SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ વૈદક દ્રષ્ટિએ ભારતવર્ષનું પ્રાકૃતિક જ્ઞાન. ૨૬૫ તેના ગુણ પણ સ્પર સાથે ઉત્પન્ન થયો અને આકાશ તથા તેના ગુણને અનુપ્રવેશ થઈ વાયુ શબ્દ તથા સ્પર્શ ગુણવાળો થયો. આના અંદર સુષ્ટિના ઉદ્દભવનાં પરમાણુ વિશેષ સ્થૂલ અવસ્થામાં આવ્યાં. વાયુથી અને એટલે તેની ઉત્પત્તિ વાયુના વિકૃત પરીણામથી થઈ, તેનો પિતાનો રૂ૫ ગુણ પણ તેના સાથે ઉત્પન્ન થયે અને પૃથ્યાદિ ગ્રહોનાં અણુંએ પણ આની અંદર વિશેષ ધૂલ રૂપમાં આવ્યાં. તેમજ આ ભૂતમાં ઉપલા ભૂતને પણ અનુપ્રવેશ થયો એટલે આકાશ અને વાયુ મળવાથી શબ્દ સ્પર્શરૂપ આ ત્રણ ગુણ આમાં મળ્યા. જેમ સૂર્ય અગ્નિને ગેળો છે પણ પૃથ્યાદિ ગ્રહનાં અણુઓ તેની અંદર ગાઢા જુથમાં રહેલાં છે. તેજનું વિકૃત પરીણામ થઈ જળ ત્પિન્ન થયું અને તેના અંદર રસ ગુણ પોતાને અને ઉપલા ભૂતોના અનુપ્રવેશીક ગુણ શબ્દ સ્પર્શરૂપ મળી ચાર ગુણ જળમાં આવ્યા, જળનું વિકૃત પરીણુમ થઈ પૃથ્વીની ઉત્પત્તિ સાથે પોતાને ગંધ ગુણ અને ઉપરનાં ભૂતોના અનુપ્રવેશીક ચાર ગુણ મળી પાંચ ગુણ પૃથ્વીમાં આવ્યા, તેમજ સંકોચરૂપે જે અણુઓ સુક્ષ્મ પ્રકૃતિરૂ૫, તે સ્થૂલ પ્રકૃતિ પ્રતીત થયા. પંચ ભૂતની ઉત્પત્તિ સાથે તેનાં રૂપ અને રસને પિતાના સ્વભાવની શક્તિ પ્રમાણે જે તે ભૂતની અંદર ઉભવ થએલ. ઉપલાં ચાર ભૂતનાં કાર્યરૂ૫ પૃવીમાં રસ પણ ઉભવ પામ્યા; તેમજ સ્થાવર જંગમ વિગેરે સર્વ પદાર્થ આ પંચ ભૂતથી બન્યા છે એમ શાસ્ત્રથી જાણીએ છીએ. સૂર્ય, ચંદ્ર, તારા, પૃથ્વી, ચાર પ્રકારનાં પ્રાણ વિગેરે સ્થાવર જંગમ જે કાંઇ પ્રતીત થાય છે તે પ્રકૃતિ, અને બુતોનું વિકૃત પરિણામ છે. આપણા પ્રા પુરૂએ દરેક પદાર્થના ગુણ દેવને શામાં જણાવ્યા છે. જેમ આકાશ પિતે નિરવય અને પરમાણુઓને ગતિ તથા અવકાશ આપનાર શબ્દનું ભાન કરાવનાર, દીરાનું ઉત્પત્તિ સ્થાન, સ્થાવર જંગમ દરેક દ્રવને સ્થિતિ અને ગતિનું સહાયક. ફેફસાં, મગજ, હૃદય, ઉદર, લોહી ફરવાની ધમનીઓ વિગેરેમાં અવકાશ આપી, પ્રાણોની ધૂલ ઑકિસજનની લોહીના ફસ્વાની ધમનીઓ જ્ઞાનેન્દ્રિ (જ્ઞાનતંતુઓ), કબન્દિ (ગતિતંતુઓ )ના વ્યવહારની ક્રિયાને અવકાશ આપનાર એક ઉપયેગી નકર તવ છે. તેવી જ રીતે અન્ય ભૂતે પણ એના અનેક ગુણેથી યુક્ત હોવાથી ઉપગમાં આવી પ્રાણુઓનું જીવન સચવાય છે. આપણું આયુર્વેદીક પુસ્તકમાં દ્રવમાત્રના ગુણદોષનું વર્ણન છે છતાં પણ આ લેખમાં કહેવાનો હેતુ એ છે કે પાશ્ચાત્ય વિદ્યા જેમ, પંચ તત્વથી દ્રવ માત્રની ઉત્પત્તિ માને છે તે આપણામાં પંચભૂત દરેક પદાર્થનું ઉત્પત્તિ સ્થાન માનવામાં આવે છે; તેમજ પંચ ભૂતોના પટ રસ દરેક પદાર્થમાં રહેલા હોય છે. આધુનિક વિધા અમુક પદાર્થમાં સેંકડે અમુક ટકા કાર્બન તથા નાઈટ્રોજન વિગેરે છે એમ સિદ્ધ કરે છે તે આપણું પૂર્વાચાર્ય પણ રસ અને તેને અનુરસ અમુક પ્રમાણુથી ગણતા. જેમ સુંડ તીખી લાગે છે અને પાછળથી ગળી લાગે છે, ત્યાં તીખાશ મૂળ રસ, ગળપણ અનુરસ. એટલે તેના અંદર મીશ્ર થએલો રસ. આ બંને રસને મીશ્રણરૂપ સુંઠ છે. આ ગળપણ તથા તીખાશનું પૃથકર કરતાં આપણે શીખવું જોઇએ. પણ વૃદ્ધાએ ટસ જેવા કે મધુર, અમ્સ, કટુ, પાથ, તીકત, લવણ, એમ ષટરસ જે માનેલા તે પૈકી જે મનુષ્યના શરીર ઉપર વિચાર કરીશું તો લોહી, પિત્ત, કફ, વીર્ય, વિગેરે કડવું, મીઠું, ખારૂં, લાગે છે, તેમજ વનસ્પતિઓમાં સાકર મીઠી, મરી તીખું, લીબુ ખાટું, સેંધવ ખારું, આમળાં તુરાં (કપાય ), ચરીઆત કડવું હોય છે. એ આપણે જાણી શકીએ છીએ. વળી હાજરીમાં હાઇડેમીક એસીડ જેને કાસ્ટીકયુસ કહે છે
SR No.522069
Book TitleBuddhiprabha 1914 12 SrNo 09
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1914
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy