SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ થાય એટલે અતીન્દ્રિય પદાર્થોને જાણે છે: તેમ મહામતિએ કહ્યું છે. મહામતિ એટલે પતંજલિનો હવાલો આપી હરિભદ્રસૂરિ નીચેનો શ્લોક આપે છે, જે એમની જ્ઞાનમીમાંસાના નીચોડરૂપ છે; અને તેથી જ વારંવાર એમનાં અન્ય ગ્રંથોમાં આવે છે: आगमेनानुमानेन योगाभ्यासरसेन च । त्रिधा प्रकल्पयन् प्रशां लमते तत्त्वमुत्तमम् ॥ १.१॥ ટીકા પ્રમાણે આ કમે–આગમ, અનુમાન, યોગાભ્યાસ-રસવ પ્રસ્તાને જે કેળવે છે તે ઉત્તમ તત્વને પામે છે. આમાં યોગાભ્યાસ છેવટે આવે છે. આગમ અને અનુમાનથી અતીન્દ્રિય પદાર્થોની કલ્પના કરી હોય પણ તેના યથાસ્વરૂપનું જ્ઞાન તો યોગમાં જ થાય. જિનોત્તમ વીર પણ યોગિગમ્ય છે એ એમના મંગલશ્લોકમાં જ હરિભદ્રસુરિ જણાવે છે: नत्वेच्छायोगतोऽयोगं योगिगम्यं जिनोत्तमम् । वीरं वक्ष्ये समासेन योगं तदृष्टिभेदतः॥१॥ આચાર્ય હરિભદ્રની યોજનામાં આગમ અથવા શાસ્ત્ર અને ખુદ યોગ વચ્ચેનું જે તારતમ્ય છે તે પણ નોંધવા જેવું છે. પોતે વિવિધ સંપ્રદાયોના સાંખ્યયોગ-શવ-પાશુપત–વેદાનિક બૌદ્ધ-જનના યોગાનુભવ અને પદ્ધતિના ગ્રંથોનું ઊંડું અવગાહન કર્યું દેખાય છે. યોગમાર્ગના એમના પોતાના અનુભવે અને બીજાઓને દોરવાની દૃષ્ટિએ તેમણે સ્વતંત્ર મનન કરી પોતાની એક નવી શૈલી અને નવી પરિભાષા પણ રચી છે. યોગની આઠ દષ્ટિઓ એ એમની પોતાની સૂઝ છે એમ પંડિત ડૉ. સુખલાલજી કહે છે તે સાચું છે. એ જ પ્રમાણે તેમણે યોગદષ્ટિસમુચ્ચયના પ્રારંભમાં યોગના ત્રણ પ્રકારો પાડ્યા છે? ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગ. યોગ વિષે કાંઈ જાયું હોય તે કરવાની ઇચ્છા થવી એવી ઇચ્છાવાળાનો–વિકલ અર્થાત અધુર ધર્મયોગ તે ઈચ્છાયોગ. (લો. ૩). શાસ્ત્રમાંથી જે જાયું હોય તેના તીવ્રબોધથી અપ્રમાદી શ્રદ્ધાળુને યથાશક્તિ ધર્મયોગ તે શાયોગ. શાસ્ત્રમાં સામાન્ય રીતે ઉપાય કહ્યા હોય છે તે પ્રયોગમાં મૂકતા પોતાની શક્તિના ઉકથી–બબલતાથી–શાસ્ત્રની ઉપર જઈ વિશેષતાથી જે ધર્મયોગ થાય તે સામર્થન યોગ. ત્રણમાં આ ઉત્તમ. शास्त्रसंदर्शितोपायस्तदतिक्रान्तगोचरः। ___ शक्युरेकाद विशेषेण सामाख्योऽयमुत्तमः ॥५॥ આચાર્ય હરિભદ્ર કહે છે કે સિદ્ધિપદની પ્રાપ્તિનાં કારણે તત્વમાં શાસ્ત્રથી જણાતા નથી; યોગિઓથી જ સર્વ પ્રકારે જણાય છે. લિહારાણદેતુમેરા ન તરતઃ | __शास्त्रादेवावगम्यन्ते सर्वथैवेह योगिमिः ॥६॥ આગળ જઈ કહે છે કે શાસ્ત્રથી સર્વ પ્રકારે સિદ્ધિ થતી હોત તો શ સાંભળતાં જ એવી સિદ્ધિ થઈ જાય. (૭). પણ શાસ્ત્ર ભણનારને એવી સિદ્ધિ થતી નથી તેથી પ્રતિભાનયુક્ત સામર્થ્યયોગ અવાચ્ય છે; અને સર્વત્ર આદિ તત્ત્વોની સિદ્ધિ એનાથી થાય છે. પ્રાતિજ્ઞાન એટલે માગનુસારિનું ૫ આગમ અનુમાન ને યોગામાસર વળા સંકારે લિકા પ્રજ્ઞા પામે તે તત્વ ઉત્તમ. : ભારતના નાટષશાસ્ત્રમાં જે આ નવ રસાતિઓ આવે છે જેનો મૂર્તિઓ અને શિમાં પણ વિનિગ થતા હતો તે ઉપરથી તેમની આ ઉટની પરિભાષા અઝી હોય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.525040
Book TitleSramana 2000 01
Original Sutra AuthorN/A
AuthorShivprasad
PublisherParshvanath Vidhyashram Varanasi
Publication Year2000
Total Pages232
LanguageHindi
ClassificationMagazine, India_Sramana, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy