SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિપ્રભા. -- છે શ્વાત્મiામ | समकित तेह यथास्थित भावे, जह यम पन्जव हुइ स्वभावे; तेह पज्जव जिन देखे नाणे, उदय वेला ते आवे टाणे. समकित. १ बाह्य निमित्त घणी रीते भासे, पण तथाविध कारण छे पासे; ते देखी उदासी न रहेत्रे, कोइने दोष तेह नवि देवे. समकित २ हुँ कर्ता माने कर्म बंधाय, तेह कर्मसत्ता वह थावे; उदय माफिक बंध उदय नावे, तेह विना केइ उदीरणा पावे. समकित. ३ निकाचना विण बंध खिरी जावे, निकाचनावण कोइ उदये आवे; बंध वेलाए जेवो रस होइ, उदय वेलाए तेहवो तिहा सोइ. समकित. ४ द्रव्यक्षेत्र कालभाव मिले आवे, तब विपाकते पूरो थावे; तेणे कारणे तुमे समता आणो, भणे मणिचंद यथास्थित जाणो. समकित. ५ છે અને તે વેઠવો પડે છે. ઉત્કૃષ્ટ અંગે કર્મ નીકા ન હોય તો તે તપશ્ચરણ ધ્યાના દિવસે બંધમાંથી ટળી જાય છે. ઉત્કૃષ્ટ ભંગે નિકાચિત કર્મ બાંધ્યાં હોય છે તે તે ભગવ્યા વિના છૂટકે થતું નથી. નિકાચના વિના પણ કોઈ કર્મ ઉદયમાં આવે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ મળતાં કર્મ ઉદયમાં આવે છે અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવે વિપાક મેળવીને પૂર્ણ કરાય છે. કર્મવિપાક પૂર્ણ થવાને યોગ્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની પ્રાપ્તિ થાય ત્યાં સુધી કવિપાક ભગવો પડે છે માટે હે ભવ્યજીવો ! તમે કર્મવિક ભોગવતાં મુંઝાઈ જાઓ નહિ. શુભાશુભ કર્મવિપાકે ભોગવતી વખતે હર્ષ અને શોકને ત્યાગ કરીને સમભાવને ધારણ કરે અને કર્મના યથાસ્થિત ભાવને જાણીને મનને મનાવામાં રાખે, એમ શ્રી મણિચંદ્ર કર્યો છે. સમ્યકત્વ દર્શનની આવી દશા જાણીને આત્મજ્ઞાની મહાપુરૂષ સાંસારિક સંબંધોમાં સમભાવને ધારણ કરીને અંતરથી આત્મસ્વભાવમાં રમતા કરે છે અને અધિકાર પ્રમાણે પ્રવૃત્તિ કરે છે. ભાવાર્થ-શ્રી મણિચંદ્રજી મહારાજ પોતાના આત્માને સંબોધે છે કે હે ચેતનછી તમે આ દુનિયાની સર્વ વસ્તુઓથી ભિન્ન છો. પરદ્રવ્યરૂપ સર્વ વસ્તુઓ કદાપિ પોતાની થઈ નથી, થતી નથી અને થવાની નથી. જ્યારે આ પ્રમાણે વસ્તુ રિયતિ છે ત્યારે તું પરવસ્તુઓ પર અહ મમત્વ કલ્પનાથી કેમ પ્રેમ ધારણ કરે છે? અલબત્ત તારે પર જડ વસ્તુઓ પર પ્રેમ ન ધારણું કરવો જોઈએ. જે કર્મ વડે ચેતનજી તમે બંધાયા છે તેથી તમે પોતાની ઠકુરાણ અર્થાત પ્રભુતા હારી ગયા છે અને સર્વ પરવા કુર્ણ એ સ્થિતિને પ્રાપ્ત થયા છે મોહ તમને માયાવડે પાશમાં પાડ્યા છે એમ હું ચેતન તમે નિશ્ચયતઃ અવબોધે. હે ચેતનછ? તમને મેહે મુખે મીઠાઈ દેહને ભગાડયા છે–ભમાગ્યા છે. તમે જ્યારે મેહની નિદ્રાને ત્યાગ કરશે ત્યારે જાણશે કે અરે મોહમાં ફલાવાથી દુર્ગતિ ભ્રમણ કરવું પડે છે. જ્યાં સુધી મહના વશમાં પડી રહેવાનું છે ત્યાં સુધી આગમોને અભ્યાસ કરીને આગમી એવું નામ ધરાવવું અથવા માનરૂપ હસ્તિપર ચઢીને વાક્ષાટવથી ઉપદેશ કરે તે સર્વ મિસ્યા છે એમ ચેતન માનો. ક્ષપશમ વિના ધર્મની બહુ ક્રિયાઓ કરી તેનું ફળ એટલું થયું કે તેથી સરપદવીની પ્રાપ્તિ થઈ પણ સિદ્ધ ગતિની પ્રાપ્તિ થઈ નહિ. સમગદર્શન અને સમ્ય
SR No.522061
Book TitleBuddhiprabha 1914 04 SrNo 01
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1914
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size650 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy