SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ અમૃત પટેલ Nirgrantha स्तोत्रं श्रोत्ररसायनं सुमनसां वाग्देवता दैवतं चक्रे गूर्जरचक्रवर्तिसचिवः श्रीवस्तुपालः कविः ॥ प्रातातरधीयमानमनघां यच्चित्तवृत्तिं सतामाधत्ते विभुतां च ताण्डवयति श्रेयः श्रियं पुष्यति ॥९॥ ભાવાનુવાદ આ ભક્તિભાવભર્યા ભારતીસ્તોત્રના રસનાં સ્થાનો તેના અનુવાદરૂપમાં હવે વિગતવાર જોઈએ : ૧. સુધારસના નિધાન સમાન જે તત્ત્વની ચિંતામાં મગ્ન થઈને) બુધ પુરુષ ધ્યાન કરે છે કે આ આકાશ જાણે ચાંદનીથી દૂર દૂર સુધી લીંપાઈ ગયું છે. દિશાઓ જાણે ચંદનરસમાં સ્નાન કરી રહી છે અને ધરતી જાણે ખીલેલાં શ્વેતકમલોથી ઊભરાઈ ગઈ છે. [આમ સમગ્ર બ્રહ્માંડ શુભ શુભ્ર ભાસે છે) એવું સારસ્વતતેજ જગતને નિર્મલપદનું દર્શન કરાવનાર થાઓ. . હે વાગીશ્વરી ભારતી ! સ્વર્ગગાનાં જલમાં આકંઠ પ્રવેશ કરીને જેઓ મહામોહને રૂંધનાર તારા તેજનું ચિંતન કરે છે તેઓ મહર્ષિ પાણિનિની જેમ શબ્દબ્રહ્મ(વ્યાકરણ)માં પ્રગલ્મ બને છે; અને તેનો વચનવિન્યાસ–નૂતન શબ્દ–નૂતન અર્થથી અનુસૂત થઈ જાય છે. ૩. હે માતા ! ઉત્તુંગ ગિરિશ્ચંગો પર [બેસીને જે પવિત્ર પુરુષો, ગંગામાં સ્વચ્છ થયેલ ચંદ્રકિરણ સમાન તારા તેજનું પરિશીલન કરે છે, તેઓનાં નિર્મલ નવીન કાવ્યોની કલાથી સકલ લોક આનંદપૂર્વક મસ્તક ડોલાવે છે. ૪. હે બ્રહ્માણી ! નમ્ર સુરો-અસુરોના ઇન્દ્રના મસ્તક ઉપરના મુકુટની તિરછી પ્રભાથી તેજસ્વી બનેલાં તારાં ચરણયુગલને જેઓ સ્તવે છે. તેઓ મેઘ-પ્રસન્ન કલાપીઓના કેકારવ સમાન વાણીથી પશુઓ[જેવા જડ લોકો]ને પણ નીતિમય બનાવે છે, પ્રીતિપાત્ર બનાવે છે. ૫. હે બ્રહ્મપુત્રી ભગવતી દેવી ! જે તારા નામનું સંકીર્તન કરે છે તેને વ્યુત્પન્ન વિદ્યારૂપ ફળ મળે છે અને તેની કવિ-કીર્તિ ફ્લાય છે. તેને રાજાઓ ધનસંપત્તિનું દાન આપે છે, ને તે કવિઓ સાથે વિદ્યાલયોમાં કાવ્યકેલિ કરે છે. ૬. હે વિશ્વમાતા ! પુત્રની જેમ જે પુરુષ આપને જેમ સેવે છે તે સમગ્ર જગતનું કરસ્થિતિ નિર્મલ જલની જેમ દર્શન કરે છે [પરંતુ ખૂબી એ છે કે] ગુણવાનું કાવ્યોથી સંપત્તિઓ એના ઘેર આવે છે અને કીર્તિ દૂર દિશાઓમાં જતી રહે છે. ૭. ભલે આકૃતિ જેવી તેવી હોય, ભલે ઘરમાં લક્ષ્મી હોય કે ન હોય, ભલે ધનવાનો સાથે પરિચય હોય કે ન હોય, પરંતુ તે હંસવાહિની માતા ! તું પ્રસન્ન થાય તો તે પુરુષો રૂપ-વૈભવ-સત્તાથી સંપન્ન બને છે. ૮, હે દેવી ! મા ! એવો કોઈ અંત (પ્રાણી) નથી કે જેની અંદર તું ચેતનારૂપે બિરાજમાન નથી; જગતમાં કોઈ શાસન નથી કે જે “તુજ-મય’ [વાણીમય ન હોય; એવી કોઈ કલા ક્યાંય ક્યારેય થઈ નથી કે જે તારા વિના સિદ્ધ થાય, અને એવી કોઈ [મિષ્ટકમીઠડી] મનભાવન વસ્તુ નથી કે તારા ભક્તને તું પ્રસન્ન થઈને આપતી નથી. ૯, આવું વાવતાનું કર્ણરસાયન સમાન સ્તોત્ર ગુર્જરચક્રવર્તિસચિવ શ્રી વસ્તુપાલ કવિએ રચ્યું છે. પ્રતિદિન પ્રભાતે આ સ્તોત્રનું પઠન સજ્જનોની ચિત્તવૃત્તિઓને નિષ્પાપ બનાવે છે, વિભુતા અર્પે છે, કલ્યાણ Jain Education Intemational Jain Education Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522703
Book TitleNirgrantha-3
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year2002
Total Pages396
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy