SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ BUDDHI PRABHA-CAMBAY Regd. No. B. 9045 એકલવીર.... અનેક મધુભરી પાંખડીઓવાળું એ સુવર્ણ કમળ ! એ કમળના ‘જલ કમલવત’ જીવનમાં કદી ભેગીની આહલેક સંભળાય છે, કદી પ્રેમગીની પુકાર સંભળાય છે, કોઇવાર ગેપીચ દનાં ગીત ને કેઈવાર મહાકવિ રામચંદ્રનાં આઝાદી ગાન સંભળાય છે ! કૈઇવાર અધ્યાત્માગી મહાવીરની અહિંસા અને ક્રાંતિની ગૃજ સંભળાય છે ! કેળવારે કાળગુફામાં કોઇ જોગ જગદરનાં દર્શન થાય છે ! તે કઇવાર મસ્તફકીરીના આહલેક સંભળાય છે ! કોઇવાર એકસે આઠ અમર શિષ્ય સજવા એ કમર કસીને કલમ કસતા જોવાય છે. તે કેઈવાર ત્યાં કર્મવાદ ને રાષ્ટ્રવાદના નાદ સંભળાય છે ! એ મિત્વ, એ સાધુત્વ, એ કવિત્વ, એ વકતૃત્વ, એ આત્મપ્રેમ, એ મસ્તી, એ દિલદિલાવરી અને ખી હતી. કવિ, તત્વજ્ઞ, વકતા, લેખક, વિદ્વાન, ચગી, અવધૂત, એકલવીર, એમ અનેક સરિતાના સંગમ એ બુદ્ધિ-અધિમાં (બુદ્ધિસાગર )માં થતા જોવાય છે. ખરેખર, આપાગ શ્રદ્ધાતત્વ બહ મેળું હોવા છતાં આપોઆપ કહી દેવાયું છે કે, એ એકમાં અનેક હતા અનેકમાં એ એક હતા. ..વિભાજિત માનવતાને એક સાંકળે બાંધનારી જૈન ફિલસુફની એ છબી હતી. પ્રચંડ, પ્રતાપી, નિમ્કત, નિર્ભુજ, કુળ, જાતિ, જાતપાત વિહોણી, ગગનવિહારી જૈન સાધુતાના શેષસમી એ છબી હતી. - એમાં જીવનનાં ઝણકાર હતા. બ્રહ્મચર્યનો ચમકાર હતા. આત્મપ્રેમને પ્રકાશ હતે. વૈરાગ્યનો વિકાસ હતો. સાહિત્યની સર્જના હતી. યોગને અધિકાર હતા, સત્યશોધનની ઝંખના હતી.......... --જયભિખું આ માસિક માણેકલાલ હરજીવનદાસ શાહે “ગુજરાત ટાઈમ્સ” પ્રિન્ટીંગ પ્રેસ નડીઆદમાં છાપ્યું અને તેના પ્રકાશક બુધિપ્રભા સંરક્ષક મંડળ વતી હિંમતલાલ છોટાલાલે ત્રણ દરવાજા ખંભાતમાંથી પ્રગટ કર્યું.
SR No.522120
Book TitleBuddhiprabha 1961 06 SrNo 20
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
PublisherBuddhiprabha Samrakshak Mandal - Khambhat
Publication Year1961
Total Pages48
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy