SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિપ્રભા, આત્મા–જીવ અનંત જ્ઞાન દર્શન ચારિત્ર યુક્ત છે. તેની અતુલ શક્તિ છે, અને અણુાહારી તેના સ્વભાવ છે. તે કમરૂપી મળથી મલીન થઇ ગયા છે, તે મળને દુર કરી મૂળ શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરવાના પ્રયાસ કરવાની આપણી મુખ્ય કરજ છે. ૨૭૨ આપણુ દરેકનો આત્મા પૃથક પૃથક એટલે જુદા જુદા છે, જગતના તમામ જ્વેનો આત્મા એક છે. એવી માન્યતા જૈન દર્શનની નથી. દરેક આત્માનું મૂળ સામાન્ય સ્વરૂપજાતી–એક છે, એ અપેક્ષાએ આત્મા એક છે પણ દરેક વ્યક્તિ જુદી જુદી છે, અને તે દરેકને આત્મા જુદે જુદે છે, એજ વાત ન્યાય તથા યુક્તિથી પ્રતીષાદિત થાય છે. અને તે સત્ય છે એમ શ્રદ્દા થાય છે. એન તે માનવામાં ન આવે તે તેમાં કેટલા વ્યાઘાત લાગે છે. દરેક વ્યક્તિના આત્મા જુદા દે! છે એ વાત જે સત્ય ન હોય તા પછી એક વે કરેલા શુભાશુભ કર્મના ફળની પ્રાપ્તિના લાભ સામાન્ય રીતે સર્વને સસ્ખા મળવા જોએ પણ તેમ થતું નથી. જે દરેકના આત્મા એક ય, તો પછી એક માણુક બદમાશી કરે, પાપ કરે, સ્વચ્છંદે ગમે તે રીતે વર્તે, તે પણ તેને પોતાનાં નઠારાં આચરણુથી ખોટાં કર્મ બધારો, અને તેના વિપાક પેાતાને ભોગવવાં પડશે, એવી બ્હીક રાખવાનું કારણ રહેશે નહિ, કેમકે દરેકના આત્મા એક માનવામાં આવે તે એકે કરેલા નારા આચરણના પાપ ળના ભાક્તા જગતના તમામ જીવ થાય એટલે મૂળ પાપાચરણ કરનારના ભાગમાં બહુ ધાડું પાપ સીલીક રહે, અથવા એક માસ સારી રીતે ખાય પીયે અને પુદ્ગલીક સુખમાં લયલીન રહે અને ખાજો માસ ધર્મસાધનમાં તપર રહી અનેક પ્રકારે ધર્મ સાધન કરે, તેના ફળના ભાગીદાર ધર્મ સાધન કરતા નથી અને દુનિયાના વ્યવહારિક સુખમાં આનંદ માને છે, તે થાય એટલે તેને ધર્મ સાધન કરવાની જરૂર રહેશે નહિ. ન્યાય બુદ્ધિથી અને શાંત રીતે વિચાર કરતાં આ વાતના વાસ્તવિકપણા સબંધે આપણને અનેક તર્કવિતર્ક કરવાને જગ્યા મળે છે, અને આખરે એજ શ્રદ્ધા થાય છે કે દરેકના જીવ ખુદ ખુદા છે, અનેક છે. આત્મા–જીવ—નિય છે કે અનિત્ય છે, એ વાત પણ વિચાર કરવા અને સમજવા જેવી છે. જીવને કાએ નવીન બનાવ્યેા છે, અથવા રસાયન ક્રિયાથી જેમ નવીન પદાર્થ અને છે, તેમ કંઇ વસ્તુના સયેાગથી નવીન ઉત્પન્ન થયા છે, અથવા તે પ્રથમથી અનાદિથી છે, એ પ્રશ્ના સહજીક ઉત્પન્ન થવા જેવા છે, અને થાય છે. આના ખુલાસાને માટે મનકલ્પાંત કલ્પના કરતાં અગાઉ આ વિષયના અભ્યાસને માટે જેમણે આખી જીંદગી અર્પણ કરેલી હતી એવા મહાત્મા પુરૂષો શુ કહી ગયા છે, તેમણે એ વિષયના પ્રીપાદનાર્થે સાધક, બાધક શું શું કારણો બતાવ્યાં છે, તે વાંચવા અને તેને અભ્યાસ કરવાની અને તેના વાસ્તવિકપણા સંબંધે નિઃપક્ષપાત વિચાર કરવાની પ્રથમ જરૂર છે. તેમ કરવાથી આપણા કેટલાક વખત બચવાની સાથે એ વિષે વિચાર કરવાની લાઇન હાથમાં આવશે. આત્મા નિત્ય-અનાદિ—છે કે એ તેને કાએ બનાવેલા નથી. એ ક્યારથી છે. એની કલ્પના થઈ શક્તી નથી, દેવ, મનુષ્ય, તીર્યંચ, અને નરક ગતી એ એના પર્યાય છે. જગતમાં વે જન્મે છે, તે કઇ નવીન ઉત્પન્ન થઈને જન્મતા નથી. પૂર્વભવમાં તે જ્યાં ઉત્પન્ન થયેલા હશે તે કાણે તેમણે પેાતાનું આયુષ પુરૂ કર્યું એટલે તેમણે તે આયુષ બાંધેલુ તે આધારે તે આ ભવમાં ઉત્પન્ન થાય છે. આ ભવમાં બવમાં જે ભાવિ જન્મતાની સાથે
SR No.522069
Book TitleBuddhiprabha 1914 12 SrNo 09
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1914
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy