________________
પુસ્તક
36-80
અહો ! શ્રવજ્ઞાન
_ID @ી ઈિતાક@િ@DER-TRIPરણી સ્ત્રીનાથાય નHE ID
સંકલના શિાહ બાબુલાલ સાલી
પ્રકાશRડાવાળા સંવત ૨૦૭૩ - અષાઢ/શ્રાવણ સુદ-૫ જિનશાસનના અણગાર, શાસનના શણગાર પૂજ્ય ગુરુભગવંતોના ચરણોમાં અનંત અનંત વંદન... જિનાજ્ઞાસમારાધક શ્રેષ્ઠિવર્ય શ્રી/પંડિતવર્ય શ્રી..... પ્રણામ ! - પ્રસ્તુત ચાતુમાસિક માસિકમાં આપનું હાર્દિક રવાગત છે. આ વખતે ફરી નવમા વર્ષે શ્રુતજ્ઞાન સંબંધી કંઇક નવા વિચારો આયામો માહિતિઓ આપના સુધી પહોંચાડવાની કટિબદ્ધતાની સાથે પ્રસ્તુત અંક આપના કરકમલમાં છે. આફરિમક સંયોગોને કારણે અષાઢ અને શ્રાવણનો આ સંયુક્ત અંક આપને પ્રેષિત કરી રહ્યા છીએ.
| સમ્યજ્ઞાનની ઝળહળતી જ્યોત શાસનની પ્રભાવનાના અનેક ક્ષેત્ર છે. પણ જો આપણે ભવ્યાતિભવ્ય ઓચ્છવ-મહોત્સવોમાં જ તેની ઇતિશ્રી માની લઇએ તો ઉપાધ્યાયજી મહારાજના વચનો " ધૂમધામે ધમાધમ ચલી, જ્ઞાન મારગરહો દૂર ” એ સાર્થક થઇ જાય. • પ્રભુનું શાસન જ્ઞાન અને ક્રિયા ; બંને દ્વારા મોક્ષ માને છે. મહોત્સવ આદિમાં વિવિધ અનુષ્ઠાનની સાથે પ્રવચન-શ્રુતપ્રદર્શન આદિ રવરૂપે જ્ઞાનનો માર્ગ પણ ઉભો રહેવો જોઇએ. મસમોટા આયોજનોમાં પણ ત્યાં પધારનાર ભાવિકોને કોઇ ને કોઇ રીતે સમ્યજ્ઞાન - ઉપદેશની પ્રાપ્તિ થાય એ ભાવ અને વ્યવસ્થા ગોઠવવી જોઇએ, જેથી સંઘ સમાજને નવી દિશા મળે. જે માટે નીચે પ્રમાણે કંઇક વિચારી શકાય. (૧) કોઇ પણ ધાર્મિક પ્રસંગમાં ઘણા બેનરો બનતા હોય છે. દરેક બેનરમાં યથા યોગ્ય રીતે એકાદ પ્રેરણાત્મક વાક્ય પણ મુકવું જોઇએ. (૨) ગુરુભગવંતોના નામના જે બેનર બનાવીએ, તેમાં જે તે ગુરુ ભગવંતોનો એકાદ ઉપદેશ મુકી શકાય, (૩) આપણા પ્રાચીન પ્રભાવક મહાપુરુષો, શાસનપ્રભાવક આચાર્યો, શ્રુતજ્ઞાનનો મહિમા, સદ્ગુરુનો મહિમા વગેરે જનરલ બેનરો સંઘમાં રાખી મુકવા જોઇએ. તથા જે તે અવસરે લગાવવા જોઇએ. (૪) વસ્તુપાલ તેજપાલ, કુમારપાલ, પેથડ શાહ, જગડુ શાહ વગેરે પુણ્યવાન શ્રાવકોએ કરેલા કાયના બેનર તૈયાર હોય તો જે તે પ્રસંગે લગાવી શકાય. 0 અમદાવાદમાં ભગવાન નગરના ટેકરાના ઉપાશ્રયમાં આવો સરસ મઝાનો કન્સેપ્ટ છે. જેમાં ઉપાશ્રયની દિવાલો પર ગુરુભક્તિ, શ્રુતજ્ઞાનનો મહિમા, આરાધના, સમતા-સમાધિપ્રેરક સુવાક્યો વગેરેના બેનર કે સન બોર્ડ આકર્ષક ડીઝાઇન સાથે લગાવેલા છે. ક્યાંક ક્યારેક મન અસમાધિમાં જતુ રહે ત્યારે આ ઉપદેશ ક્યારે કોને શુભ અસર કરી જાય તે કહી શકાય નહીં માટે શ્રી જૈન સંઘમાં આ પ્રયોગ કરવા જેવો છે. • વિશેષ કરીને પ્રસ્તુત અંકમાં, જગજયવંત શ્રી જીરાવલા પાર્શ્વનાથ ભગવાનની ઐતિહાસિક પ્રતિષ્ઠા પ્રસંગે ટ્રસ્ટ દ્વારા શ્રુતજ્ઞાનની ભક્તિ-પ્રચાર-પ્રસાર રવરૂપે જે અનુમોદનીય કાર્ય કરવામાં આવ્યું તેની વિગત સમાવી છે. જિનાજ્ઞા વિરુદ્ધ કંઇ પ્રરૂપણા થવા પામી હોય તો મિચ્છામી દુક્કડમ્....
લી. સકળશ્રી સંઘ ચરણસેવક શાહ બાબુલાલ સરેમલ બેડાવાલા
Aજરાત
અહી 8 શ્રુતSિIGN = ૧૯-૪૦ ૧