SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ હર્ટ સ્પેન્સરની અય-મીમાંસા. ૩૬૭ રહિત અશુઓમાંથી થાય છે તે એ કલ્પનાની બહારની વાત રહીએટલું પણ નથી હમજી શકાતું કે શાથી વિસ્તારવાળા અને વિસ્તાર વિનાનાં શક્તિના આણુ કોઈ પણ પ્રકારની પ્રાકૃતિક સહાયતા સિવાય પિતે જાતે આકર્ષણ અને પ્રત્યાકશું કરી શકે છે. એ વિષે ન્યુટન અને કહિતના વિચાર દાવ રહિત નથી. કારણ કે માત્ર આકાશદારા એક ચીજની અસર બીજી ચીજ પર થાય છે એમ એઓ બતાવે છે. એ વિદ્વાનોનું એવું મત છે કે એક પ્રકારની દવ વરતુ પરમાણુઓ અથવા શક્તિનાં અણુઓમાં થાય છે. આ વસ્તુ દ્વારા એક પરમાર બીજા પરમાણુપર અસર કરે છે. ત્યારે આ દ્રવ્ય વસ્તુ શું છે ? જે કઠિનતા પરમાણુઓનું રૂપ બતાવવામાં ઉપસ્થિત થાય છે તેજ કઠિનતા એને ઉત્તર આપવામાં ઉપસ્થિત થઇ છે. જેને જોતિષ શાસ્ત્રને આધારે વિચાર કરીએ તે આ સંકટ વધારે વિકટ બનતું જાય છે. સૂર્યથી આપણને પ્રકાશ અને ઉષ્ણુતા મળે છે. સૂર્યથી પૃથ્વી સુધી પહોંચવા પ્રકાશને ૮ મીનીટ લાગે છે. એમાં બે વાત કારણભૂત છે. (૧) શક્તિ અને (૨) ગતિ. સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ૦૨૦૦૦૦૦૦ માઇલનું અંતર છે. આ અતર શૂન્યમય છે. આ શવમાં શક્તિ પ્રોગ થાય એ હમજણું બહાર છે. ચાલતી વસ્તુને ગતિ હોય છે. અને ગતિ હોતી નથી. પરંતુ અહીં તે ચાલતી વસ્તુ કોઈ નથી. આક– શક્તિ વિશે ન્યુટને લખ્યું છે કે જ્યાં સુધી બે વસ્તુઓ વચ્ચે પ્રવૃત્તિ આપવામાં આવતી નથી ત્યાં સુધી એક ચીજ બીજી ચીજનું આકર્ષણ કરી શકતી નથી. એમ ધારે કે આ ચીજ હવા ( her ) છે કે જે બહુજ જુહાના ન્હાના પરમાણુઓની બનેલી છે. આમ માનવા પછી પણ પરમાણુ વચ્ચે શુન્યના અભાવ થતો નથી. શૂન્ય અથવા અન્તર ગમેતે. , અથવા તે વધારે હો પણ છે. તે ખરું જ. આથી લાચાર થઈને માનવું પડે છે છે કે પ્રકૃતિના પરમાણુ ભલે ભારે છે કે ભલે હલકા હે. ભલે ન્હાના હો કે ભલે મહેટા ––હે તે હેપણ અકારા હારાજ એઓ એક બીજા પર અસર કરે છે. પરંતુ એ વાત એવી છે કે જે ધ્યાનમાં નથી આવી શક્તી. (૧) પકત વિચારથી એટલું સિદ્ધ થાય કે પ્રકૃતિના પરમાણુ આકાશ દ્વારા જ પિત પિતાનામાં એક બીજા પર અસર કરે છે. (૨) આથી એટલું પણ સિદ્ધ થયું કે પ્રકૃતિના પરમાણુ એક બીજાપર અને સર્વ પરમાણુઓ પર પણ એકજ આકર્ષણ–પ્રભાવ નાખે છે, પછી ભલે વચ્ચેની જગ્યા ભરેલી હો કે ખાલી હા. દાખલા તરીકે–એક વસ્તુ હમે અદ્ધર ઉંચો. પૃથ્વી અને વસ્તુ વચ્ચેની જગ્યા ખાલી છે. એ બે વચ્ચેની જગ્યા ખાલી છે કે પછી કોઈ અન્ય ચીજોથી ભરેલી હે પણ વસ્તુની આકર્ષણ-શક્તિમાં કંઈ પણ અંતર પડશે નહીં. પૃથ્વીનું પ્રત્યેક પરમાણુ આ વસ્તુપર એક સરખી અસર કરે છે. વરચ કઈ છે કે ન છે. સમસ્ત પૃથ્વીની પેલી પારવામાં સર્વ પરમાણએ પણ આ વસ્તુ પર એક સરખે આકર્ષણઅભાવ નાખે છે. વસ્તુ અને પરમાણુઓ વચ્ચે કોઈ ચીજ હોય કે ન હોય પણ આકર્ષણ-શક્તિ પર એની કંઈજ અસર થતી નથી. સારાંશ એ કે નથી આપણુથી શક્તિના રૂપનું જ્ઞાન પ્રાપ્ત કરી શકાતું કે નથી એ વાતને કે એ શક્તિના બળને કઈ રીતે થયોગ થઈ શકો. આથી શક્તિ પણ અય છે. şiirt 2444 Hot ( Conciousness or Mind ). પ્રાકૃતિક વસ્તુઓની વિચારણા બાજૂએ હરે આપણે મન વિષે વિચાર કરીએ.
SR No.522099
Book TitleBuddhiprabha 1917 01 02 03 SrNo 10 11 12
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy