SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ३४९ બુદ્ધિપ્રભા. શિષ્યો સાથે મૈતમ સ્વામીને શ્રીમાળનગર તરફ વિહાર કરવાની આજ્ઞા આપી અને ગામ સ્વામીએ પોતાને વિહાર ચાલુ કર્યો. આ વખતે શ્રીમાળનગરમાં અશ્વમેધ યજ્ઞ માટેની તેયારીઓ તડામાર ચાલી રહી હતી. દરરોજ સંખ્યાબંધ બ્રાહ્મણે શ્રીમાળનગરમાં આવતા હતા. આખું શ્રીમાળ નગર હજાર બ્રાહ્મણથી ચીકાર ભરાઈ ગયું હતું ને અશ્વમેધ યજ્ઞના અશ્વને પણ સેંકડે દેશ ફેરવી પાછો લાવવામાં આવ્યે હતું, અને બીજા પણ સંખ્યાબંધ જાનવરોને યજ્ઞ માટે ભેગાં કરવામાં આવ્યાં હતાં અને યજ્ઞ માટેની સઘળી તૈયારીઓ પશુમંડપમાં ચાલુ થઈ ગઈ હતી. સેંકડે બ્રાહ્મણે વેદમંત્રોના ઉચ્ચાર કરી રહ્યા હતા. હજારની સંખ્યામાં બ્રાહ્મણે ને નગરજનેની મોટી ઠઠ જામી હતી, જેમાં ગાતમસ્વામી અને તેમના પાંચ શિષ્યના સગા વહાલાઓ પણ હાજર હતા. પ્રતિપાળ યજ્ઞશાળાની બહાર બધા જાનવરોને એકત્ર કરી ઉભો હતે. તે સમયે ગતમસ્વામી પાંચસે શિષ્યોને સાથે લઇ ત્યાં આવી પહોંચ્યા અને દયાધર્મના શીતળ ઉપદેશને જોશથી વહેવડાવવા માંડશે. યજ્ઞનું ખરૂ સ્વરૂપ સમજાવવામાં આવ્યું. સધર્મનું સ્વરૂપ વિસ્તારથી ચીતરવામાં આવ્યું. ગામ જેવા લબ્ધીવંત મુનિને ઉપદેશ શું ન કરી શકે? હિંસામય વાતાવરણ વીખરાવા માંડયું. દયાધર્મને શિતળ પવન ફુકાવા માંડ્યા. જય જય ધ્વની સાથે શ્રીમાળ રાજ સંખ્યાબંધ બ્રાહ્મણો અને સવાલાખ રજપૂતોએ હિંસામય ધર્મને ત્યાગ કરી દયાધર્મને આશ્રય લીધે. જનધર્મનું ખરું સ્વરૂપ સમજાવી તેઓને જૈન બનાવવામાં આવ્યા. તેઓએ શ્રીમાળનગરમાં જનધર્મને અંગીકાર કરેલો હોવાથી તેઓ શ્રીમાળી જૈન તરીકે ઓળખાવા લાગ્યા. તે વખતે શ્રીમાળીમાં એકસો ત્રેપન જુદી જુદી નાલ્યો ગણાતી હતી. ત્યારબાદ શ્રીમાળથી ગૌતમ સ્વામી વિહાર કરી અન્ય દેશમાં સંખ્યાબંધ બ્રાહ્મણ તથા રજપૂતને દયાધર્મને ઉપદેશ આપી જેની બનાવતા બનાવતા વિચારવા લાગ્યા. આ વાતને થોડો સમય વીત્યો હતો તેવામાં શીરોહીના રાજા પરમારના પુત્ર ભીમસેને શ્રીમાળનગરને ઘેરો ઘાલે, રાજ શ્રીમળ બળવાન હોવા સાથે લશ્કર સારૂ ધરાવતા હોવાથી લડવાને સમર્થ હિતે; છતાં દયાધર્મના તાજા સંસ્કારો એ કાંઈક જુદીજ દીશામાં કામ કર્યું. તેણે વિચાર કર્યો કે નાક લડાઇમાં ઉતરી હજરો જાની ખુવારી કરી પાપનો ભાગીદાર બની નરક ગતિને અધિકારી હું શા માટે બનું? પુત્ર નહિ હેવાથી આખરે આ રાજ્ય તે બીજાને આધિનજ થવાનું છે એમ વિચારી મંત્રીની સલાહ લઈ ચઢી આવનાર રાજ ભીમસેનને કહેવરાવ્યું કે આપ નાહક લડાઈમાં ઉતરી હજારો જાની ખુવારી શામાટે કરી છે. આ મારી પુત્રને વિવાહ આપની સાથે કરી આ રાજ્ય તે આપને જ સોંપવાનું છે. આ મુજબ પુત્રીને વીવાહ રાજા ભીનસેન સાથે કરી રાજ્યપાટ તેને સેપી રાજા શ્રીમળ શુદ્ધ શ્રાવકધર્મને પાળવા લાગે. જેને પાંચ વર્ષ વીત્યાં હશે તે દરમ્યાન લક્ષ્મીને ઉપલદેત્ર અને આસલ નામના બે પુત્રો થયા, અને તે પછી રાજા શ્રીમને પુત્રી અને જમાઈની રજા લઈ શ્રી ગૌતમ સ્વામી પાસે રાજગૃહીમાં દીક્ષા લીધી. જેઓ પાછળથી કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા છે. ત્યારબાદ લક્ષ્મીને એક ત્રીજો પુત્ર નામે અાસપાલ થયેલો છે. જે પછી રાજા ભીમસેન શ્રીમાળ નગરનું રાજ્ય પિતાના વચલા પુવ આલને આપી સ્વર્ગે ગયેલ છે ને રાજકુંવર ઉપલદેવને રાજા ભીમસેન સાથે કોઈક તકરાર થવાથી ઉધડ મંત્રીને સાથે લઈ વેસ (હાલનું રસીયા) નગર વસાવ્યું છે કે, જ્યાં અગાડી શ્રી રત્નપ્રભસુરી આચાર્ય, ત્રણ લાખ ચોરાસીહજાર રજપૂતાને જેને બનાવી એશ વંશની સ્થાપના કરી છે. જેને
SR No.522082
Book TitleBuddhiprabha 1916 02 SrNo 11
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages38
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy