SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ બુદ્ધિપ્રભા હાય તે એક દ્રષ્ય કારણુ અને ખીજું દ્રવ્ય કાર્ય બને છે. એવા પ્રસંગે કાર્ય અને કારણ અભેદ હોવાથી તે અન્તે દ્રવ્ય ભિન્નપણે સ્વીકારી શકાય નહિ. માટીમાંથી ઘટ ઉત્પન્ન કરવામાં આવે તાપણુ ઘટ માટીથી ભિન્ન છે એમ કહી રાકાય નહિ. બેશક માછી પ્રથમ જે અવસ્થામાં હતી તે અવસ્થાને તેણે ત્યાગ કર્યાં છે અને જુદી અવસ્થા ધારણ કરી છે, પરંતુ આજે ફેરફાર થયા છે તે અવસ્થામાં કરકાર થયો છે, મુગ્ધ ક્યમાં નહિ. જો તે ઘટ ઉપર લાકડીને પ્રહર કરી ભાગી નાખવામાં આવે તે વળી જુદી અવસ્થા વિશેષ પ્રાપ્ત થાય. જો કે એક અવસ્થાની ઉત્પત્તિ અને તે અવસ્થાને નાકા થતાં વિન અવસ્થાની ઉત્પત્તિ થાય છે એટલે જો કે અવસ્થાઓમાં ફેરફાર થયા કરે છે તેપણ માટી રૂપે તે દ્રશ્ય દરેક અવસ્થામાં કાયમ રહે છે. વર્તમાન અવસ્થા ભૂત અવસ્થાનું કામ છે, અને ભવિષ્યમાં ઉત્પન થનારી અવસ્થા વર્તમાન અવસ્થામાંથી નિરમાય છે. આ ઉપરથી સમન્યું હશે કે કાર્ય એ કારણુની અવસ્થા વિશેષ છે. પરંતુ આત્મ દ્રવ્ય અને પુદ્ગલ દ્રવ્યમાં કાર્ય કારણ ભાવ નથી એટલે કે આત્મદ્રવ્ય એ પુદ્ગલદ્રવ્યની અન્નસ્થા વિશેષ નથી અને પુદ્ગલદ્રવ્ય એ આત્મદ્રવ્યની અવસ્થા વિશેષ નથી, ઉભય એક મીજાથી તદ્દન ન્યારાં છે. આ પ્રમાણે વાસ્તવિક રીતે વસ્તુ સ્થિતિ છતાં, અનાદિકાલથી વાગેલા મેહનીય કર્મના ઉદયથી, પોતાનું સ્વભાવસિદ્ધ સ્વસ્વo બુલી, પુગલરૂપી પદ્રવ્પમાં અજ્ઞાનતાને લીધે સ્વત્વને આપ કરી, પુદ્ગલ દ્રવ્યમાં ખરેખર સુખ નહિ છતાં, તેમાં આત્મિક સુખ હોવાની બ્રાન્તિથી પોતાની સુખની અભિલાવા રૂમ કરવા માટે પુદ્ગલદ્રવ્યની ઘટના વિશેષ પ્રાપ્ત કરવા દરેક સામાન્ય સારી ∞ અથાગ શ્રમ વેઠી સતત પ્રયત્ન કરી રહ્યા છે. ને પુદ્ગલની ઘટના વિષેનાં વાસ્તવિક સુખ હોત તો ઇચ્છિત પાક્ષિક વસ્તુની પ્રાપ્તિથી આત્માને સુખજ મળવું જોઇએ, અને તે વસ્તુના સંયોગ ચાલુ રહે ત્યાં સુધી તે તે સુખ, કઈ પણ કમી ન્તસ્તી વિના કાયમ રહેવું જોઇએ, અને તેમાં વિરામ (સાપ) ભળવા જોઇએ. પરંતુ આ કલ્પનાથી અનુભવ જુદો પડે છે. એક વસ્તુની અપ્રાપ્તિ કાળે તે વસ્તુની પ્રાપ્તિ થતાં જે સુખ મળવાની કપના કરી હોય છે તે ગુખ, તે વસ્તુ ધાર્મિકાળે આપી કી નથી. વસ્તુના સહવાસથી તે ઉપરના મેહ ઘટે છે અને સુખની બ્રાન્તિ નાશ પામે છે. પરિણામ એ થાય છે કે પ્રાપ્ત વસ્તુમાં વિરામ ન મળતાં નવિન વસ્તુતી પ્રાપ્તિ તરફ વૃત્તિ દાડ છે. આ ઉપરથી એવું અનુનાન થાય છે કે પાલિક વસ્તુમાં સુખનો આરોપ. માત્ર ઉપચાથી છે. જે પાલિક વસ્તુનાં સુખ આપવાનો સ્વાભાવિક ગુણ હોત તે તે દરેક વખતે દરેક કાળે અને દરેક આત્માને સુખની પ્રતીતિ કરાવ્યા સિવાય રહેતજ નહિં, પરંતુ પદ્મલિક વસ્તુથી ઉત્પન્ન થતા સુખ સંબંધમાં તેમ મનતું નથી. એક વસ્તુ એક કાળે મુખ્ આપે છે, તેજ વસ્તુ બીજા કાળે દુઃખ આપે છે. પુત્ર જન્મ પ્રસંગે ઉત્સવ માનનાર માસ તેજ પુત્ર કુસંગી, મૂર્ખ નિવડતાં અગર અપગ થતાં દુ:ખને અનુભવ કરે છે. શ્વેત સંચયમાં સુખ બુદ્ધિ ધારણ કરનાર માસ ચેર કે લુંટારાના હાથે પ્રાણ ફેંકટના ભયમાં આવી પડતાં ધનને પાપના ઉદય રૂપ ગણી ત્યાગ કરવા તપર થાય છૅ. સ્ત્રીનાં મનાયેલું સુખ પણુ સ્ત્રી વ્યબિચારી અગર રાગી નિવડતાં દુઃખમાં પલટી જાય છે, એક વસ્તુ એકને સુખ આપે છે તે બીજાને દુઃખ આપે છે. સાકરે મનુષ્યને નિષ્ટ સ્વાદ આપી સુખ અર્પે છે, તે તેજ સાફર ખરને વિષે ખરાબર જણાઇ દુ:ખ આપે છે. સ્ત્રી, પુત્ર, ધન સુખનાં સાધન ગણુાય છે પણ તેજ સાધના ગીતમબુદ્ધુ જેવા તત્વ વિચાર ત્યાગ કર્યો છે.
SR No.522083
Book TitleBuddhiprabha 1916 03 SrNo 12
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1022 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy