SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. II-1996 નરેન્દ્રપ્રભસૂરિના... નરેન્દ્રપ્રભ બન્ (૫ / ૧ / ૨૬૩) એ સિદ્ધહેમનું સૂત્ર ટાંકીને “ઈનિ' પ્રત્યયમાં દ્યોતકલોપ થયો છે એમ નોંધે છે. (પૃ૦ ૨૨૮) વિવિ. ઇત્યાદિમાં ‘fખન' પ્રત્યય છે તેમાં “રૂવાદ્રિ” દ્યોતકનો લોપ થયો છે. જ્યારે ભોજ હર્તમાને (પનિ સૂત્ર સારા૭૧) ટાંકીને “ઉપમાનમાં ઉપપદમાં “કાગડાની જેમ બોલે છે' એમ સામાનાધિકરણ્ય વડે કર્તામાં જ પ્રત્યય ઉપમેયને માટે યોજાયો છે એમ સમજાવે છે. આ પ્રત્યયોપમામાં પદોપમા નામનો ભેદ છે એમ પણ તેઓ નોંધે છે. સ્પષ્ટ છે કે પ્રસ્તુત ઉદાહરણ માત્ર જ નરેન્દ્રપ્રભે , વંમાંથી આપ્યું છે, બાકી તેમનું વલણ ભોજથી જુદું છે. તેઓ હેમચન્દ્રને અનુસર્યા છે. ઉપમાપ્રકારોમાં સાધારણધર્મના લોપમાં નરેન્દ્રપ્રભસૂરિ ભોજે આપેલ ઉદાહરણ આપે છે. જેમ કે, पूर्णेन्दुकल्पवदना मृणालीदेश्यदोलता । चक्रदेशीयजघना सा स्वप्नेऽपि न दृश्यते ॥ - (નં. મો. પૃ. ૨૨૮, ૩. વ. પૃ. ૪૦૩) નરેન્દ્રપ્રભ અનુસાર અહીં ધર્મનો લોપ થયો છે, પરંતુ તે કલ્પત્વ વગેરે વડે સાક્ષાત્ કહ્યો છે. રૂષ થોડુંક સહેજ-અપરિસમાપ્ત અપૂર્ણ એટલે પૂર્ણચન્દ્ર જેવું એવો અર્થ છે. આથી “પૂર્ણ જ એમ નહીં, માટે રૂપકની શંકા કરવી નહીં. જ્યારે ભોજ આને ઉપમાનાર્થે પ્રત્યયનું ઉદાહરણ માને છે. તેમના મતે પૂર્ણેન્દુ વગેરે ઉપમાનભૂત શબ્દો ઉપમેયભૂત વદન વગેરેમાં રહેલા છે. આ કલ્પ વગેરે (ઈષદ્ અસમાપ્ત) શબ્દો સ્વાર્થિક છે, છતાં શબ્દશક્તિના સ્વભાવથી ગુણભૂત બનેલા ઉપમાનાર્થમાત્રને જ કહે છે, જે ઉપચારથી ઉપમેયવૃત્તિવાળા હોય છે. (પૃ. ૪૦૩) વાત્સ્યા મુહુર્વત્રિત વગેરે ઉદાહરણ પણ નરેન્દ્રપ્રભે ભોજમાંથી ગ્રહ્યું છે; પરંતુ ભોજમાં તે અલંકારના ઉદાહરણ તરીકે નથી, રસના અનુબન્ધના ઉદાહરણરૂપે અપાયેલું છે. (. વ. . ૧૭૨) જ્યારે નરેન્દ્રપ્રભસૂરિ પ્રતિવસ્તુપમાની જેમ જેમાં ઉપમેય અને ઉપમાનના ધર્મોનો પૃથક પૃથક નિર્દેશ થયો હોય તેવા ઉપમાના પ્રકારવિશેષ તરીકે તેને ઉદ્ધત કરે છે. (નં. મહો, પૃ. ૨૩૬). રચ્યક વગેરેમાં પણ આવતા બિંબપ્રતિબિંબભાવની સુંદરતાના ઉદાહરણ પાયોડયું. પરત્વે નરેન્દ્રપ્રભ અને ભોજ જુદું વલણ ધરાવે છે. નરેન્દ્રપ્રભે ઉપમાના આ ઉદાહરણમાં રૂકને અનુસરીને દાંતની જેમ બિંબપ્રતિબિંબભાવ માન્યો છે, જેમ કે, અહીં હાર અને અંગરાગ એ ધર્મોમાં નિઝર અને બાલાપ પ્રતિબિંબરૂપે નિબદ્ધ થયાં છે. ભોજ અને વાક્યર્થોપમાના “વાક્યોપમા” નામના ભેદરૂપે ઓળખાવે છે. એક જ ‘રૂવ' પદથી રાજા અને પર્વતરાજનો ઉપમાનોપમેયભાવ કપ્યો છે. એટલે એક યુવ શબ્દવાળી વાક્યર્થોપમા છે. આમ સ્પષ્ટ છે કે પ્રસ્તુત ઉદાહરણ બન્નેમાં સમાન છે પણ અહીં નરેન્દ્રપ્રભનો ઝોક રક તરી છે, ભોજને તેઓ અનુસરતા નથી. કેટલાક ઉપમાભેદોનાં ઉદાહરણ નરેન્દ્રપ્રભે દંડી અને ભોજને અનુસરીને આપ્યાં છે : જુઓ (અત્ન. મો. ૮/૨૨,૨૩) જેમ કે, Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522702
Book TitleNirgrantha-2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1996
Total Pages326
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy