SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ અમારી નેંધ. ૧૮૧ આપણા ધર્મશા જાણી શકાશે નહિ અને તે નહિ જાણીએ ત્યાં સુધી આપણે ઘર્મ પણ આપણે જાણી શકવાના નથી....... આપણું ખરી માતૃભાષા સંસ્કૃત છે તે સાધારણ ભાષા તરીકે થવી જોઈએ અને તેમ થશે ત્યારે જ સંસ્કૃતના વિસ્તીણું સાહિત્યને ઉપયોગ થશે, અને ત્યારે જ ધર્મ, અર્થ અને કામ એ ત્રણે સધાશે.....” સંસ્કૃત ભાષા અંગે દરેક ધર્માવલંબીઓને આવો જ વિચાર હોવા છતાં ધર્મગુરૂઓનું તમાર્ગે ઓછું અથવા નહિ જેવું લક્ષ થઈ જવાથી અગાઉ જે ભાષા લગભગ દરેક વ્યકિતએ બોલતી-જાણતી તેને પ્રાચે લેપ થશે અને તે ભાષામાં રહેલા ગ્રન્થનું રહસ્ય જાણવાથી બેનશીબ રહેવાયું અને તેથી હિંદના દરેક ધર્મો આગળ વધવાને બદલે પાછળ હઠયા છે, અને તે જ્યારે પાશ્ચાત વિધાનએ પિતાના અનુકરણીય કાર્ય વડે બતાવી આપ્યું ત્યારે તે ભાષા ખીલવવા માટે હિંદનું લક્ષ દોરાયું છે, અને તે માટે ઘર્મગુરૂઓએ પ્રયાસ કરવા માંડયો છે તે જોઈ તે ભાષાને ઉકર્ષ જલદીથી થશે. એમ આશા ઉત્પન્ન થાય છે. હિંદમાં એક સંસ્કૃત કેલેજ સ્થાપન થવાની હકીકત આપણે વાંચી ગયા છીએ. અને નાના મોટા ગામમાં તેને અંગે પાડશાળાઓ પણ ઉઘડતી જાણવામાં આવતી જાય છે. તે જોતાં ઉપલી આશા અસ્થાને ગાય નહિ તે છતાં એમ કહેવું જોઈએ કે તેવી મેટી પાઠશાળાઓમાં અભ્યાસક્રમ એકસરખે ગઠવવામાં આવે અને તેવા અભ્યાસીઓની છેવટની પરીક્ષા ખાસ સંસ્કૃત કેલેજમાં લઈ કઈ પદવી અર્પણ કરવાની વ્યવસ્થા થાય તે તે અભ્યાસીઓના આર્થીક હેતુ માટે પણ આકર્ષણ્ય થઈ પડે, અને મેટી સંખ્યા તે ભાષાની જાણકાર થાય છે. અને આ ભાષાના પ્રમાં રહેલું રહસ્ય બીજી અન્ય ભાષાએના ભાષાંતરેવડે યથાર્થ જાણી શકાતું નથી. એ અભિપ્રાય ધરાવતા હોવાથી અને આપણી જૈન કોમમાં પણ તે ભાષાના જાણકાર બહુ અલ્પ હોવાથી અન્ય ધર્માવલંબીઓનો ઉત્તમ પ્રયાસ જાહેર કરવા આ નોંધ લેવી જરૂરી ધારી છે અને તેથી આશા છે કે જૈનધર્મના વિસ્તારને વધારવા માટે જન સમાજને પણ સંસ્કૃત પાઠશાળાઓ ઉપર જણાવી તેવી વ્યવસ્થાપૂર્વક વધારે ચલાવવાને આ હકીકત ઉપયોગી થઈ પડશે. અમે હિંદુ ધર્મના બીજા દ્રવ્યવાન ધર્મગુરૂઓનું સુરતવાલા મહારાજશ્રીનું અનુકરણ કરવા ધ્યાન ખેંચીઠું કે સ્વામીનારાયણ સંપ્રદાયના કરડેની પુંછના વહિવટ અંગે-ઘરની તકરારને લઈનામદાર સરકારને તેની વ્યવસ્થા પિતાના હાથ નીચે લેવા ગોઠવણ કરવી પડી છે તે પ્રસંગે અન્ય કોઈ માટે આવી ન પડે તે માટે માર્ગ એકજ છે કે પિતાને વહીવટ ચે રાખો અને તેમાંના દ્રવ્યને સદુપયોગ સંસ્કૃત ભાષાના પ્રચાર માટે અને કિમતી ગ્રન્થોને પાકા કરવામાં કરે; અને તેજસ્વી અને પરના માટે હિતકર્તા થઈ પડશે. મજકુર સુરતની સંસ્કૃત પાઠશાળા માત્ર વણીક કેમ માટેજ નથી પણ શુદ્ર વગેરે તર કોમને માટે પણ ખુશી છે એમ જાહેર કરવામાં મહારાજશ્રીએ પોતાના હાયની વીશાળતા સાબીત કરી આપી છે. તે સાથે બહારગામથી આવનારા વિદ્યાર્થીઓ માટે ખાવાપીવા તથા સુવાની ગોઠવણું પિતા તરફથી કરવામાં આવશે એમ જાહેર કરી અન્ય ધર્મગુરૂઓને જાગૃત થવાને પ્રેર્યા છે તે માટે ધન્યવાદ ઘટે છે. સંત ગ્રન્થનાં ભાષાંતરો પ્રકટ કરવા કરતાં તે ભાષાને ખીલવવા માટે તે મહારાજશ્રીના વિચારે જૈન સમાજે પણું યાદ રાખવા યોગ્ય છે.
SR No.522077
Book TitleBuddhiprabha 1915 09 SrNo 06
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1915
Total Pages38
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy