SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ રાક્ષસ કહ્યો છે તે જિલરાજ બર્બરક તે પછી એક જ સિકામાં “બાબરો ભૂત” બની જાય છે તે સોમેશ્વર (ઈ.સ. ૧૧૭૯-૧૨૬૨)ની કીતિકોમુદીમાંના નીચેના ઉદ્ધરણ પરથી સ્પષ્ટ થશેઃ "श्मशाने यातुधानेन्द्रं बद्धवा बर्बरकाभिधम् । सिद्धराजेति राजेन्दुयों जज्ञे राजराजिषु ।” २०३८. અથાંત-બર્બરક નામના સ્મશાનમાંના મોટા ભૂતને બાંધીને તે રાજચન્દ્ર રાજાઓની પંક્તિમાં સિદ્ધરાજ' બન્યો.” તામ્રપત્રોમાં સિદ્ધરાજને રાત્રિનું એવું વિશેષણ લગાડાયેલું હોવાથી આ પ્રસંગ બહુ મોટો ગણાતો હોવો જોઈએ. પોતાના વિ. સં. ૧૨૫૬ના ભાદ્રપદ અમાસ વાર મંગળના પાટણના તામ્રપત્રમાં ભીમદેવ બીજે પોતાને “મિનેસિયાન” કહેવરાવે છે. આ પછીનાં પણ કેટલાંક તામ્રપત્રોમાં આ બિરુદ મળે છે. આથી સમજાય છે કે માત્ર ૫૦ જ વર્ષમાં જયસિંહ સિદ્ધરાજ ચૌલુક્યવંશનો અનુકરણીય આદર્શ રાજા ગણાવા લાગેલો. આ કાવ્યમાં વર્ણવેલા મૂળરાજના સૌરાષ્ટ્રવિજય તથા તેના જ શાસનકાળ દરમ્યાન ચામુંડરાજના લાટવિજયને રવ દુર્ગાશંકર શાસ્ત્રી કપિત માને છે; પરંતુ સ્વ. રાચુ મોદીએ આનો સચોટ ઉત્તર આપેલો છે. મૂળરાજ પછી ભીમદેવ સુધી કોઈએ સૌરાષ્ટ્ર પર આક્રમણ કર્યાનું કથન મળતું નથી; જ્યારે સોમનાથની ભાવબહસ્પતિની પ્રશસ્તિમાં પણ ભીમદેવે સોમનાથનું પથ્થરનું મન્દિર બંધાવ્યાનો સ્પષ્ટ ઉલલેખ છે, તે આપણે આગળ જોઈ ગયા. તે જ રીતે ચામુણ્યરાજથી કર્ણદેવ સુધીના કોઈ ગુર્જરેશ્વરે લાટ ત્યાનું સૂચન ક્યાંય મળતું નથી; જ્યારે કર્ણનું વિ. સં. ૧૧૩૧નું નવસારીનું તામ્રપત્ર તેની લાટ પરની સત્તાનું સૂચક છે. આથી આ પ્રસંગોને સત્ય માનવા પડે છે. ઉપર ઉતારેલા સંસ્કૃત દ્વયાશ્રયના છેલ્લા શ્લોકમાં ઋષિઓ ચૌલુક્યચૂડામણિ રાજા કુમારપાલને પૃથ્વીને અનૃણી કરી રવીય સંવત્સર-પ્રવર્તન માટે આદેશ – આશીર્વાદ આપે છે. વિકિસ્ત્રાપુરથતિના ૧૦મા પર્વના ૧૨મા સર્ગના ૭૭મા શ્લોકમાં શ્રી મહાવીરસ્વામીના મુખમાં મૂકેલી ભવિષ્યવાણી પણ કહે છે કે : “दायं दायं द्रविणानि विरचय्याऽनृणं जगत् । अङ्कयिष्यति मेदिन्यां स संवत्सरमात्मनः ॥" અર્થાત - “તે (કુમારપાલ) દ્રવ્ય આપી આપીને જગતને ઋણમુક્ત કરીને પૃથ્વી ઉપર નિજ સંવત્સર આંકશે – પ્રવતવશે.” “શ્રી જૈન સત્યપ્રકાશ”ના ૯૩મા અંકમાં મુનિશ્રી પુણ્યવિજયજીએ શત્રુંજયની ચૌમુખજીની દૂકના મૂળ મન્દિરના દરવાજાની ડાબી બાજુની એક ધાતુપ્રતિમા ઉપરનો લેખ પ્રકાશિત કરેલો, જેમાં “શ્રીલિમકુમાર સં : ” આપેલી છે. હેમચન્દ્રાચાર્યના પોતાના “મિષાનજિલ્લાના” કોશમાં એક સ્થળે (૬. ૧૭૧) સંવત્'નો અર્થ સમજાવતાં કહ્યું છે કેઃ " यथा विक्रमसंवत् सिद्धहेमकुमारसंवत्" આથી વિશેષ પ્રકાશ આ વિષય પર અદ્યપર્યત પડ્યો નથી, પરંતુ કુમારપાલની નૂતન સંવત્સર પ્રવર્તાવવાની તીવ્ર ઇચ્છા ફળીભૂત થઈ હશે, જેને પરિણામે સિદ્ધરાજ, હેમચન્દ્રાચાર્ય અને કુમારપાલ એ ત્રણે વિભૂતિઓનાં નામથી અંકિત આ સંવત્સર શરૂ થયો હશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.525039
Book TitleSramana 1999 10
Original Sutra AuthorN/A
AuthorShivprasad
PublisherParshvanath Vidhyashram Varanasi
Publication Year1999
Total Pages202
LanguageHindi
ClassificationMagazine, India_Sramana, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy