રૂપે યોજના. * આમ અસ્પૃશ્યતાનું નિવારણ કરી હરિજન ભાઈઓને સવર્ણોના જેટલા સમાન અધિકાર આપીએ એ તે જરૂરનું છે જ પણ તેટલેથી અટકવાનું નથી. આ બધાને પુરક, ચોકકસ રચનાત્મક કાર્ય કરવાનું રહે છે. હરિજનભાઇએ માટે કુવા, તળાવ, નિશાળે, દવાખાનાં, મંદિર અને તેમના રહેવાના વાસ સુધાં ’ કદીએ અલગ ન હોવાં જોઈએ. પરંતુ તેમની કેળવણીના ઉત્તેજન અર્થે અને તેમની આર્થિક સ્થિતિ સુધરે, એવા ધંધા રોજગાર ઉપર તેઓ ચઢે તે માટે મોટા પાયા ઉપર જાઓ કરવાની રહે છે. હરિજનભાઈઓમાંનાં કેટલાકને ધ મેલો ગણાય છે, તે એ ધંધામાં વાપરવાનાં સાધનોમાં અને કામ કરવાની રીતે માં ધરમૂળથી એવા ફેરફારો કરવા જોઈએ કે જેથી કરીને તેઓ ચાહે તે એને એ જ ધંધે સફાઈથી કરી શકે. ટૂંકાણમાં કહીએ તે હરિજનભાઇઓ માટે એવી રચનાત્મક પ્રવૃત્તિઓ થવી જોઈએ કે જેમાં સવર્ણો જાણે તેમના ઉપર મોટી મહેરબાની કરી નાંખે તે રીતે નહિ, પણ પોતાના પાપના પ્રાયશ્ચિત- રૂપે, કર્તવ્યરૂપે એવી જનાઓ કરે કે જેથી હરિજનભાઈએ સ્વતંત્ર માનવ તરીકે ગૌરવથી સ્વાવલંબી બને, અને થોડા જ સમયમાં પિતાની ઉન્નતિનાં કામે પોતે જાતે જ કરતાં શીખે. જાહેર ઉપયોગનાં સાધનોમાં હરિજનભાઈઓને ભેદ કરવા એ ગુન્હ છે, એવું બીલ મુંબઈની સરકારે હાલમાં પસાર કરાવ્યું છે, તે આવકારદાયક અને દ્રષ્ટાંતરૂપ છે. આવું જ બીલ બધા દીનનું દાંપત્ય વાલીઓ વાધરી દાતણ કે ખડ વાઢીને કે જેવી મળે તેવી મજૂરી કરીને પિતાનું ગાડું ગમે તેમ ગબડાબે જાતે હતે. કોઈ દિ જે કંઈ ન મળે તે ભૂખે પેટે ય રાત ગાળી નાંખતે, અને કોઈ ન જાણે તેમ રેઈ નાંખતે. જેમ તેની ભૂખમાં કોઈ ભાગીદાર ! થતું નહિ તેમ બીજાની સાહ્યબીમાં તે કોઈ દિ દાવો કરતે નહિ. રસ્તે ચાલતાં જો કોઈ સામું મળે છે તે રામ રામ કરી છૂટતે. કોઇને ત્યાં વરે ખરો હેય ત્યારે ચીવટથી લીલાંછમ દાતણ પહોંચાડતા. અને બદલામાં જે કંઈ એવું જુઠું મળે તે લઈને રાજી થતો. અને ગામને એનેટાણે ચીભડાં, ચણિયાબેર, કે કેરડા બજાર કરતાં જરૂર સસ્તાં આપતો, છતાંય તે જન્મે વાઘરી હોવાથી બીજા તેને અકારણ વાધરીને બદલે વધારાના તિરસ્કૃત નામે સાધતા. પછાત ગરીબ વર્ગ જેમ ઉજળિયાત વર્ગ પાસેથી કઈ પ્રકારના વિશેષ માનની અપેક્ષા નથી રાખતે તેમ વિના કારણ હડધૂત થવું પણ તેને નથી ગમતું. તેથી જ્યારે કોઈ અકારણ તુચ્છકારે કે અપમાને ત્યારે તેના પર દિલને જરા દુઃખ થાય અને ઉજળિયાત વર્ગ અને પિતાની વચ્ચે રહે તફાવત તેને ખટકે. આથી કાં તે દિલની મમતા મરે અને અસૂયા જાગે કે, કાં તે માનવીના વ્યકિતત્વને મારી નાંખનારી આત્મલાધવની લાગણી જન્મી તેને નધરળ બનાવી દે. તેથી જ આવું અપમાન વાલી લાંબા વખતથી અનુભવતા હતા. તેના બાપે અને દાદાએ પણ તેવું જ પામર જીવન વીતાવ્યું હતું તે તે જાતે હતા, તેય તે કઈ પ્રકારના પ્રતિકાર વગર નઘરોળ થઈને ગામમાં પડયો રહ્યો હતો, પણ એક દં મુંબઈથી આવેલી સનકી ફઈએ, ત્યાંની મોટી મોટી વાતું સંભળાવી અને તેને પિતાના ગામ ઉપર કડવાશ આવી ગઈ. વળી ગામની ઉપરાઉપરી લગભગ દુકાળ જેવી સ્થિતિમાં પેટિયું નીકળે તેવું કંઈ કામ ત્યાંન રહ્યું. તેથી તેને પિતાનું ગામ અબખે થઈ ગયું અને તે મુંબઈ આવ્યા. મુંબઈના ધમાલિયા પણ મુક્ત વાતાવરણમાં પિતાના ગામમાં દેખાતી હતી તેવી ભૂખ કે વર્ણભેદનું ઝેર તેને કયાંય ન દેખાણું. વળી ધંધામાંથી પટપૂરતું મળી રહેવા ઉપરાંત તેના આપેલા બનાવટી ઘીને ચકખા ભગભેંસના તાજા ધી તરીકે સસ્તામાં ખાનારા મુંબઈના ચાવળાએ તેને વાધરીને બદલે જરા વધારે ઉંચા રબારી તરીકે ઓળખતા થઈ ગયા અને દેશના લોકોની જીભમાં દેખાઈ આવતું તિરસ્કૃત વાધરીપણું બંધ થયું તેથી તે મોજમાં | રહેતા. પણ જ્યારથી કશીયા વાધરીએ તેને કાનમાં કાંઈ ખાનગી વાત ' કરી ત્યારથી તેનું મેટું ચડેલું રહેતું. પિતાની સ્ત્રી તે મેતડી સાથે વાતવાતમાં કારણ વગર કતરાતા અને બીજા ઓળખીતા સાથે ખીજાત. પહેલા તે ધંધેથી આવ્યા પછી અલકમલકની વાતો કરી મેતડીને ચકિત કરી નાંખતે તેં હમણાં ઘરે આવીને મૂગોમૂંગે ઘરનાળાના પાણુક ઉપર રસ્તામાંથી વીણેલાં એઠાં બીડી કે સીગારેટના હંઠા બાળીને આ પીતા પીતા બેસી રહેતા અને ઉંધ આવે ત્યારે ટૂંટિયું વાળીને ત્યાંજ સુઈ રહેતા. ભૂખ લાગે તે બોલ્યા ચાલ્યા વગર લૂશલૂશ બે કોળિયા ખાઈ લેતે અને સવારે ઉઠીને ગુપચુપ કામે ચાલ્યો જતે. મોતડી આ બધું જોતી હતી, પણ તેનું કારણ તેણે તેને પૂછયું - પણું નહિ અને જાણવા ખાસ કાંઈ પ્રયત્ન પણ કર્યો નહિ. તેને લાગ્યું કે હાલમાં ખાવાપીવાનું કંઈ ઠેકાણું નથી તેથી જેવું તેવું . ખાવાથી કળતર આવતી હશે અને શરીર કંઈક અનરવું થયું હશે પ્રાંતમાં આવશે એ ચોકકસ છે. આ બીલનું અનુકરણ બધાં કી રાત્રે પણ વાત ર છે. આ પ્રમાણે કાયરે મારા રેશમાં થાય તે આવશ્યક છે જ પણ એક બીજી દ્રષ્ટિથી વિચાર કરતાં એમ લાગે છે કે શુધ્ધ માનવતા અને ન્યાયની બાબતમાં પણ સરકારને કાયદા કરવા પડે, એ હિન્દુ સમાજને માટે ? ખરેખર શરમજનક છે. ' સરલાદેવી સારાભાઈ. વિ
SR No.525931
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1946 Year 07 Ank 17 to 24 and Year 08 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1946
Total Pages220
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy