________________
ગૂંજૂરાતી સાહિત્યમાં ચૈત્ર ાિછળ
-- પન્નાલાલ રસિકલાલ શાહ
મિ અને વિચારની પ્રધાનતાને અનુલક્ષીને કાવ્યના બે પ્રકાર પાડવામાં આવ્યા : ઊર્મિપ્રધાન અને * બુદ્ધિપ્રધાન. તત્વજ્ઞાન જેવા ગહન વિષ્ય માટે કાવ્ય પ્રકાર ચિંતનપ્રધાન ગણાય. પરંતુ એથી વાચક કાવ્યનો રસાસ્વાદ ન કરી શકે એ હકીકતને લક્ષમાં લઈ આપણા પ્રાચીન કવિઓએ તત્વને લગતી બાબતો ઊર્મિકાવ્યો દ્વારા પીરસી છે કારણ, ઊર્મિપ્રધાન કાવ્યો હદયંગમ હોય છે. પોતાની અનુભૂતિ માત્ર પ્રગટ કરે એટલે કવિ સફળ થતો નથી, પરંતુ તેની સફળતાને આધાર એની અનુભૂતિ વાચકમાં કેટલે અંશે પ્રગટે છે એના પર રહેલો છે. શ્રી રામપ્રસાદ બક્ષી કહે છે તેમ, “કવિ પોતાની અનુભૂતિને માત્ર વ્યક્ત કરતો નથી, વાચકના હૃદયમાં એવી જ અનુભૂતિ જગાડવાનો એનો પ્રયત્ન હોય છે. વાચકમાં સમભાવ જગાડે એ જ એની કવિશકિતની અને કલાની સફળતા છે.”
મહાકવિઓથી માંડીને સામાન્ય કવિઓનાં કવન માટે બે વિષયો સનાતન છે: એક તો ઈશ્વર અને બીજ, સમસ્ત સૃષિ પ્રત્યેનો તેહ. જગતમાં કોઈપણ કવિ એવો નહિ હોય જેણે આ બન્ને વિષયો પર પોતાની કલમ અજમાવી નહિ હોય. આ સનાતન વિષયો ઉપર અટલે રચાયા છતાં, દરેકની અનુભૂતિમાં કાંઈક નવીન તત્વ, કાંઈક રસાસ્વાદ કરવા જેવું આપણને મળી રહે છે. ઈશ્વરભક્તિનાં કાવ્યોમાં પણ સૂફીવાદીઓની “પ્રિયા' તરીકેની કલ્પના સ્વાભાવિક થઈ પડી, ભકિતરસનો પ્રવાહ ભારતભરમાં અવિરત વહ્યો છે, જેમાં મીરાંબાઈ, નરસિંહ મહેતા, કબીર વગેરે મુખ્ય છે.
જેનોનાં ભક્તિકાવ્યો અને અન્ય દર્શનોનાં ભક્તિકાવ્યોમાં મૂળભૂત ફરક છે. એનું કારણ જૈન દર્શનની ઈશ્વર પ્રત્યેની દષ્ટિ છે. જેના દર્શન ઈશ્વરને ઈહલોકિક વસ્તુથી પર, રાગદ્વેષાદિ બંધનોથી રહિત, પુણ્ય કે પાપ–સોનાની કે લોખંડની બેડી–થી મુક્ત કલ્પે છે, છતાં એ સામાન્ય માનવમાંથી પ્રગટતું સંપૂર્ણ દેવત્વ છે. જયારે અન્ય દર્શનોમાં ઈશ્વરને જગતકર્તા માનવામાં આવ્યો છે, તેમ જ આ બધી પ્રકૃતિની લીલા એમની હોઈ, ઈશ્વરલીલાનાં કાવ્યો રચાયાં છે. વૈષ્ણવ સંપ્રદાય અને સૂફીમતમાં આ ભક્તિરસ,
૧ જુઓ વાસય વિમર્શ,
૪૦.
* શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ અંક, ભાગ ૧ એ સાભાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org