________________
સંપાદકીય
બુદ્ધિપ્રભાના ગત મહાવીર જન્મ કલ્યાણકનાં (તા. ૨૪-૪-૧૯૬૪, અંક ૫૪) પાન ન. ૧૦૨ પર અમે; જુન–૧૯૬૪ની ૧૮ મી તારીખે બુદ્ધિપ્રભાના એક સાથે પપ-પ૬ અંક ભેગા પ્રગટ થશે એવી જાહેરાત કરી હતી પરંતુ,–
રવ. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીની પુય તિથિ નિમિત્તે જે અંક બહાર પડે તેમાં બીજુ ઈતર સાહિત્ય ન આપતાં, માત્ર તેમના જ (સ્વ. શ્રીમદ્જીના) જીવન અને કાર્યને લગતું સાહિત્ય પ્રકાશીત કરવું.
એવી પાછળથી વિચારણા થતાં આ અંક અમે ૫૫ મા અંક તરીકે પ્રગટ કરીએ છીએ. અને મે માસને જે અંક બંધ રાખવામાં આવ્યો છે. તે અંક પયુંષણ પ્રસંગે ભેગે પ્રગટ કરીશું. વાંચકે, આ સકારણ ને ઉમદા હેતુના ફેરફારને જાણીને મને માફ કરશે એવી આશા રાખું છું.
આ ફેરફારને લીધે નિબંધ હરીફાઈનું પરીણામ જુલાઈ, ૧૯૯૪ ના અંકમાં પ્રગટ કરવામાં આવશે તેની હરીફોને નોંધ લેવા વિનંતી છે.