________________
૧૭૬
'
, જેનધર્મ વિકાસ.
'
ઓચ્છવ પૂર્ણ થયે આચાર્યદેવ શિષ્ય સાથે ઉદયપુર ચાતુર્માસ માટે પધાર્યા. ચાતુર્માસ દરમિયાનમાં તિર્થોદ્ધાર, જીર્ણોદ્ધાર, આશાતના ટાળવા અને તપને ઉપદેશ આપતાં, તેના સિંચનથી અને મેવાડ જીર્ણોદ્ધાર કમિટીના પ્રયાસથી આજુબાજુના અનેક જિનાલયની સેવા પૂજા આદિને અને આશાતના ટાળવાને પ્રબંધ કરાવ્યો હતો. તેમજ ચિતોડગઢના જિનાલયોનો જીર્ણોદ્ધાર કરાવવાનું નક્કી કરી તેના માટે ટીપ પણ શરૂ કરી હતી, જેમાં ઉદયપુરમાંથી પંદરેક હજાર રૂપીઆ એકત્ર થવા પામ્યા હતા. વળી સંઘ તરફથી ઉપધાન તપ કરાવવાની ભાવના થતાં, તેની માળાની ઉછામણીની અને નકરાની ઉપજ ચિતોડના જીર્ણોદ્ધારમાં આપવાનું નકી કરી ઉપધાન તપ આરાધકને પ્રવેશ કરાવ્યો હતો.
રૂપા સુરચંદની પિળની પ્રતિષ્ઠાના વડાનું દ્રષ્ય.
સં. ૧૫. ચાતુર્માસ પૂર્ણ થયે ઉપધાનતપ માળા પરિધાન મહોત્સવની સમાપ્તિ થયે, આહડને ધ્વજદંડ મહત્સવ જીર્ણોદ્ધાર કમિટી મારફત આડં. બરથી ઉજવાવી, ત્યાંથી વિહાર કરી મરૂભૂમિમાં પ્રવેશ કરતાં કાંબદ્રિના ભુરમલજીને ભાગવતી દીક્ષા આપી તેમનું નામ મુનિ ભદ્રાનંદવિજયજી પાડ્યું. ત્યાંથી વિહાર