________________
જૈન યુવક સઘની જરૂર!
૪૦૧ જૈન યુવક સંઘેાની જરૂર! લેખકઃ શાન્તમૂર્તિ શ્રી સદગુણાનુરાગી કરવીજયજી મહારાજ
(ગતાંક પૃષ્ઠ ૩૬૪ થી અનુસંધાન. ) મ્હારે કહેવું જોઈએ કે વાતાવરણના પ્રભાવે જેમાં યુવક સંઘ એવું નામ ધરાવતી કેટલીક સંસ્થાઓ હશે, અને છે, પણ એ યુવકસંઘે કે યંગમેન સોસાયટીઓ કેઈ ચોક્કસ પક્ષ, ટેળી, ફિરકા કે તકરારના હથીયારરૂપ વપરાય છે, યુવાનીને ઉત્સાહિક પંથ ભુલી ફિરકાઓ અને ઝગડાઓને ઉત્તેજન આપે છે, ત્યારે એ યુવાની તરફ સાચેજ દયા આવે છે. ધોળે દિવસે ગોધરામાં બન્યું તેમ સંખ્યાબંધ માણસ ઉપર લાઠી રાજ્ય ચલાવી શકાય, જૈનેની વહારે આવનાર સેવાભાવી વકિલનું મરણ થતું જેવા છતા જેને જીવ લઈને નાશી જાય અને તાજેતરમાં પેલી સુશીલ દિગંબર બહેનપર બળાત્કાર જેવા ગોઝારા અને હિચકારા બનાવને જૈન પ્રજા નામર્દાઈથી નીરખી રહે, આથી વધારે શરમ શી હોઈ શકે? એટલે જ્યાં જ્યાં જૈનપ્રજામાં યુવાનસંઘે હોય ત્યાં ત્યાં તેણે આદરેલી પાક્ષિક પ્રવૃત્તિઓને છેડી દઈ સમગ્ર જૈનપ્રજાના દુ:ખ તરફ દોડી જવું એ આદર્શ નક્કી કરી, અખાડી અને બીજી અંગ કસરતોથી ધર્મ અને આત્મરક્ષણને આદર્શ ધ્યાનમાં રાખી શરીરબળ ખીલવે અને બહાદુર પહેલવાન બને.
શ્રીનિવાસ આયંગર, પંડિત જવાહરલાલ નહેરૂ, અને બંગાળના વીરલા બાબુ સુભાષચંદ્ર બોઝ જેવા યુવાનોના નાયકની ભાવના, મહેરબ્ધ, અને શક્તિનું અનુકરણ કરે, બાદશાહી સુકુમારતાનાં પિષાયેલા પંડિત જવાહરલાલે લખનૌના લાઠીરાજ્યમાં જે બહાદુરી અને નિર્ભયતાને ઉન્નત આદર્શ સમાજ સામે રજુ કર્યો એ વીર અને ઉન્નત આદર્શ તરફ જૈનયુવાને પગલાં માંડે એ અતિ ઈચ્છવા યોગ્ય છે, ભારતવર્ષના વિકાસમાન સુશિક્ષિત અને પ્રગતિશીલ જૈનયુવાને ભેળા મળી કેઈ એક અનુકુળ સ્થળે જૈન યુવક સંઘ સંમેલન મેળવે, એ અતિ જરૂરી અને સમયસર છે, તેમ થવાથી ક્યા પ્રાંતમાં યુવાનને અનુકુળ થાય એવું કયું કાર્ય છે, શી પરિસ્થિતિ છે, કઈ જાતની મુશ્કેલી છે, અને શી અનુકુળતાઓ છે, એને વિચાર વિનિમય થઈ શકે અને તેમ થવાથી દેશના અપ્રગટ ભાગમાં પડેલા સેવાભાવી જેનયુવાનેને સંગઠિત થવાની તક સાંપડે, સંગઠન વિના આજના યુગ બળ સાથે પ્રયાણ કરવું અશક્ય નહિ તે દુશય તે છે જ, અને આ મુશ્કેલી યુવાનોનું સંમેલન અને સંગઠન પલમાં મીટાવી શકે તેવી છે, જેનયુવાને પિતાને સહચાર અને સહકાર કેળવે, એક બીજાને અપનાવે તે કહેવાની જરૂર ભાગ્યે જ છે કે એમાંથી જે સુંદર પરિ