SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. II - 1996 જૈન આગમોમાં કૃષ્ણ અને દ્વારકા ૧૧ મહાભારતના પ્રાચીનતમપર્વ ““સભાપર્વ”માં પણ દ્વારકાના વર્ણનમાં સમુદ્ર નથી. એનો સમુદ્ર સાથેનો સ્પષ્ટ સંબંધ મૌસલપર્વમાં મળે છે, જે પ્રમાણમાં ઓછું પ્રાચીન છે. દ્વારકા અને રૈવતકનો સંબંધ દ્વારકા અને સમુદ્રના સંબંધ કરતાં વધારે પ્રાચીન ઠરે છે. આથી કેટલાક વિદ્વાનો એવું પણ સૂચન કરે છે કે યાદવોના સમયમાં જ બે દ્વારકા હોય. રાજસૂય યજ્ઞ વખતે રૈવતક પર્વત નજીકની દ્વારકા હશે અને મૌસલયુદ્ધ વખતે સમુદ્રકિનારાવાળી દ્વારકા હશે.... દ્વારકાના રાજા કૃષ્ણ અને તેના રહેવાસીઓ : જૈન આગમો પ્રમાણે અંધકવૃષ્ણિ, વસુદેવ, બલદેવ અને કૃષ્ણ આ નગરીના રાજાઓ હતા, પણ મુખ્યત્વે દ્વારકાના રાજા કૃષ્ણ ગણાય છે. તેમને ‘દ્વારવતી'ના પૂર્ણચંદ્ર કહ્યા છે. જૈન આગમોમાં પણ “કૃષ્ણની દ્વારકા' એવા શબ્દો મળે છે. બન્ને પરંપરાઓ આ બાબતમાં એકમત છે. બન્નેમાં દ્વારકાના નાશથી કૃષ્ણને વ્યથિત થતા દર્શાવ્યા છે, જે એમની દ્વારકાપુરી પ્રત્યેની આત્મીયતા દર્શાવે છે. આજથી ૧૫૦૦ વર્ષ પહેલાં પણ હાલની દ્વારકા શ્રીકૃષ્ણની દ્વારકા તરીકે જાણીતી હતી. એમ પુરાતત્ત્વીય પુરાવાઓથી પણ સાબિત થાય છે. આ દ્વારકા ૨૫ આર્યદેશો પૈકીના એક એવા સુરાષ્ટ્રદેશની રાજધાની હતી, એમ આ આગમોમાં જણાવ્યું છે. તેમાં અનેક વીરો, રાજાઓ, દુર્દાન્ત યોદ્ધાઓ, સ્ત્રીઓ, ગણિકાઓ, શેઠીયાઓ, કોટવાળો, તેમજ સાર્થવાહો રહેતા હતા. તેમાં સ્થાપત્યા નામની સ્ત્રી અને તેનો સ્થાપત્યાપુત્ર નામે પુત્ર રહેતાં હતાં. આ નગરમાં વૈતરણિ અને ધન્વતરિ નામના બે વૈદ્ય રહેતા હતા, જેમાંના ધન્વન્તરિને અભવ્ય કહ્યો છે, કારણ કે તે સાધુઓને સાવદ્ય ઔષધ આપતો હતો, જ્યારે વૈતરણિ નિર્દોષ ઔષધ આપતો હતો, માટે ભવ્ય કહ્યો છે. તેમાં વીરક નામનો કૃષ્ણભક્ત વણકર અને અમિત્ર નામનો શ્રેષ્ઠી પણ રહેતો હતો. નારદ આ નગરીમાં વારંવાર આવતા હતા. એક વાર, ઇન્દ્રમહોત્સવ પ્રસંગે બહારથી આવેલા આભીર લોકો, આ નગરીને સાધુલોકોએ વર્ણવેલો દેવલોક સમજી બેઠા હતા. તેમણે અહીંના લોકોને ડિયાસાદિય સુiધવિવિગેવસ્થમ્ કહ્યા છે, તે દ્વારકાની શોખીન પ્રજાને સૂચવે છે. દ્વારકા, અરિષ્ટનેમિનું પ્રવ્રજ્યાગ્રહણનું સ્થળ હોવા ઉપરાંત તેમનું પ્રથમ ભિક્ષાસ્થાન હતું, તેથી જૈન આગમમાં તેનું મહત્ત્વ વધારે છે દ્વારકાનો નાશ : અંદમાં મળતા નિર્દેશ પ્રમાણે આવી સમૃદ્ધ નગરી દ્વારકાનો નાશ અગ્નિ, મદિરા અને દ્વૈપાયન ઋષિના ક્રોધને કારણે થશે, એવી આગાહી અરિષ્ટનેમિએ કરી હતી. દવૈહા માં જણાવ્યા પ્રમાણે, ૧૨ વર્ષ પછી તૈપાયનથી દ્વારકા નાશ પામશે એવી આગાહી સાંભળી દ્વૈપાયન ઉત્તરાપથ ગયા, પણ ૧૨ વર્ષની ગણતરીમાં કંઈક ભૂલ થવાથી, તે પહેલાં એ દ્વારવતી આવી ચડ્યા ને યાદવકુમારોની કનડગતથી કોપને વશ થઈ નિદાન કરી કાળ પામ્યા અને અગ્નિકુમાર તરીકે જન્મ્યા ૫. સ્થાસૂઅ.ની વૃત્તિમાં આ વિગત છે", પણ પૂરેપૂરી વિગત તો ઉસૂને માં મળે છે, જેનો ટૂંક સાર નીચે પ્રમાણે છે : અરિષ્ટનેમિએ ૧૨ વર્ષ પછી દ્વારકાના નાશની કરેલી આગાહીથી યાદવોએ બધાં જ માદક દ્રવ્યોને કાદંબ ગુફામાં સંતાડી દીધાં. એક વખત સાંબ વગેરે કુમારો અચાનક ત્યાં જઈ ચઢઢ્યા. એમણે મન મૂકીને સુરાનો આસ્વાદ માણ્યો અને ચકચૂર થઈને ગિરિવર આગળ ફરતા હતા, ત્યાં તપ કરતા દ્વૈપાયનને જોયો અને તેમને શત્રુ સમજીને માર્યો. દ્વૈપાયનને ખૂબ ક્રોધ થયો. કૃષ્ણ-બલદેવે ઘણી માફી માગી છતાં માન્યા નહીં. કૃષ્ણ બલદેવે ઘોષણા કરાવી કે હવે નગરીનો નાશ થશે, તેથી સાંબ, પ્રદ્યુમ્ન વગેરે બધાં પ્રવ્રજયા લઈને તપ ભણી વળ્યાં. દ્વૈપાયન તપ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522702
Book TitleNirgrantha-2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1996
Total Pages326
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy