SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જૈન્ હિંદી પ્રધાનના પ્રવચન ઉપર હિંદુ વિષે આમની સભામાં ચાલેલી ચર્ચાના લબાણભર્યો અહેવાલ મેં ભારે દુઃખ સાથે વાંચ્યો. આપત્તિ સાધારણ રીતે માનવીનાં હૃદય કુણાં કરે છે અને વાસ્તવિકતાનું તેને ખરૂં ભાન કરાવે છે. પણ મી. એમેરી તેા કેવળ ઠંડા અને બ્રીટનની હાલની આપત્તિથી જાણે કે તદ્દન અસ્પૃષ્ટ માલુમ પડે છે. તેમનું હૃદય જરા પણ પીગળેલું જણાતું નથી. આ નિષ્ઠુરતાએ મારી માન્યતાને વધારે દ્રઢ બનાવી છે કે રાષ્ટ્રીય મહાસભાને ગમે તેવા પ્રબળ વિરોધનો સામનો કરવા પડે તે પણ તેણે અહિં સાને વળગી જ રહેવું જોઈએ. હિંદમાં હાલ જે પરિસ્થિતિ પ્રવતી રહી છે તે પ્રત્યે ધિક્કારયુકત બેદરકારી દાખવીને મી. એમેરીએ ચેટબીટનની કાંઇ પણ સેવા બજાવી નથી. મી. એમેરી બ્રીટીશ રાજ્યમાં હિંદને મળેલી શાન્તિ વિષે છટાદાર ભાષામાં વાત કરે છે; પણ આ વાતા કરતી વખતે તેમને ઢાકા અને અમદાવાદમાં બની ગયેલા બનાવાની શું ખબર નહતી? આ બન્ને ઠેકાણે શાન્તિ જાળવી રાખવાની જવાબદારી કોની હતી ? હું આશા રાખુ છુ કે બંગાળામાં તે લોકનિયુકત શાસન પ્રવર્તી રહ્યુ છે એ હકીકત મી. એમરી મારા માથા ઉપર નહિ મારે. એ લાક નિયુક્ત શાસન કેવુ કારસ છે એ તે। મી. એમેરી બરાબર જાણે છે. એમને એ પણ ખબર છે કે આવી જાતની કટોકટીના પ્રસંગ પરત્વે આ પ્રધાતાના હાથમાં કેટલી ઓછી સત્તા હાય છે- પછી ભલે એ પ્રધાને કોંગ્રેસવાદી હાય, લીગવાદી હાય કે ખીજા કોઇ પણ પક્ષના હોય. અહિં મારે એક સ્પષ્ટ સવાલ પૂછવાનો છે. હું પુછું છું કૈં હિંદમાં ચાલુ રહેલા બ્રીટનના લાંબા શાસનકાળ દરમિયાન હિંદની પ્રજા કેમ કરતાં એટલી બધી નિય થઇ ગઇ છે કે તેનાથી મુઠ્ઠીભર ગુંડાઓ સામે પણ ઉભું રહી શકાતું નથી ? ચેડા ગુંડાઓને ખુનામરકી લુટફાટ અને આગ લગાડવા માટેનુ અનુકૂળ વાતાવરણ મળી ગયું તેથી ગભરાઇ જ”ને ખાસ ભયને કારણે જ હજારો લોકો પોતપોતાનાં નિવાસસ્થાન છેડીને નાસી જાય એ દૃષ્ય જેટલું આપણા માટે હીણપત ભર્યું છે તે કરતાં વધારે હીણપતભર્યું બ્રીટન માટે છે. સાચી સરકારનું પહેલું કર્તવ્ય તા લોકોને આત્મરક્ષણની કળા શિખવવાનુ જ હાઇ શકે. પણ હિંદમાં રાજ્ય કરતી પરદેશી બ્રીટીશ સરકારને તે હિંદના નાગરીકોના કલ્યાણ માટેની આ મૂળભૂત ખાાત સાથે કાં' પણ લાગતું વળગતું છે જ નહિ અને તેથી જ એણે હિંદી પ્રજા પાસેથી હથિયારે ખૂંચવી લીધાં છે. મી॰ એમેરી આજે તે હિંદી લશ્કરનાં ભારેાભાર વખાણુ કરી રહ્યા છે; પણ હિંદની ભૂમિ ઉપર એ વખાણની તે કાંઇ અસર થાય તેમ નથી. કારણ કે કૉંગ્રેસની અહિંસાની તે જુદી જ વાત છે. પણ જો હિંદને સ્વરક્ષણ માટે સજ્જ કરવામાં આવ્યુ હાત અને જરૂરી તાલીમ આપવામાં આવી હોત અને હિંદુ બ્રીટનનું ફરજિયાત નાહ પણ મરજિયાત સાથીદાર હાત તે હું કહી. શકું છું કે, વિનાશ માટે એકત્ર થયેલા, યુરોપના બધાં રાષ્ટ્રા ગ્રેટશ્રીટન સામે હાથ સરખા ઉગામવાની પણુ હીંમત કરી શકયા ન હત. હિંદના રાજકીય પક્ષા એકમત થઇને બંધારણીયેાજના રજુ કરે કે તુરત જ બ્રીટીશ સરકાર હિંદના એ એકમતને માન આપશે એ કથનનુ પિષ્ટપેષણ કર્યા કરીને મી એબેરીએ હિંદી તા. ૧૫-૪૧ ગાંધીજીનુ વેધક નિવેદન એની બુધ્ધિનુ અપમાન કર્યું છે. મેં એક કરતાં વધારે વાર પુરવાર કર્યું છે કે હિંદના જુદા જુદા પક્ષાને એક થતા અટકાવવા એ બ્રીટનની પરંપરાગતનીતિ છે. ‘ ભાગલા પાડવા અને રાજ્ય કરવું' એ બ્રીટનના માનીતા અને અનિષ્ટ મનોદશા સૂચવત સિદ્ધાન્ત છે. હિંદના સમુદાયમાં પડેલા ભાગલા માટે બ્રીટનના રાજપુષો જવાબદાર છે. અને જ્યાં સુધી બ્રીટનની તરવારના ખળે હિંદને પરતંત્ર રાખવાને પ્રાધ થતા રહેશે ત્યાં સુધી આ ભાગલા કદિ અસ્ત થવાના નથી. કમનસીબે મેસ્લેમ લીગ અને કૉંગ્રેસ વચ્ચે આજે ન સાંધી શકાય એવું ભંગાણ પડયું છે એ વાત હું કબુલ પણ આ અમારા ઘરના ઝઘડા છે એમ બ્રીટીશરો શા માટે કબુલ કરતા નથી ? જો તે આજે હિંદમાંથી ખસી જાય તો મારે કાલ છે કે કોંગ્રેસ અને મેસ્લેમ લીગ અને બીજા બધા પક્ષેા પાતપેતાનું હિત ધ્યાનમાં લઇને એક થઇ જશે અને હિંદના તંત્રસ ંચાલન માટે સ્વનિમિત્ત ચેાજના ઘડી કાઢશે. ભલે એ ચેોજના કદાચ શાસ્ત્રીય ન ગણાય. ભલે એ યોજનાને કદાચ પશ્ચિમ પધ્ધતિની મહાર પણ લાગી ન હોય—છતાં પણ એ યેાજના ટકાઉ તા નિવડવાની જ. સભવ છે કે આપણે આ સુખદ પરિસ્થિતિને પ્રાપ્ત કરી શકીએ તે પહેલાં કદાચ આપણને અંદર અંદર લડવાનું અને. પણ જો આપણે કાઈ બહારની સત્તાની મદદ નહિ માંગીએ તે આપણી આપસ આસની લડાઇ બહુ બહુ તે એકાદ પખવાડીયુ ચાલશે અને એ લડાઇમાં જે વિનાશ થાય તે વિનાશ યુરોપમાં આજે ચાલી રહેલ ખુનામરકી દરમિયાન એક દિવસમાં જેટલાં માથું ભગાઈ રહ્યાં છે. તેના કરતાં પણ કદાચ એ હશે. વિનાશ આટલા એછા થવાના સંભવનું કારણ એક જ છે અને તે એ કે આપણે સંપૂર્ણ નિઃશસ્ત્ર છીએ અને તે માટે તે આપણે બ્રીટીશ રાજ્યના આભાર માનવો રહ્યો ! મી. એમેરીએ પેાતાના અજ્ઞાન શ્રોતાઓ સમક્ષ ભાષણ કરતી વખતે સત્યની ભારે અવગણના કીધી છે. તેમણે પેાતાના શ્રોતાઓને જણાવ્યું છે કે કૉંગ્રેસને કાં તો બધું જોઇએ છીએ અથવા તો કશુ જ જોતું નથી. હું મી એમેરીને યાદ દેવરાવુ છું કે બ્રીટીશ પ્રજાની લાગણી સતૈષવા માટે કૉંગ્રેસ પુનાના ઠરાવમાં સૂચવાયેલ સમજુતી સુધી નીચે ઉતરી હતી. પછી મુંબઇની મહાસભા સમિતિએ એ ધરવ રદ કર્યો ત્યારે મેં સત્તાવાર રીતે જાહેર કર્યું હતું કે બ્રીટીશ સરકાર હાલને તબકકે હિંદને સ્વતંત્રતા આપી શકે તેમ નથી અથવા તે એવી સ્વતંત્રતાના અંગેની જાહેરાત કરી શકે તેમ નથી; તેથી આપણે ચેડા સમય માટે તે સંપૂર્ણ વાણીસ્વાતંત્ર્યની માંગણી વડે જ સંતોષ માનવો રહ્યો. મી. એમેરીના ઉપરના જણાવેલ પ્રતિપાદનથી આ વસ્તુસ્થિતિ કેટલી જુદી છે ? મી. એમરીનું માનસ જ એવા પ્રકારનુ છે કે બ્રીટન જ્યારે વન મરણને જંગ ખેલી રહ્યું છે ત્યારે તેની અકળામણુમાં જરા પણ વધારેા નહિ કરવાની નીતિ અખત્યાર કરીને કૉંગ્રેસે જે સહિષ્ણુતા દાખવી છે તેની કદર કરવા જેટલી પ્રાથમિક સભ્યતાની પણ તેના તરફથી .આશા રાખવી એ વધારે પડતું છે, એ સભ્યતાના અભાવે ની. એમેરી ક્રૉંગ્રેસની સહિષ્ણુતા કૉંગ્રેસના જ માથામાં મારે છે અને જાહેર કરે છે. કે સત્યાગ્રહની લડત તદ્દન ભાંગી પડી છે. એમના નિવેદનમાં ભારતની આબાદી વિષેના ઉલ્લેખ વાંચીને તે હું સ્તબ્ધ જ બની ગયો. હું મારા અનુભવ ઉપરથી કહી
SR No.525926
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1941 Year 02 Ank 18 to 24 - Ank 20 and 21 is not available and Year 03 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1941
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy