________________
આગે કદમ્ !
Regd::No. B.3220
મ
-
1
તરણ જૈન
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર.
વાર્ષિક લવાજમ ૧-૮-૦. છુટક નકલ ૧ આને.
=:].
: : તંત્રી : તારાચંદ કેકારી : :
વર્ષ ૨ જુ: અંક ૧૮ મે.
શનીવાર તા. ૧-૨-૩૬
Gિ
= સમાજના દુરાગ્રહનું પરિણામ.
=
આ નવિન જગતમાં તને અવકાશ નથી, સૈકાઓના અનુભવને તિલાંજલી મળે છે. શાસ્ત્રોની અવગણના થાય છે, જ્ઞાતિઓ અને રૂઢીઓ ત્રટે છે, સમાજમાં બંડ થાય છે, પતિ પદગ્રુત થાય છે, સ્નેની સ્થાપના થાય છે, સ્ત્રી સ્વતંત્ર બને છે અને એમાં આદર્શ પ્રાપ્તિ થતી હોય એમ માની લેવાય છે.
કાતિવાદનો હિમાયતી ઝીણવટથી જોઈ શકતા નથી. એનું તો એક જ લક્ષ્ય હોય છે અને ગમે તે ભોગે તેની સીધિ અર્થે તે પ્રયત્ન કરે છે. એમાં અનેક નિર્દીને ભેગ લેવાય છે, અનેક સુંદર વસ્તુઓ નાશ પામે છે. યુગોની મહેનતે છૂટી પડે છે પણ એ બધું જોવાની ક્રાન્તિવાદીને નવરાશ કે ફિકર હોતી નથી.
આજના જુવાનને સૌ કાંઈ રસાતળ કરવું છે. સમાજના ગણ્યા ગાંઠયા દે ખાતર સમસ્ત સમાજને છિન્ન ભિન્ન કરવી છે. અને એની વાત પણ સાચી છે. ત્યાં લગી સમાજ સુધરવાની પણ નથી. એક વાર આજની સમાજ નિર્મૂળ થશે ત્યારે જ એના ખંડીએર-Debris માંથી નવિન સમાજ જન્મ પામશે અને ત્યારે જ પુરાણ ચિલાઓ ભૂંસાશે એમ લાગે છે, એ ખરૂં છે કે ફરી વાર આપણે એવી જ સમાજ રચવી પડશે ને ફરી વાર સૈને વર્ણાશ્રમોની અગત્ય લાગવા માંડશે. સારામાં સારા લડવૈયાઓને ઉત્પન્ન કરવા સંસ્કૃતિ શાસ્ત્ર, વૈદક શાસ્ત્ર, અને સંતતિશાસ્ત્રના પંડિતે જે પુરૂષ કે સ્ત્રીની રગોમાં સિસોદીનું ટીપું પણ લેહિ હશે તેની શોધ કરવા માંડશે ને ફરી વાર ક્ષત્રિય જ્ઞાતિ ઉત્પન્ન કરાવશે. સારામાં સારા આચાર્યો માટે બ્રાહ્મણે સરાશે–સમયનું ચક્ર વધુ ફરશે ત્યારે વળી એક વાર સ્ત્રી સરખા હકક કરતાં વધારે પૂજાની અધિકારી છે એ સંસ્કૃતિનું ધોરણ ગણાશે–એ કાંઈ સાંભળતે, વિચારતે નથી ને બીજી બાજુએ સમાજ એટલી Conservative-Unadaptive, બુધિશુન્ય, મૂઢ, અને જડ થઈ છે કે બંડ શિવાય આરો જ નથી. અને આજની સમાજની રખ્યામાંથી જ નવા જીવન્ત સમાજ સરજી શકાય એવું લાગી આવે છે. માત્ર દુ:ખ એટલું જ થાય છે કે આજની સમાજના દુરાગ્રહના પરિણામે આટઆટલાં યુગોના અનુભવ ને સંસ્કૃતિ એળે જવાનાં અને પાછાં ફરી ફરીને આપણે ત્યાં ને ત્યાં આવી રહેવાનું.
ગુજરાતમાં સામાજીક બંડની તૈયારીઓ થઈ રહી છે, જુના વાડાઓ બૂટયા છે. આમન્યા અને મર્યાદાને ભંગ થઈ રહ્યો છે. જ્ઞાતિની સાંકળ સરી જવા માંડી છે. વિદ્ધાઓએ પૂછીને કે વગર પૂછીને પરણવા માંડયું છે અને ગુજરાત તે તરફ આંખ મીંચામણુ કરતું તેણે હવે પરણનાર દંપતિને અભિનંદન આપવા માંડયાં છે. આમ સામાજીક બંડની સામગ્રીઓ તૈયાર થઈ છે. કઈ ઘડીએ આ પુરાણી સમાજ છિન્ન ભિન્ન થઈ નહિ જાય એ પ્રશ્ન છે. [ જીવનહેણુના ઉપોદઘાતમાંથી ]
–અભાઈ ઉમરવાડઅ.