SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ નવ પદનું આરાધન. ૩૨૮ તેની આટલી બધી પ્રશંસા કરેલી છે, અને અનાદિ કાળથી એ ચોગ ચાલતો આવે છે, અને તેનું આરાધન લે કરે છે, તે એક ગાડરીએ પ્રવાહ છે કે તેની અંદર કંઈ ગૂઢ સ્થ સમાઈ રહેલું છે, તેને પુરે તપાસ શોધકે અભ્યાસ કર્યા સિવાય અશ્રદ્ધા ઉત્પન્ન કરવી એ આત્મહિતીઓનું કર્તવ્ય નથી. છે. કેટલાક દર્શના–ધર્મમાં જે અમુક જ્ઞાત કે માણસે જ પરમાત્મપદ પ્રાપ્ત કરી શકે, બીજાઓ તે પ્રાપ્ત કરવાના અધીકારી ગણેલા નથી, તેમ જૈન દર્શનમાં નથી. જૈન દર્શનમાં પરમામપદમા કામ કરવાના અધિકારી સં ક છે, એમ માનેલું છે. ગમે તે જ્ઞાતીને કે ગમે તે દર્શનને માણસ હોય તેનામાં પ્રથમ મોક્ષ પ્રાપ્ત કરવાની જીજ્ઞાસા ઉત્પન્ન થાય અને પછી જન શાસ્ત્રકારોએ સિદ્ધાંત-શાસ્ત્રમાં વર્ણન કરેલાં છે, એવા શુદ્ધ અધ્યવસાય વિચારે કે ભાવના થાય અને શુદ્ધ રન મેળવવવાને માટે પ્રયત્ન કરે, અને પિતાનું વર્તન, ચારિત્રને શુદ્ધ નિર્મળ ગુખે, અને સમ્યક ક્રિયા કરે તો પરિણામે તે ઉંચ સ્થિતિ–અંતીમ મોક્ષ પ્રાપ્ત કરી શકે એમ માનેલું છે. ૧૦. આન્નતિને ઇક ગમે તે હોય તે પણ તેણે તેમાં આગળ વધવાની શરૂવાત કરતા પહેલાં દેવ, ગુરૂ અને ધર્મ, આ શું તો બરોબર ઓળખવાં જોઈએ. એ ત્રણ તવ શુદ્ધ ઠેય તેમાં કોઈ પણ જાતનું દુષણ ન હોય, તે જ તેમને કહેલો રસ્તો શુદ્ધ હાઇ શકે, નહિ તે હોઈ શકે નહિ, એમ આપણને સામાન્ય દ્રષ્ટિથી વિચાર કરતાં જણાઈ આવે છે. જેને શાસ્ત્રકારોએ એનેજ ધાણે માત્ર આપેલું છે. અને આત્મોન્નતિના સાધક ઉપર પહેલી ફરજ એજ રાખેલી છે કે જે તે પિતાના આત્માની ઉન્નતિ ઈચ્છતે હેય, તે જેઓ એ આત્મોન્નતિનો રસ્તો બતાવેલો છે, તેઓ કેવા હતા. તેઓનું ચારિત્ર કેવું હતું, તેને પ્રથમ અભ્યાસ કરવો જોઇએ, નિદાન જાણવું જોઈએ. જેઓનું જ્ઞાન અને ચારિત્ર શુદ્ધ નથી, અને જેઓ હાથીના ચાવવાના અને દેખાડવાના દાંત જુદા, એવા પ્રકારની વર્તણુકવાળા હોય તેઓ જે રસ્તે ઉન્નતિ બતાવે તે સર્વદા નિર્ભય છે, એમ માનતા પહેલાં બહુ વિચાર કરવા જેવું છે. ૧૧. આપણે નવ પદની જવાનું અને તેના ગુણોનું યથાર્થ જાણપણું કરીએ, અને પછી તેનું ચિંતન-મનન કરીએ તો તેમાં શું ચીજ રહેલી છે, અને તેના ચિંતવન અને મનનઠારા આપણે પિતાની ઉન્નતિ શી રીતે કરી શકીએ, તેને કંઇ ભાસ આપણને માલમ પડશે. ૧૨. જે સ્વભાવ સારા અથવા નરસાનું ઘણું ભાગે અનુકરણું કરનાર હોય છે, દુનિયામાં જે મહાન વ્યક્તિઓ થઈ ગઈ છે, તે પણ તેના પુર્વ જે કોઈ મહાન થઇ ગએલા હશે, તેનું નામ સાંભળીને પોતે જે સ્થિતિમાં મુકાય છે, તેના કરતાં ઉંચ સ્થિતિ કોઈ જુદી છે, અને તે કામ કરવી જોઈએ એવી તેનામાં ભાવના સ્વભાવિક ઉત્પન્ન થવી જોઈએ. જે એવી ભાવના તેનામાં ઉત્પન્ન ન થાય તે તેને કદી પણ પિતાને પ્રાપ્ત સ્થિતિમાં અસંતોષ અને ઉન્નત સ્થિતિ પ્રાપ્ત કરવાની જીજ્ઞાસા થઈ શકે નહિ, અને તેવી જીજ્ઞાસા ઉત્પન્ન થયા સિવાય તે પ્રાપ્ત કરવા પ્રયત્ન પણ કરે નહિ. નવપદ મંત્રમાં જે જે દેવ, અને ગુરુતત્વની યેજના છે, તે આપણને પ્રાપ્ત સ્થિતિમાંથી ઉંચ સ્થિતિ પ્રાપ્ત કરવાની જીજ્ઞાસા ઉત્પન્ન કરવાને સાધનભુત છે.
SR No.522071
Book TitleBuddhiprabha 1915 02 03 SrNo 11 12
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1915
Total Pages68
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy