SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિપ્રભા. હતા તે બંધારણના સવાલને આપણી કોંનફરન્સ ઓફીસે-બંધારણ કમીટી મારફતે સુવ્યવસ્થિત બંધારણ ઘડી કડાય તે માટે ૨૮ પ્રકોની એક પ્રશ્નાવલી જાહેર પત્રામાં પ્રગટ કરી છે તે મુજબ તે સંબંધી વિચારે આપી શકે તેવા ગૃહસ્થ ઉપર પણ તે એકલી છે, જે યોગ્ય જ કર્યું છે. વાચકે અને ખાસ કરી જેઓ વિચાર કરી સારી સુચનાઓ કરી શકે તેવાઓ તથા કમનું હીત જેને પસંદ છે તેઓએ અવકાશ લઈ તે પ્રશ્નાવલી સંબંધી ખુલાસા જરૂર લખી મેકવા, જેથી આવતી દસમી બેઠક જે ખાસ મુંબઈ ખાતે મળનાર છે તે અગાઉ એક સુંદર સંગીન બંધારણ તૈયાર થાય. નેશનલ કન્ટેસ બંધારણુવડે ટકી શકી છે એટલું જ નહિ પણ અનેક આફતને બંધારણવડે દુર કરી શકી છે. જ્યારે આપણે બંધારણ વિના-શરૂઆતમાં કરેલા પ્રયત્નવડે ચેડાંક શુભ પરિણામો મેળવ્યાં હતાં અને અલના ન થઈ હોત તે આજે જૈન કનફરન્સ-જૈન. સમાજ કોઈ જ કાર્યો કરી શકત, તેના બદલે ઉલટી પાછળ પડી છે તે પડી શકત નહિ. પત જ વામન એ વાક્ય અનુસાર બન્યું તે બન્યું પણ હવે તેમ ન થાય તે માટે જાગૃત રહેવાની જરૂર છે. ઐક્ય વિના, ખરી રીતે કોનફરન્સ જેવા મહામંડળની સુવ્યવસ્થિત હયાતી વિના અનેક ખાતાઓ ભલે હે કે ઉત્પન્ન થતાં હોય પણ તે ધારેલા સ્થાને પહેચશે એમ ધારી શકાતું નથી. કેંનફરન્સ વડે જ આપણી સમાજની ઉન્નતિ કરી શકાય તેમ હોવાથી તેવી સુવ્યવસ્થા માટે દ્રવ્યને અને જાતી ભેગને જે વ્યક્તિએ ભોગ આપી શકે તેમ છે તેને જરા પણ પાછી પાની કરવી જોઈતી નથી, - કામની વહેંચણી સારા પાયા ઉપર આવેલી સંસ્થાઓ સાથે કરી કોનફરન્સ માત્ર કેળવણી અને ઉગના સ્વાલ ઉપરજ વધારે ધ્યાન આપવા જરૂર છે. અન્ય કામ સોપેલી સંસ્થાઓ નિયમિત કરે અને રીપોર્ટ પુરે પડે તેમ થવું વધારે હીત કરતા જણાય છે. . સખાવતનું ધોરણુ બીજી કોનફરન્સ વખત જળવાયું હતું તેમ આજ સુધી ચાલુ હોત તે પારસી પંચાયતની માફક આપણે એક મોટું ફંડ ધરાવી શકત અને તે મારફતે અન્ય સંસ્થાઓને મદદ આપી વધારે સારૂ પરિણામ મેળવી શકત પણ તેમ થયું નથી એટલું જ નહિ પણ તેવા સંજોગો પણ દષ્ટિથી દૂર ગયા છે એમ જોઈ ખેદ થાય છે પણ શોચ કરવાથી શું છે તે માર્ગ કોઈ અન્ય પ્રકારે પણ હસ્તિમાં આણવો ઘટે છે. .. બંધારણને સ્વાલ એગ્ય રીતે ચર્ચાયા બાદ અને વ્યવસ્થાપૂર્વક ચાલ્યા બાદ આ નવમી બેઠકે જિનેની ઘટતી જતી સંખ્યાને માટે ઠરાવ કર્યો છે તે ઉપર જેટલું કાળજી પૂર્વક ધ્યાન અપાય તેટલે સમાજને લાભ થશે એમ હમારું માનવું છે. નહિ તે ઘટતી જતી સંખ્યા તરફ ખ્યાલ કરતાં બહુજ થોડા સકામાં આપણાં ભવ્ય મંદીરો કેણ સંભાળશે તેની ચિંતામાં જન કેમને પડવું પડશે. માટે પૂજ્ય આચાર્યો અને આગેવાન જેને એકત્ર વિચારે અને પ્રયાસે તે ચિંતાથી દૂર થવાય તેમ કરવાની જરૂર છે. પંડીત અનલાલ–આ એક દિગમ્બર ગૃહસ્થ છે. જેઓ હાલ આફતમાં સમડાયા છે. તેઓને આપણે પરમાર્થપણે સંતોષ કૃતિએ શિક્ષણ સમિતીનું કામ કરતા જરા છે પણ પૂર્ણ કર્મયોગ્યે તેઓ ઉપર આફત આવી પડી છે એમ આપણે અન્ય પોથી અને મી, શેઠીની પત્નીએ જેપુર સ્ટેટ અને સંધને કરેલી વિનંતીથી જાણ્યું છે. આ માટે
SR No.522072
Book TitleBuddhiprabha 1915 04 SrNo 01
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1915
Total Pages37
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy