SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ સુખ. ૨ ૦ ૩ મુવ. (લેખક:--નાગરદાસ નરોત્તમદાસ સંઘવી. મુ. આમે.) જંદગીનાં સુખ દુઃખનું સમતલ રાખવામાં મનુષ્યના પ્રયને કેટલે અંશે ફતેહ પામ્યા છે-તેના ઇતિહાસનું દિગ્દર્શન કરતાં અંગ્રેજ કવી ગેડ સ્મીથ કહે છે. Vain very vain, my weary search to find, That bliss which only centres in the mind Still to ourselves in every place consigned Our own felicity we make or fiind. જે સુખનું મધ્યબિંદુ આપણુ મનમાં જ છે તેને માટે શોધ કરવી ફેકટ છે, અરે. તદન ફેકટ છે. “જે સ્થિતિમાં આપણે હોએ તે સ્થિતિમાં આપણે આપણું સુખ પેદા કરી શકીએ છીએ; અને જોધી શકીએ છીએ.” - આત્મિયસત્તાનું જ્ઞાન આપવાને માટે અસંખ્ય ધર્માત્માને અગાધ પ્રયત્ન હવા છતાં મનુષ્યો આટલાં બધાં શંકાશીલ અને વહેમી છે માટે રહે છે? ખરી રીતે દુનિયા ચમત્કારને મહાન માને છે. સામાન્ય મનુષ્ય દષ્ટિથી વધારે બળ માલુમ પડતા હરેક કૃત્યમાં કાંકે ચમત્કાર છે; એમ દરેક માણસ માને છે. એવા ચમત્કારોની કલ્પનાઓને અનુસરવાથી આપણને જોતાં સુખ મળશે એમ માનીને દુનિયામાં પિતાની માલી જેમ તેમ ધકેલે જાય છે. પૈસા પેદા કરવાની, માન મેળવવાની, સ્ત્રીપુત્રાદિક કુટુંબ મેળવવાની વગેરે વાર્થિ આશાઓમાં બધું ભૂલી જવાય છે. આ આશાઓની છાયા તે વસ્તુઓ જયારે આવી મળે અને સુખ આપે છે તેના કરતાં વધારે સુખદાયક માલુમ પડે છે. તે તે વસ્તુઓમાં પણ અનેક પ્રકારના ચમત્કાર દષ્ટિએ પડે છે, જેમની પાસે પૈસા ઓછા હોય છે, તેઓ એમ માને છે કે પૈસાવાળાઓને કેવાએ પ્રકારનાં સુખ હશે. છોકરાં વગરનાં, છોકરાં વાળાઓમાં પણ એમજ માને છે. માન મેળવવાની આશા વાળાઓ જ્યાં ત્યાં જંપલાઈ પડતાં બીલકુલ ડર ખાતા નથી. આવાં બધાં ભાણસને એક જ રસ્તે ન્યાય મળે છે. “મા મા ચા ૩ર અને.” વ્યવહારમાં ઉભાં થતાં અને પ્રસંગે આવી પડતાં દુઃખની જાળમાંથી દીલાસો મેળવવા, ધાર્મિક તાચરણની મારફતે સુખ મેળવવા ઘણું મન ચાહના રાખે છે. માનસીક સદ્ગુણે સિવાયનાં ત્રાગરથી, શરિર ઉપર બહુ માઠી અસર પેદા થાય છે. આ રસ્તે સુખને બદલે દુ:ખ વધુ પડે છે. અંતે ચમત્કારને તાબે થાય છે. ભારી ઉપર બધી આશા એની દોરી લંબાઈ છે. - પરોપકાર દ્વારા માનસિક અને શારીરિક સુખ મળે છે. કારણ કે “ Mercy is double blessing, it bless and in th.lt giveta a el niin ont recivesha" દયા, (પોપકાર કરવાની લાગણી કરનાર અને મેળવનાર બને સરખી રીતે સુખદાતા છે. . ધન એ સહેલામાં સહેલું પરોપકાર કરવાનું છે. કારણ કે શારિરીક પરિશ્રમ કરવાને માટે હમેશની ટેવની જરૂર છે અને માનસીક પરિશ્રમ ઉઠાવવાને જ્ઞાનની જરૂર છે.
SR No.522067
Book TitleBuddhiprabha 1914 10 SrNo 07
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1914
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size791 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy