SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ આપણું આથીક સ્થિતી Reg. No. B. 2917 Tele. Add. 'Yuvaksangh પ્રબ દ્ધ જૈન સમાજ, ધર્મ અને રાષ્ટ્રની સેવા બજાવતું નૂતનયુગનું જૈન સાપ્તાહિક છુટક નકલ ૧ અને વાર્ષિક રૂા. ૨-૮-૦ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર. - તંત્રી:-ચન્દ્રકાન્ત વી. સુતરીયા. ૬ વર્ષ ૨જુ, અંક ૧૬ મિ. શનીવાર તા. ૧૧-૨-૧૯૩૩. ખરા લડવૈયાની ખુબીઓ તેઓ સમાધાન માગતા નથી, પણ ઉન્નત્તિ માગે છે. તેઓ યુધ્ધ માગે છે, નહિ કે કીતિ. તેઓ લડે છે, મહેનત કરે છે, હામે થાય છે, વળગી રહે છે, અને જ્યાં સુધી સાધ્ય ન સધાય ત્યાંસુધી તેમાં મંડયા રહે છે; પરંતુ તેઓ નકકી કરેલા નિયમ પ્રમાણેજ રમે છે. પારું શા #ત, એ નિયમને તેઓ માનતા નથી. તેઓ અનીતિથી મળતી છતની ના પાડે છે, તેઓ અન્યાયી વિજય કરતાં ન્યાયી પરાજ્યને વધારે પસંદ કરે છે. અડચણ તેમના રસ્તામાં ધારેલાં સ્વાદાં છે. તેઓ વિરધન વિકટ પ્રસંગેની પ્રથમથી જ ગણત્રી કરે છે. તેઓ લાંચ આપતા નથી તેમ સ્વીકારતા પણ નથી. પ્રપંચ કરતાં નથી પણ પ્રમાણીક પણેજ હારવાનું અથવા જીતવાનું પસંદ કરે છે. સખ્ત પરિસ્થિતિઓથી તેઓ પરિશિષ્ટ હોય છે અને જેઓ તેમની સ્પર્ધામાં ઉતરે છે તેમનામાં તેટલીજ થૈર્યની આશા રાખે છે. તેઓ જુઠાણાથી, ધાકધમકીથી ગભરાતા નથી, તેમ છેવટના નિર્ણયમાં સત્યને જ વળગી રહે છે. કે, તેઓ પોતાના પ્રમાણીક હથિયારપર કાટના ડાઘ લાગવા નહિ દેવામાં સખ્ત માણસ હોય છે. તેઓ રસ્તાના બનાવનાર અને દરિયાના ખેડનારા હોય છે, અને તેઓ તેમની પોતાની તૈયાર કરેલી યોજનાઓને જ અનુસરે છે. તેજ સાચાવીર હોઈ, સાચા સુધારક હોય છે. સમાજના શુધ્ધ વિયરૂપ હોય છે. અંતરાત્માથી તેઓ એટલા બધા બીએ છે કે, લાલચ તેમને લેભાવી શકતી નથી કે ધમકી ડરાવી શકતી નથી. આ તેઓજ અંધકાર સામે રેશની ધરીને ઉભા રહે છે તેઓજ લાખ રૂઢીચુસ્ત સામે ટટાર ઉભા રહી ઉન્નત્તિના ચણતર ચણી શકે છે. તેઓજ હિંસામાં ધમ માનનારા વેદીઆઓ સામે અહિંસાની જ્યોત પ્રગટાવી શકે છે. તેમણેજ રૂઢી બંધને અને પોષશાહીઓને તાબે નહિ થતાં હિંમતભર્યો સામનો કર્યો હતો. તેમણે જ ભયંકર રિપુઓની સામે વિજય મેળવવા ઘેર તપસ્યાઓ આદરી હતી. અને તેમણે જ અનિશ્ચિતતાને તાબે થવા કરતાં પોતાની જીંદગીને હોમી હતી. તેવા મહાપુરૂષોના-વીરના વૈર્યની કીર્તિ અવિનાશી છે. તેઓ કોઈ અમુક જાતીના અથવા અમુક સંપ્રદાયના મનુષ્ય નથી. તેઓ ઉમરામાં તેમજ ખેડુતના ઘરોમાં પણ જન્મ લે છે. તેમનું મહત્વ જન્મને લીધે અથવા તેમના ઘન કે શરીરને લીધે નથી, પરંતુ “મહત્વાકાંક્ષીને લીધે છે. “ફરજ' એ તેમનું ધર્મકાર્ય છે અને તેની પૂર્ણતા એ તેમની અંતીમ આશા છે. જ્યાંસુધી કસોટીમાંથી પાર ઉતરે, નહિ ત્યાંસુધી તેઓ વિશ્રાંતિ લેતા નથી, –યુવકરત્ન
SR No.525918
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1933 Year 02 Ank 11 to 45 - Ank 39 40 and 41 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1933
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy