SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનરૂપી દેરાથી પરોવાયેલ હોવાથી ફરીથી સંસારમાંથી બહાર આવી જાય અને પશ્ચાતાપના કારણે શીધ્ર મુક્તિગામી બની જાય. નંદિષેણ મુનિ તીવ્ર નિકાચિત કર્મના કારણે સંસારના દલદલમાં ફસાઈ ગયા પડી ગયા પણ જ્ઞાનસંપન્નતા હોવાને લીધે અભિગ્રહ કર્યો કે રોજ દસ જણાને પ્રતિબોધ કરીને પછી જ ભોજન લઈશ. એમાં એક વાર દસમો કોઈ તૈયાર થતો ન હોવાથી વેશ્યાએ સહેજ ટકોર કરી કે દસમાં તમે" જુઓ જ્ઞાન સંપન્નતા આને કહેવાય.... કે કોઈ પણ ઘટના બનતી હોય અને હુમલો પોતાની ઉપર આવે ત્યારે એને પડકાર સમજીને ઝીલી લેવો એ જ જ્ઞાનસંપન્નતા છે. તેજીને ટકોરોની જેમ શ્રી નંદિષણ મુનિએ પડકાર ઝીલી લીધો. તૈયાર થઈ ગયા. સંસારનો ત્યાગ કરી કાદવમાંથી બહાર નીકળી ગયા. સંયમ સ્વીકારી લીધું અને એ જ ભવમાં કેવળજ્ઞાન અર્થાત્ પૂર્ણજ્ઞાનપામી ગયા.... સાધુ કે શ્રાવક બધા જ આવી જ્ઞાનસંપન્નતા દ્વારા દુઃખમય સંસારનો ઉચ્છેદ કરી શીધ્ર શાશ્વતકાળ માટે પૂર્ણજ્ઞાનપામી અનંતસુખના ભોક્તા બને એ જ અંતરના આશિષ. એ જ મનની મનોકામના એ જ હૃદયની શુભભાવના દેવ ગુરુભક્તિકારક શ્રી બાબુભાઈ, અહોશ્રુતજ્ઞાનમ્ " અંકની અર્ધશતાબ્દી પૂર્ણ થઈરહ્યાનું જાણીઆનન્દ.... અહો! શ્રુતજ્ઞાનના માધ્યમે તમોએ પણ નિઃસ્વાર્થ ભાવે ઘણી મૃતભક્તિ કરી એનાથી એવું જણાય છે. કે ભવિષ્યમાં તમારે કૃત ભણવા-શીખવા-સમજવા માટે બહુ મહેનત નહીં કરવી પડે. દેવ-ગુસ્નીપૂર્ણ કૃપાના આધારે ઓછી મહેનતે તમે કૃતના પારગામી થશો ત્યારે તમારા આત્મ પ્રદેશોમાંથી આ ભાવ સરી પડશે. અહોશ્રુતજ્ઞાનમ્ .. શ્રુતજ્ઞાનની ભક્તિના માધ્યમે સમતા-સમાધિ અને સદ્ગતિની પ્રાપ્તિ દ્વારા શ્રતના પગામી બની આજના શ્રી નેમિનાથપ્રભુના કેવળજ્ઞાન કલ્યાણકની ઉજવણી 3પ કેવળજ્ઞાન પામી અનન્ત કાળ માટે શાશ્વત સુખના ભોક્તા બનોએવા અંતરના આશિષ. અહો! જિનશાસનમ્ શાસ્ત્રોમાં કેવલજ્ઞાન કરતાં પણ એક અપેક્ષાએ શ્રુતજ્ઞાનને ચઢીયાતું કર્યું છે - શ્રુતજ્ઞાનના ઉપયોગ દ્વારા (વાસ્તવમાં દોષિત છતાં) નિષ્કપટ કૃતોપયોગથી તપાસ બરાબર કરીને મહાત્મા ગોચરી લાવ્યા હોય તો કેવલજ્ઞાની ભગવંત શ્રુતજ્ઞાનના પ્રામાણ્યને અબાધિત રાખવાના હેતુથી કશું પૂછયા વિના એ ગોચરી વાપરી જાય છે ત્યારે દિલમાં એમ થાય કે 'અહોશ્રુતજ્ઞાનમ્' આ. શ્રીમવિજય જયઘોષ સૂરશ્વરજી મહારાજા તેમજ જયસુંદરસૂરિજી તરફથી - અહોતજ્ઞાનમ્ર સંવગ સાગર
SR No.523350
Book TitleAho Shruta gyanam Paripatra 50 Suvarn Ank
Original Sutra AuthorN/A
AuthorBabulal S Shah
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad
Publication Year2019
Total Pages84
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Aho Shrutgyanam, & India
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy