SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ સં. (૨) અગરચંદ નાહટા અને મધુસૂદન ઢાંકી Nirgrantha સ્વર્ગારોહણપ્રાસાદ અનપમા-સરોવરને કાંઠે. મંત્રીશ્વર વસ્તપાલના ઈ, સ, ૧૨ ૩૯માં થયેલ સ્વાંગમન બાદ. ત્યાં દાહભૂમિ પર મંત્રીબંધુ તેજપાળ તેમજ વસ્તુપાળ-પુત્ર જૈત્રસિંહે મંત્રીશ્વરના સ્મરણમાં બંધાવેલો હોવાનું અન્ય ઘણાં પ્રમાણોથી સિદ્ધ છે.) સ્તોત્રકાર વચ્ચે આવતા અનુપમા-સરોવરનો ઉલ્લેખ કર્યા સિવાય હવે દક્ષિણ ગ્રંગનાં ચૈત્યોની વાત કહેવી શરૂ કરે છે. ત્યાં (વ્યાઘ્રીપ્રતોલી = વાઘણપોળ, જે મંત્રીશ્વર વસ્તુપાળે ઈસ૧૨૩૦ના અરસામાં બંધાવેલી તેમાં) પ્રવેશતાં, દષ્ટિગોચર થતાં (સ્તંભનાધીશ)પાર્શ્વ, ઈન્દ્રમંડ૫, જિનસુવ્રત, રેવત(પતિ, નેમિનાથ), અને સત્યપુરેશ્વર વીરનાં મંદિરોનો ઉલ્લેખ કરે છે, અને તે બધાં વસ્તુપાળે કરાવેલાં તેવો સ્પષ્ટ નિર્દેશ પણ ત્યાં આવે છે. આ પછી (આદીશ્વર ભગવાનની ટૂકમાં આવેલા) સીમંધરાદિ વિદેહક્ષેત્ર-સ્થિત વર્તમાન જિનો (વીસ વિહરમાન), નંદીશ્વરપ્રાસાદ, પાંડવો (ની પ્રતિમાઓનો પટ્ટ), કોટાકોટિ-જિનાલય, ચરણપાદુકા, અને લેપમયી ત્રેવીસ (જિન) પ્રતિમાઓનો ઉલ્લેખ કરે છે. સ્તોત્રકારે અહીં ચૈત્યોનો ક્રમ કયાંક કયાંક ઉત્કમ્યો છે. જેમકે ભૂગપુરાવતાર જિન મુનિસુવ્રત અને સત્યપુરાવતાર વીરનાં મંદિર આદીશ્વર-ભગવાનની ટૂકમાં હતાં, જ્યારે નંદીશ્વર-પ્રાસાદ વાઘણપોળની સામે ઈન્દ્રમંડપની પાસે કયાંક હતો. એમ જણાય છે કે છન્દના મેળ અને લય સાચવવા સ્તવનકારે કમવારીનો થોડોક ભોગ આપ્યો છે. સ્તોત્રકાર ઉલ્લિખિત આ વાસ્તુ-શિલ્પ-પ્રતિમાદિ રચનાઓમાં વસ્તુપાલના સમકાલિક લેખકો કોટાકોટિ ચૈત્ય, સીમંધરાદિ વીસ વિહરમાન જિન, ચરણપાદુકા, તેમજ ૨૩ લેપમયી પ્રતિમાઓનો ઉલ્લેખ કરતા નથી. આથી સંભવ છે કે આ બધી વાસ્તુ-શિલ્પ-પ્રતિમાદિ કૃતિઓ વસ્તુપાળના સમય પશ્ચાત અને આ સ્તોત્રની રચના વચ્ચેના ગાળામાં બની હોય. (કોટાકોટિચૈત્ય તો માલવમંત્રીરાજ પેથડે બનાવ્યાનું અને એથી ઈ. સ. ૧૨૬૪ના અરસામાં કરાવ્યાનું સુનિશ્ચિત છે જ.) આ પછી નવમા શ્લોકમાં આદીશ્વરના (મૂળ ગભારામાં) ડાબી બાજુએ રહેલ ગણધર પુરીકની યથોચિત સ્તુતિ આદીશ્વર ભગવાન સમેત કરી છે. અંતિમ પદ્યમાં કર્તાએ આગળ કહ્યું તેમ પોતાની ટૂંકમાં ઓળખાણ આપી છે, અને રચના-સંવત નિર્દેશ્યો છે. આ મધુર અને સુલલિત સંસ્કૃત રચના શત્રુંજય સંબંધમાં સંપ્રતિલભ્ય રચનાઓમાં મહત્ત્વપૂર્ણ સ્થાન લેશે. ટિપ્પણો (૧) આ હકીકત કયાંથી નોંધેલી તે સ્રોતને લગતી નોંધ આ પળે હાથવગી ન હોઈ તેનો નિર્દેશ અહીં દઈ શકાયો નથી. (૨) વિગત માટે જુઓ દ્વિતીય સંપાદકનો લેખ: “A Propos of the Image of Jina Rsabha with Nami and Vinami on Satrunjaya Giri", Aspects of Indian Art and Culture (S. K. Saraswati Commemoration Volume), Eds. Jayant Chakrabarty and D. C. Bhattacharya, Calcutta 1983, pp.56-63, figs 7-9. श्रीशजयचैत्यपरिपाटीस्तोत्रम् (શાર્દૂતવિક્રીડિત|) मोहध्वान्त वितानतानवनवप्रोद्धासभानुप्रभं चिन्तातीतफलप्रदानविधये चिन्तामणि: प्राणिनाम् । वक्त्रालोकन एवदत्त परमानंदं मुदा मेदुरः श्रीश@जयपर्वते जिनपतिं नाभेयदेवं स्तुवे ॥१॥ पूर्वं श्रीभरतेश्वरेण भरतक्षेत्रैक चूडामणौ शैलेऽस्मिन् स्वकुलावचूल चरित: स्वामी स्वयं कारितः । यस्योद्धारमकारयत् स सगरस्ते पाण्डवाद्या नृपाः तं वन्दे विमलाचलेन्द्रतिलकं देवाधिदेवं प्रभुम् ।।२।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522701
Book TitleNirgrantha-1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1995
Total Pages342
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy