________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરુવાણી (આત્મામાં લીન બનવું તે યોગ)
આચાર્ય પદ્મસાગરસૂરિ આ દવા શરીર ઉપરના રોગોને દૂર કરે છે તેવી જ રીતે ભગવાનની વાણી, સંતોના શબ્દો આત્મામાં પડેલ વિષય-કષાયોરૂપી રોગોને દૂર કરે છે. જગત આખુંય ત્રણ પર્યાયમાં આવી જાય છે. આ જગતમાં પદાર્થો ઉત્પન્ન થાય છે. નાશ પણ થાય છે અને મૂળ રૂપે તો જગતના સર્વ પદાર્થો સ્થિર છે. જેમ કે માણસનો જન્મ થાય તે ઉત્પત્તિ કહેવાય, મરી ગયો તે નાશ અને મૂળ સ્વરૂપે રહેલો આત્મા તો અમર જ છે. તે તો કદી મરતો નથી. આત્મા સ્થિર છે એવી જ રીતે સર્વે પદાર્થોને ગણવા. આત્માની અંદર શોધ કરવાથી આત્માની પ્રાપ્તિ થાય છે. પરમાત્મા અરૂપી છે તે આંખથી દેખાતા નથી. પણ જ્ઞાનદૃષ્ટિથી આત્મામાં તેની અનુભૂતિ થાય છે. યોગ એટલે મન, વચન અને કાયાને સ્થિર કરી દેવાં ને પછી આત્મામાં લયલીન બની જવું. તે યોગ પણ જીવનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. યોગ આત્મદશામાં સ્થિર કરે છે. છે જ્યારે આત્માનો સાચો અનુભવ થાય છે ત્યારે સર્વ પ્રકારનાં દુઃખો શાંત થઈ
જાય છે અને જ્યારે આત્મામાં આનંદના કુવારા ફુટે છે ત્યારે આત્મા સાચો યોગી બની જાય છે. જંગલ કે બગીચાને પાણી ન મળે તો તે સુકાઈ જાય છે અને ફળ મળતાં નથી. એવી જ રીતે જીવન એ બગીચો છે. તેને પ્રવચનરૂપી પાણી ન મળે તો તે
સુકાઈ જાય છે અને મોક્ષરૂપી ફળ મળતું નથી. છે જ્યાં આત્મચિન્તન હોય ત્યાં ચિન્તા હોય જ નહીં અને જ્યાં ચિન્તા છે ત્યાં ચિન્તન પણ ન હોય. ખરેખર જીવ એમ વિચારે કે હું અહીં ક્યાંથી આવ્યો છું, શું કરી રહ્યો છું, કેટલો રહેવાનો છું, ક્યારે અને ક્યાં જઈશ તો જરૂર વૈરાગ્યભાવ આવે. માણસ વર્તમાનનો વિચાર કરે છે પણ ભવિષ્યકાળનો વિચાર કરતો નથી, ભૂતકાળને દેખતો નથી પણ વર્તમાનમાં જો ભવિષ્યનો વિચાર આવી જાય તો આત્મામાં તુરત જ સ્થિરતા આવી જાય છે, પાપનો વિચાર નાશ થઈ જાય છે. ખરાબ વિચાર કરવા એટલે હિન્સાના વિચારો કરવા. બીજાને મારી નાખવાના વિચારો કરવા તે રૌદ્રધ્યાન છે. એ ધ્યાન જે જીવ કરે તે નરકમાં જાય છે અને ત્યાં ભયંકર દુઃખો ભોગવે છે માટે એવા ધ્યાનમાં મનને ન ફસાવા દેવું.
For Private and Personal Use Only