SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિ.સં.૨૦૧૮-મહા સાથો શ્રાવક - વિજયભાઈ હઠીસિંગ રાગઃ ખમાજ (ઢાળ : વૈષ્ણવજન તો તેને રે કહીએ) (૧) સાચો શ્રાવક તેને રે કહીએ જે, પાપ અઢાર ના કરતો રે સહુ જીવોને સરખા ગણીને, જયણાપૂર્વક જીવતો રે.. સાચો (૨) જુઠું બોલે ના, તે જીવનમાં, અણહકનું નવ લેતો રે બ્રહ્મચર્યમાં રહીને જીવે, પરિગ્રહ કદી નવ ધરતો રે. સાચો (૩) મનનું ધાર્યું થાય ના તોય, ક્રોધ કદી નવ કરતો રે મનની ઈચ્છા છોડી દઇને, સરળ બનીને જીવતો રે... સાચો (૪) સ્વાર્થ સાધવા અન્યની સાથે, માયા નવ આચરતો રે રાગ દ્વેષ ને કલહ ત્યજીને, ઓછો લોભ જે કરતો રે.. સાચો (૫) કોઇ કારણે અન્યની ઉપર, આગ કદી નવ મૂકતો રે ચાડી ચૂગલી કરે ના કોઇની, ગમો-અણગમો નવ કરતો રે.... (૬) દૃષ્ટાભાવમાં સદા રહીને, પ૨પંચાત ના પડતો રે માયા સાથે જૂઠ ઉમેરી, કોઇને નવ છેતરતો રે.. સાચો (૭) સમ્યક જ્ઞાનમાં, શ્રદ્ધા રાખી, મિથ્યાત્વમાં નવ પડતો રે અઢાર પાપથી દૂર રહીને, જીવન નિર્મળ કરતો રે.... સાચો (૮) શ્રુત સાંભળી, શ્રદ્ધા કરીને, સ્મરણથી મનન જે કરતો રે કરણી કથની સરખી કરીને, શ્રાવક સાચો બનતો રે.... સાચો (૯) નવાં નિકાચિત, કર્મ ના બાંધે, સંચિતને જે ખપાવે રે કહે વિજય તે દિન પ્રતિદિન, મુક્તિના પંથે જાવે રે.... સાચો સાચો - તમને ખબર છે? આચાર્યશ્રી કૈલાસસાગરસુરિ જ્ઞાનમંદિરના ગ્રંથાગારને કેટલા મૃતોપાસકોની શ્રુતસાધનામાં નિયમિતરૂપે સહયોગી નવાનું નાનકડું પુણ્ય સાંપડે છે? ૦ ૪૨૫ જેટલા પૂ. સાધુ-સાધ્વીજી મ. સા., ૦ ૧૩૦થી વધારે સંશોધક વિદ્વાનો, ૦ ૩૦ જેટલા સંસ્થાનો, ૦ પ00 જેટલા સામાન્ય વાચકો-વિદ્યાર્થીઓ તથા સંસ્થાની મુલાકાતે આવનારા સંખ્યાબદ્ધ મુલાકાતીઓ અને યાત્રિકો! For Private and Personal Use Only
SR No.525263
Book TitleShrutsagar Ank 2012 02 013
Original Sutra AuthorN/A
AuthorB Vijay Jain
PublisherAcharya Kailassagarsuri Gyanmandir Koba
Publication Year2012
Total Pages20
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy