SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ગુરુવાણી Acharya Shri Kailassagarsuri Gyanmandir આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજી યોગનિષ્ઠ આચાર્યની અમર ભાવના (ગતાંકથી આગળ) શરીરબળ વિના મનોબળ અને વચનબળ ખીલી શકતું નથી. જેને બોલવાની પણ હોંશ થતી નથી તે પોતાનો કે જૈન કોમનો ઉદ્ધાર ક્યાંથી કરી શકશે ? બળવાન વ્યક્તિઓ જ પોતાનો અને બીજાનો ઉદ્ધાર કરી શકે છે. આજના સમયમાં પુત્રોને બ્રહ્મચારી બનાવી બળવાન કરવા હોય અને પોતાના ધર્મનો ઉદ્ધાર કરવો હોય તો આ લેખને અમૃત સમાન સમજી લેવો. જો ધાર્મિક કેળવણી આપવામાં પાછા પડી જઈશું તો આપણે શ્રીવીર પ્રભુના ક્ષત્રિય પુત્ર કહેવાઈશું નહિ. જૈનોએ ખ્રિસ્તીઓની માફક ધાર્મિક જનોની વૃદ્ધિ માટે સખાવત કરતાં શીખવું જોઈએ. મુંબઈમાં ખ્રિસ્તીઓની એક મોટી સંસ્થા છે. એનું મકાન બાંધતાં દસ-પંદર લાખ રૂપિયાનું ખર્ચ થયું હશે. અમદાવાદ, વડોદરા, પુના, અજમેર, કાશી, કલકત્તા, મદ્રાસ, કરાંચી, આગ્રા, નાગપુર, બોરસદ, પ્રાંતીજ, સમેરેરા, વલસાડ, પારડી, વગેરે હજારો શહેરો અને ગામડાંઓમાં ખ્રિસ્તીઓ લાખો રૂપિયા ખરચીને અને આત્મભોગ આપીને લાખો મનુષ્યોને ભણાવી, હુન્નરધંધા શીખવી ખ્રિસ્તી ધર્મની ઉન્નતિ કરી છે. જૈનોના હૃદયમાં શ્રી મહાવીર પ્રભુ વસ્યા હોય તો, રોમે રોમે ધર્માભિમાન વ્યાપ્યા વિના નહિ રહે અને જૈન ગુરુકુળ જેવી સંસ્થા ઉપાડી લીધા વિના નહિ રહે. જૈનોમાં બહાદુર, સમર્પણશીલ જૈનોનો તૂટો છે, પણ જો જૈન ગુરુકુળ સ્થાપવામાં આવે તો હજારો વિદ્યાર્થીઓને તેવા બનાવી શકાય. “વહોરો રોડે અને વાણિયો વરઘોડે”ની કહેવત પ્રમાણે વણિક તરીકે બનેલા જૈનો વરઘોડા અને નાતવરામાં લોકો લાખો રૂપિયાની ધૂળધાણી કરી નાખે છે. જૈન ધર્મની ઉન્નતિ માટે “ચમડી તૂટે પણ દમડી ન છૂટે”, તેવી ગિત આચરે છે. અહો! જૈનોનું મન ક્યારે સુધરશે ? આવા જૈનો જૈનમંદિરમાં જઈને કહે છે- “હે દીનાનાથ! શી ગતિ થાસે અમારી ? બે વાતે મારૂં મન લલચાણું વહાલા! એક કંચન, દુજી નારી.” આવી રીતે બોલ્યા કરે છે, પણ તેનો અર્થ સમજીને જૈન ધર્મના ઉદ્ધાર માટે આત્મભોગ કોઈ For Private and Personal Use Only
SR No.525317
Book TitleShrutsagar 2016 12 Volume 07
Original Sutra AuthorN/A
AuthorHiren K Doshi
PublisherAcharya Kailassagarsuri Gyanmandir Koba
Publication Year2016
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy