________________
રખે હંબગ માનતા
શ્રી મલ્લીનાથ, ભેયણી, પાનસર, કેશરીયાજી, મહુડી વગેરે ચમત્કારીક તીર્થોમાં જે યાત્રાળુઓ જાય છે તે બધા, બાધા-આખડી માટે કે પુત્ર, સ્ત્રી તેમજ લક્ષ્મીની લાલચના માર્યા જાય છે અને ફેરા ખાય છે ઇત્યાદિ કહેનારા તથા લેખકો: આર્યસમાજ જેવા તથા નાસ્તિક દોષદષ્ટિવાળા છે. તેઓ પોતાની દૃષ્ટિ જેવા બીજાને કાપી લેનાર જાણવા.
જેને જે કુલથકી જેને છે તેઓ બીજા દર્શનીના તીર્થો કરતાં જૈન તીર્થોની યાત્રાએ જાય છે તેઓને નિર્મળ સમકિત થવાના ઘણાં કારણે માને છે અને તેઓ જિનેશ્વરની ભક્તિ કરીને તેમજ સાધુ વગેરેની ભક્તિ કરીને ત્યાં નિર્જરા તથા અનંત ધણું પુષ્પો ઉપાર્જન કરે છે. તેથી તેઓ ઉગ્ર પુણ્યના કર્મોદયે લક્ષ્મી, પુત્ર, સ્ત્રી વગેરે વાંછિત વસ્તુઓને પ્રાપ્ત કરી શકે છે અને તે વાંછિતતામાં તે તે તીર્થકરના અધિષ્ઠાયક શાસનદે સહાય પણ કરી શકે છે. એવાં ઘણાં દાખલાઓ સાંભળેલાં છે તેથી તેમાં કશું આશ્ચર્ય નથી તેમજ જુઠાણું પણ નથી.
–શ્રી મદ્ બુદ્ધિસાગરસૂરિજી