________________
જન-સમાચાર,
૧૨૫
ગીત ગાનાર વિદ્યાર્થી વર્ગને પણ ઈનામ આપવામાં આવ્યાં હતાં. એકંદર આટલાં બધાં ઇનામો તથા આ ભવ્ય મેળાવડે પાદરામાં પ્રથમજ હતે.
છેવટે મે. પ્રમુખ સાહેબે નીચે પ્રમાણે ભાષણ કરી બેડા પછી રા નંદલાલભાઈ વકીલે જણાવ્યું કે, મે. પ્રમુખ સાહેબે રૂ. ૫) જૈનશાળાને બક્ષિસ આપ્યા છે. તે પછી રા. છગનલાલ ત્રિભોવનદાસ કારભારીએ પ્રમુખ સા. ને આભાર માનતા શ્રી જૈન શાસનના શેષ સાથે સભા વિસર્જન થઈ હતી.
પાદરા જેનશાળામાં મેળાવડા વખતે પ્રમુખ મહેરબાન
ડૉ. બાલાભાઈ મગનલાલે આપેલા ભાષણને સાર.
આજના આ મેળાવડાથી મને ઘણે સતેજ થયે છે. આ પ્રસંગે ધાર્મિક શિક્ષણ સંબંધી કાંઈ જરૂરી સુચના કરવી એ હું ઉચિત ધારું છું.
આપણા પૂજ્ય મુનીરાજને જે ધાર્મિક શિક્ષણ મળે છે તે શિક્ષણ જે રીતે આપવામાં આવે છે તે રીતીને ફેરફાર કરી પદ્ધતિસર આપવાની ગોઠવણું થવા મેં મારા વિચારે મુંબઈની કેન્ફરન્સ વખતે પ્રદશિત કરેલા છે. તે પ્રમાણે સાધશાળાની ચેજના થઈ તેમાં નિયમિત રીતે અને જમાના અનુસાર ધામક સિદ્ધાંતને ફેલાવે શી રીતે કરી શકાય તેવા પ્રકારનું શિક્ષણ મળે એવા ધોરણે તે શાળામાં શિક્ષણ મળે એવા ધોરણે તે શાળામાં શિક્ષણ આપવાની ચેજના થવાની જરૂર છે.
એ દિશામાં હલચાલ કરવાની શરૂઆત થયેલી જેન પિપરમાં આવેલી જાહેર ખબરે ઉપરથી જણાય છે. અમદાવાદના વકીલ કેશવલાલ પ્રેમચંદ તે માટે પ્રયત્ન કરે છે. સાધુશાળાને માટે પાટણ કરતાં જ્યાં કેળવણીના સાધને અને સાહિત્ય વધારે હોય તેવા સ્થળે એવી સંસ્થા નીકળવી જોઈએ.
- જૈનશાળાઓમાં ઘણે ભાગે ધામિક સુત્રો મેઢે કરવાની પદ્ધતિથી શિક્ષણ અપાય છે પણ વિદ્યાર્થીઓને માગધી ભાષાના વ્યાકરણનું શિક્ષણ આપવાની પ્રથા પ્રકરણોના અર્થ પિતે જાતે કરી શકે એવી તેમનામાં શકિત ઉત્પન્ન થાય એવી રીતનું શિક્ષણ આપવાની જરૂર છે તેમજ સુત્રોના અર્થનું શિક્ષણ પણ આપવાની ગઠવણ થવી જોઈએ. અર્થના શિક્ષણ સીવાય ભણેલા અને ન ભણેલા બે એકજ સ્થિતિમાં આવી શકે.
કન્યાઓને ધાર્મિક શિક્ષણની સાથે hygine એટલે ઘર સ્વરછતા વિષે શિક્ષણ આપવાની પણ જરૂર છે. જે શિક્ષણ આપણા ધર્મને જીવદયાના ધોરથને બંધબેસ્તુ થઈ પડે તેમ છે.