SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિપ્રભ. માનવી ! આ સંસારમાં જ્ઞાની આત્મજ્ઞાન-વૈરાગી સિવાય કે સુખી છે? તેઓ કેવી મસ્ત દશા અનુભવે છે? સંસારના વિષ-ઐશ્વર્ય સંપન્ન વૈભવ કે તરૂણીઓને જેણે તુણવત્ લેખવી-સંસારને નિરસાર માન્યો તે સિવાય કશું સુખી છે? જેને આ શ્મશાનની માટીમાં ને રેતીના રજકણોમાં તઠત્ થવું બહું ગમે છે. મહેલ ને સ્મશાન સરખું છે તેવા જ્ઞાનમસ્ત-મહાત્માઓજ આ દુઃખમય સંસાર સાગરમાંના શાંતિના બેટપર આત્માનંદની ખુમારીમાં-નીડરપણે વિચરે છે. બાકી બધું-ખ-આધિવ્યાધિ-ઉપાધિમય જ. કેટલા બધા સત્યજ્ઞાનથી અજ્ઞાન મનુષ્ય બહુ જાણુપર્ણને દાવો કરે છે. સર્વ કરતાં જે વધારે જાણે છે તે એટલું જ જાણે છે કે તે કંઈજ જાણતું નથી. “યુટન ” જાબુ હતું કે તે જ્ઞાનસાગરના કિનારા ઉપર ફકટઢાંજ એકઠાં કરે છે પણ સત્ય ઢંકાયેલું રહી જાય છે. કવિગુરૂ હોમર મુંડી અનાજને માટે દરવાજે દરવાજે ભીખ માંગતો જેની જન્મભૂમી માટે આજ સાત જગ્યાએ વો કરે છે. લોર્ડ બાયર્ન રખડત રવડતો પરદેશમાં–મસલંદીમાં મરી ગયો. જેને કાર્તિસ્થંભ સ્થાપવા માટે પાર્લામેંટમાં તે દિવસ માંસિક ગણાયો. આનંદધનજી મહારાજ કે જેઓનાં પદો આત્મજ્ઞાનીઓને કહીનુરથી વધારે કોમતી થઈ પડયાં છે. આ બધા ઉપરથી એમજ અનુભવાય છે કે જ્યાં સુધી મનુષ્યનું અસ્તીત્વ હેય છે ત્યાં સુધી તેને-મર્મ-સ્વરૂપ-કીંમત સમજી શકાતું નથી. તેના અદ્રશ્ય થવા બાદજ ઘણાંક હૃદય દુઃખી થાય છે. માટે આ સંસારમાં બાલ્યાવસ્થા-યુવાવસ્થા–દ્ધાવસ્થા બધી અવસ્થાઓ દુઃખ ભરપુરજ છે. રાયપણામાં કે રેપણુમાં ને સંસારની દરેક સ્થિતિ દુઃખ દુખ ને દુઃખજ દરગાચર થવાનું ને તે દર્શન કરતાં કરનાજ આ મશાનની માટી થવાનું એ નક્કી જ, તેપણ મનુષ્યો સંસારના ક્ષણીક સુખવાળા વીઘામાં હું-મારના જડામાં બંધાઈને સત્ય ધર્મ માર્ગ ચુકી જાય છે પણ હીમથી બળી ફલ-મૂલ-શોભા રહિત વૃક્ષની જેમ આ સંસાર ફક્ત એ રહેશે કે તમે બધા જવાના માત્ર આત્મજ્ઞાનીએ-મસ્ત અધ્યાત્મ જ્ઞાનીએ-સત્ય વૈરાગીઓના અલખના પડઘાની ગર્જના-જ્ઞાન સુગંધ ને ભલાઈ એજ રહેવાનાં. માટે શ્મશાનમાંથી આ સંસારની પુદ્ગલ માત્રની અસારતા-સમજી અનુભવી-સત્ય ધર્મ માર્ગમાં સતત ઉધમવંત થવું એજ સારભૂત છે-બાકી બધું સ્મશાનની માટી. 8 શાંતિ. શાંતિ. શાંતિ. स्वीकार अने अवलोकन. શ્રી મુંબઇ જૈન મહિલા સમાજને રીપે તેના પ્રવર્તક તરફથી પ્રાપ્ત થશે છે; જે નિહાળતાં માત્ર ત્રણ વર્ષની ટુંકી મુદતમાં શ્રી મુંબઈમાં જૈન સમાએ નીમેલ સુપરવાઈઝરની દેખરેખ તળે તે સમાજ સારી રીતે આગળ વધતી જણાય છે. પંદર બહેનની બનેલી વ્યવસ્થાપક કમીટી તેને વહિવટ ચલાવે છે. પ્રમુખ તરીકે મશહુર શેઠ પ્રેમચંદ રાયચંદનાં વરહ અને સદગુ પુત્રી બેન શીવદાર બને છે. જેઓ અને બહેન હીરાકુંવર પાનાચંદ વગેરેની શુભેચ્છાથી રીપોર્ટવાળા વર્ષની આ ખરે તેમાં દાખલ થયેલ શ્રી સભાસદોની સંખ્યા ૨૩૪ ઉપર ગઈ છે જેમાં પેટ્રને, લાઇફ અને વાર્ષિક લવાજમ આપ • Socraties knew that he knew nothing.
SR No.522062
Book TitleBuddhiprabha 1914 05 SrNo 02
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1914
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size958 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy