________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
21
SHRUTSAGAR
March-2016 એમ કલ્પી અમે સ્ત્રી પાત્રની કલ્પના કરી છે. આ બાબત પર વિદ્વાનો વધુ પ્રકાશ પાડે. મૂર્તિનો લેખઃ
सं. १२९० वैशाख वद ६ गुरौ महं. साजणउ महं. सोभनदेवेन स्वमातृ महं लखमादेवि श्रेयोर्थमिह पेटिलापद्रे स्वयं कारयित्वा प्रतिष्ठापित श्रीपार्श्वनाथदेवालंकृत प्रासादस्य जीर्णोद्धारः कारितः। अत्रैव स्वमूर्तिः भार्या महं. लाछिमूर्तिरियं कारिता। લેખનો ભાવાર્થઃ
મહં. સાજણઉ તથા મહં. સોભનદેવે સં. ૧૨૯૦ વૈશાખ વદિ ૮ ગુરુવારે પોતાની માતા લખમા દેવીના શ્રેયને માટે અહિં પેટલાપદ્રપુર (પેટલાદ) માં પોતે બનાવીને પ્રતિષ્ઠિત કરેલા પાર્શ્વનાથપ્રભુના જિનાલયનો જીર્ણોદ્ધાર કરાવ્યો તેમજ અહિં પોતાની તેમજ પત્નિ લાછીદેવીની મૂર્તિ સ્થાપિત કરી.
અહિં ચિત્રમાં જોઇ શકાશે કે ઉપરોક્ત લેખ ઉપરાંત મૂર્તિમાં શેઠ-શેઠાણીના ચરણો પાસે (ડાબી બાજુ પહેલી-જમણી બાજુ પહેલી) રહેલી મૂર્તિની નીચેની બાજુ અસ્પષ્ટ લેખ વંચાય છે અનુમાને તે લેખ પ્રતિષ્ઠાપક આચાર્યના નામનો હશે અથવા તે ત્રણે નાની મૂર્તિના નામનો હશે તેવું લાગે છે.
લેખ પરથી મૂર્તિ કોની છે વિગેરે બાબતો તારવી શકાય છે પણ તેમના ચરણમાં રહેલી નાની મૂર્તિઓ અંગે તો પ્રશ્ન ઉભો જ રહે છે.
વિશેષ જ્ઞાતવ્ય :- આ મૂર્તિમાં વિશેષ જ્ઞાતવ્ય હોય તો તે પુરુષાકૃતિના હાથમાં રહેલી માળા જેવી આકૃતિ. પ્રથમ નજરે દેખાતી તે માળા ખરેખર માળા નથી પરંતુ “નાળ’ નામનું દ્રવ્ય (પૈસા) રાખવાનું ચામડાનું સાધન છે. પૂર્વના કાળમાં જ્યારે પાકીટ કે બેગની વ્યવસ્થા ન હતી ત્યારે પૈસા રાખવા આવી નાળનો ઉપયોગ કરાતો. મુસાફરી સમયે ચોર-ડાકુથી બચવા આવી કોથળીમાં દ્રવ્ય ભરી કમર પર પટ્ટારૂપે બાંધવામાં આવતી. ચિત્રમાં દેખાતી માળા તે નાળ જ છે. જો પુરુષના દ્રવ્યથી જિનાલયનું નિર્માણ થયું હોય તો પુરુષના હાથમાં નાળ' દ્રવ્ય મૂકવાની કોથળી) દ્રવ્યના પ્રતિક રૂપે દર્શાવવામાં આવતી એવી જ રીતે જો સ્ત્રીનું દ્રવ્ય જિનાલયમાં વપરાયું હોય તો સ્ત્રીના હાથમાં અર્ધનાળ જેવી (બટવા જેવી) આકૃતિ દ્રવ્યના પ્રતિક તરિકે દર્શાવાતી. જો બન્નેના દ્રવ્યથી જિનાલય નિર્માણ પામ્યું હોય તો બન્નેના હાથમાં દ્રવ્યના પ્રતિક રૂપે નાળ તેમજ
For Private and Personal Use Only