SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતની કેટલીક પ્રાચીન જિનમૂર્તિઓ લેખક સારાભાઈ મણિલાલ નવાબ ભારતીય વિદ્યાભવન અંધેરીના “ભારતીય વિવા” નામના વૈમાસિક મુખપત્રના વર્ષ ૧ ના અંક ૨ માં પૃ. ૧૭૮ થી ૧૯૪ માં “ગુજરાતની પ્રાચીનતમ જિનમર્તિઓ” નામનો એક સચિત્ર લેખ લખેલ પ્રસિદ્ધ થઈ ગએલો છે. આ લેખ પ્રસિદ્ધ થયા પછી તાજેતરમાં જ અમદાવાદ શહેરમાં માંડવીની પળમાં, નાગજીભૂદરની પાળના જૈન દેરાસરમાં મારા જેવામાં આવેલી વિક્રમના બારમા સૈકાની અને કલિકાલસર્વજ્ઞ હેમચંદ્ર સૂરિની વિવમાનતાના સમયની તથા તેઓશ્રીની વિલમાનતાના સમય પહેલાંની ધાતુની ત્રણ પ્રતિમાઓની જનમર્તિવિધાનશાસ્ત્રના અભ્યાસમાં રસ લેનાર વિદ્વાનોને તથા જૈન બંધુઓને ઓળખાણ કરવાનું આ ટુંક લેખમાં મેં યોગ્ય ધાર્યું છે. સમયના અભાવે આ અંકની સાથે આ ત્રણ મતિઓના ચિત્રો આપી શકાયા નથી. - મૂળ ગભારામાં મૂળનાયક શ્રીસંભવનાથજીની જમણી બાજુએ આરસની એટલી ઉપર આ સંવત ૧૧૦૨ ની જિનર્ત આવેલી છે? મૂર્તિ ૧ –આ જિનમતિના પરિકરને ધણોખરો ભાગ (ઉપરને બે ભાગ તથા ડાબી બાજુના ચામર ધરનારની આખી આકૃતિ) નાશ પામેલ છે. આ જિનમૂર્તિની નીચે કોઈ પણ જાતનું લંછન નહિ હોવાથી ચોવીશ તીર્થકરો પૈકીના કયા તીર્થકરની આ મૂર્તિ છે તે શોધી કાઢવું અશકય છે. આ જિનમૂર્તિના કપાળમાં આ જાતનું (હાલમાં વૈષણવ સંપ્રદાયના અનુયાયીઓએ સ્વીકારેલું) તિલક રસ્પષ્ટ દેખાય છે. મધ્યમાં પદ્માસનની બેઠકે બેઠેલી આ જિનમૂર્તિની મુખાકૃતિ બહુ જ સુંદર છે. મૂળ મતિની જમણી બાજુએ એક ચામર ધરનાર ૫રિચારકની ઊભી સુંદર આકૃતિ છે, પરિચારકના પબા હાથમાં ચામર પકડેલે છે અને તેને જમણે હાથ પગ ઉપર ટેકવેલો છે. - પદ્માસનની નીચેના ભાગમાં જમણું બાજુએ બે હાથવાળા યક્ષરાજની સુંદર મૂર્તિ છે, અંબિકા યુલિનીના જમણા હાથમાં આંબાની લેબ સ્પષ્ટ દેખાય છે, તથા ડાબા હાથથી પકડેલું બાળક ખેાળા ઉપર બેસાડે છે, બાળકના શરીરને ઉપરને અડધો ભાગ ખંડિત થએલો છે. પદાસનની નીચેના ભાગમાં નવગ્રહોની નાની નાની નવ આકૃતિઓ કોતરેલી છે. એકંદરે આ સુંદર શિલ્પ જૈનાશ્રિત શિલ્પકલાના ખૂટતા અંકેવાઓ મેળવવા માટે વધારે મહત્વનું છે. આ મૂર્તિના પાછળના ભાગમાં ત્રણ લીટીને લેખ કોતરેલા છે, જે આ પ્રમાણે છે – (1) ગાન () છે.......... (2) વિષ્ણુ અાયાના ચઢી (3) જિર્ણ વિ . સંવત ૧૧૨ ઉપરોક્ત ત્રણ લીટીના લેખ પરથી આ પ્રતિમા બહાણુગછીય કોઈ જૈન ગૃહસ્થે મોક્ષ મેળવવાની અભિલાષાથી સંવત ૧૧૦૨ માં બનાવરાવી. મૂળ ગભારામાં ડાબી બાજુની આરસની એટલી ઉપર આ સંવત ૧૧૨ ની છીપાર્શ્વનાથની મર્તિ આવેલી છે. • આ ગણે મૂર્તિના પિરો માટે અને સત્ય પ્રાણ" માસિાના ઉત્સવ માં પ્રસિદ્ધ છે. “o કલાની પ્રાચીન ધાતુમતિમાઓ” નામના મારા લેખની સાથેનાં પાએલા ચિત્રો . શ્રીમહાવીર જૈન વિદ્યાલય રજત મહોત્સવ સ્મારક ગ્રન્થ સે સાભાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.525043
Book TitleSramana 2001 01
Original Sutra AuthorN/A
AuthorShivprasad
PublisherParshvanath Vidhyashram Varanasi
Publication Year2001
Total Pages176
LanguageHindi
ClassificationMagazine, India_Sramana, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy