________________
૨]
બુદ્ધિપ્રભા [તા. ૧૦-૪-૧૯૯૫ આત્મા આત્માને જોઈ આનંદ અનુભવે તે આનંદનું નામ તે જ પ્રેમ !
બસ, મારે એ પ્રેમ વિના બીજું કંઈ ન જોઈએ.
એણે મને કહ્યું – તારા પ્રેમ દીપમાં વાણુનું ઘી રેડ, વિચારની વાટ કર અને વર્તનની દીવાસળી ચાંપ– પછી જે કે એ પ્રેમી કે ઝગમગી ઉઠી છે !
અને યાદ રાખજે કે જે દિવસે એ ત્રણમાંથી એક પણ ખૂટયું કે તારો એ પ્રેમ દીપ બૂઝે જ સમજજે. -
પ્રેમના શબ્દ કેષમાં આ મહાન શબ્દ છે. સેવા, ભકિત અને મિત્રી.
ત્રણમાંથી તમે ગમે તેની આરાધના કરે; એ આરાધના પ્રેમની જ બની રહેશે.
પ્રેમ એ તે લગ્નને વિશ્વાસ છે. દાંપત્યની હૃદય ધડકન છે.
એના વિના બે શરીરે ભલેને કરડે વરસ સુધી સહજીવન જીવે; પણ ત્યાં સુખી લગ્ન જીવન નથી જ નથી.
એ માનવીઓને શું કહેવું? એ વૈકારિક આનંદને પણ પ્રેમ માને છે. પણ ના, ભાઈ! ના આ પ્રેમ વિકારને તે જાણતા જ નથી. એ તે નિર્વિકાર છે. શુદ્ધ આનંદમય છે,
-શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી
ગુણવંત શાહ ભાવાનુવાદક